જીવનનાં પ્રેરણાદાયક સુવિચારો
- મને મળી નિષ્ફળતા અનેક તેથી જ થયો સફળ કંઈક જીંદગીમાં (ઉમાશંકર જોષી)
- લક્ષ્મી (સંપત્તિ) માંગલ્યમાંથી ઉદ્દભવે છે. ચતુરાઈથી વધે છે. અને સંયમથી કાયમ વસે છે. (સુભાષિત)
- જેમ સમુદ્ર ઈચ્છતો નથી છતાંય બધી નદીઓ તેને મળે છે. તમે બધા સુખ-સંપત્તિ વગર બોલાવો ધર્મ અને ચારિત્ર્યવાળાઓ પાસે જાય છે. (સંત તુલસીદાસ)
- સદાચાર અને નિર્મળ જીવન એજ સાચા શિક્ષણનો આધાર છે. (મહાત્મા ગાંધી)
- ગગનવાસી ધરા પર બેઘડી શ્વાસો તો ભરી જો, જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરીતો જો (નાઝિર)
- પૂજ્ય જનોને આદર-માન-સન્માન આપવાવાળાની ઉંમર-વિદ્યા-યશ-બળ ચારેય પદાર્થો નિરંતર વધે છે. (મહાભારત)
- વિચારોનો ચિરાગ બુઝાઈ જવાથી આચાર આંધળો બની જાય છે - (વિનોબા ભાવે)
- જેણે ક્યારેય કોઈ ભુલ કરી નથી એણે કશુંય નવું શીખવાનો પણ પ્રયત્ન કર્યો નથી (આલ્બર્ટ આઈનસ્ટાઈન)
- કીર્તિ વીરતા ભર્યા કર્મોની સુવાસ છે. (સોક્રેટિસ)
- જીવનમાં દોડવું નકામું છે. મુખ્ય વાતતો એ છે કે સમયસર નીકળવું. (લીફ્રાંતે)
- દરેક માણસ પોતાનું આંગણું વાળી સાફ કરી નાખે એટલે આખી દુનિયા ચોખ્ખી થઈ જાય. (ગ્યુઈયે)
- વિવેક જીવનનું મીઠું છે. અને કલ્પના જીવનની સાકર છે. તેમાંની એક તેને સુરક્ષિત રાખે છે અને બીજુ તેને (જીવનને) મધુર બનાવે છે. (બોવી)
- બેફામ છું તોયે કેટલું થાકી જવું પડયું, નહિતર જીવનનો માર્ગ છે. ઘરથી કબર સુધી (બેફામ)
- 'મા'નો અર્થ દુનિયાની બધી જ ભાષાઓમાં 'માં' જ થાય છે. (રવિન્દ્રનાથ ટાગોર)
- દુનિયામાં દુર્લભમાં દુર્લભ ચીજ તે માણસ છે. (પાસ્તોવસ્કી)
- મનનું માન્યું તો મર્યા, અને મનને માર્યું તો જીત્યા (કાર્લાઈલ)
- ભૂલ થઈ જાય તેમાં પાપ નથી, પરંતુ કરેલી ભૂલોને છુપાવવામાં ભયંકર પાપ છે (મહાત્મા ગાંધી)
- નદી વહેતી અટકે તો ગંદકી પેદા થઈ જાય, પૈસા ફરતા અઅટકે તો સમાજમાં બેકારી પેદા થઈ જાય. માણસ પોતાની પાસે રહેલી વિદ્યા-શક્તિઓનો વિનિયોગ કરતો અટકી જાય તો તેનો પોતાનો વિકાસ અટકી જાય.