સામા પક્ષેથી જે કોઈ મહારથીઓ યદ્ધ માટે આવશે એ બધાને હું એકલો હણી નાંખીશ...
- ।। શ્રીકૃષ્ણ ઉવાચ ।। - ગૌતમ પટેલ
- અર્જુનના ભાગમાં કર્ણ, જયદ્રથ અને આવેલા બીજા બધા રાજાઓ અર્જુનના ભાગમાં છે. દુર્યોધન અને દુઃશસનના બધા પુત્રોનો વધ કરવાની જવાબદારી સુભદ્રાના પુત્ર અભિમન્યુને સોંપવામાં આવી છે.
દુ ર્યોધને સંજયને પ્રશ્ન કર્યો કે સાત અક્ષોહિણીનું સૈન્ય મેળવીને યુદ્ધની ઈચ્છાવાળા યુધિષ્ઠિર શું ઈચ્છે છે ? સંજયે ઉત્તર આપ્યો કે - યુદ્ધની ઈચ્છાવાળા યુદ્ધિષ્ઠિર તો અત્યંત આનંદમાં છે. વળી ભીમસેન, અર્જુન અને પેલા બે ભાઈઓ નકુલ અને સહદેવ સહેજ પણ ડરતા નથી.. અર્જુને દરેક દિશાઓમાં ઝળહળતો, મંત્રથી સુરક્ષિત રથ જીતવાની ઈચ્છાથી તૈયાર કર્યો છે. મેઘ-વાદળ જેમ વિદ્યુત-વિજળીથી યુક્ત હોય એવા અને હું મળ્યો અને એણે મને કહ્યું, આ અમારું પૂર્વરૂપ-યુદ્ધપૂર્વેની તૈયારી તું જો, સંજય! અમે જ જીતીશું.
આ સાંભળી દુર્યોધને સંજયને કહ્યું કે અક્ષમાં-દ્યુતમાં પરાજય પામેલા એવા એ અર્જુનના રથને કેવા અશ્વો જોડયા છે તે તું કહેે. ત્વષ્ટા, ધાતા અને શક એટલે ઈન્દ્રેએ રથ તૈયાર કર્યો છે અને ભીમસેનના અનુરોધથી પવનપુત્ર હનુમાન ધ્વજ લઈને બિરાજમાન છે એ ધ્વર્જ ત્રાંસો, ઉપર અને બધી દિશાઓમાં લહેરાય છે. જેમ આકાશમાં મેઘધનુષ્ય શોભે તેમ એ અર્જુનના રથનો ધ્વજ શોભી રહ્યો છે. જેમ અગ્નિમાંથી ઉત્પન્ન થયેલો ધૂમાડો કોઈથી પણ રોકાય વિના ઉર્ધ્વ ગતિ કરે છે તેવો જ આ ધ્વજ ઉર્ધ્વગતિ કરે છે. ચિત્રરથ નામના ગાંધર્વે આપેલા શ્વેત અશ્વો આ રથને જોતર્યા છે. એ ઘોડાઓ પવન સમાન વેગવાળા અને દિવ્ય છે. પૃથ્વી પર કે અંતરિક્ષમાં તેઓની અવિહત ગતિ છે. રોકટોક વિના ગમન કરી શકે છે. ભીમસેનના રથને ઋક્ષ નામના વાયુસમાન વેગવાળા ઘોડા જોડેલા છે વળી માદ્રીના પુત્રોના, સુભદ્રાના સંતાનના કે દ્રૌપદીના દીકરાઓના રથો પણ યોગ્ય ઘોડાઓથી યુક્ત છે અને તે બધા અર્જુનના સહાયકો છે.
આ પછી ધૃતરાષ્ટ્રે પાંડવોની પ્રીતિ માટે આવેલા રાજાઓ વિશે પ્રશ્ન કર્યો અને સંજયે વિસ્તારથી જે વર્ણવ્યું એનો સાર એ છે કે સહુથી મુખ્ય કૃષ્ણ છે. પછી ચેકિતાન અને સાત્યર્ક છે. દ્રુપદ વિરાટ રાજા, ધૃષ્ટકેતુ, ચેદિરાજ, વગેરે સૈન્ય સાથે ત્યાં આવેલા છે. તેઓ બધાં પાંડવોને કાજે તમારા સૈન્યનો નાશ કરવા તત્પર જ છે. આ બધામાં સેના પ્રમુખ એટલે સેનાપતિ તરીકે ધૃષ્ટદ્યુમ્ન (દ્રૌપદીનો ભાઈ) છે એ મહારથી છે. વળી શિખંડીને ભાગે ભીષ્મનો વધ કરવાનું આયોજન છે. દ્યૃષ્ટદ્યુમ્ન મનુષ્યોના, દેવોના કે ગાંધર્વોના સૈન્યની વ્યૂહરચનાનો જાણકાર છે. વિરાટરાજા પણ બળવાન છે. મદ્રદેશનો મહારાજા શલ્યને મારવા યુધિષ્ઠિરને યોજવાના છે. દુર્યોધન અને એના બધા જ ભાઈઓને ભીમસેનના ભાગે મારવાનું આયોજન છે અર્જુનના ભાગમાં કર્ણ, જયદ્રથ અને આવેલા બીજા બધા રાજાઓ અર્જુનના ભાગમાં છે. દુર્યોધન અને દુઃશસનના બધા પુત્રોનો વધ કરવાની જવાબદારી સુભદ્રાના પુત્ર અભિમન્યુને સોંપવામાં આવી છે. દ્યૃષ્ટદ્યુમ્નના ભાગે દ્રોણનો વધ કરવાનું વિચારાયું છે. આ ચર્ચામાં જાણે કે મહાભારતના યુદ્ધમાં જે બન્યું એનું જાણે કે ભવિષ્યકથન જ છે આવું પાંડવાનું આયોજન એ સમયે વાસ્તવિકતા બની ગયું છે. આ બધુ જણાવ્યા બાદ સંજયે રાજા ધૃતરાષ્ટ્રને સ્પષ્ટ જણાવ્યું કે હે રાજન! યથાકાલ પ્રાપ્ત તમારે જે કરવું હોય તે કરો.
ધૃતરાષ્ટ્ર હચમચી ગયા છે. તેઓ જણાવે છે કે બળવાન ભીમ સાથે યુદ્ધની ઈચ્છા રાખતા મારા પુત્રો હ્રહઞ્ઃ - મૂઢ છે. એમને સાચીવાત ન સમજાય તેવા મૂર્ખ છે જેમ કુંડ અગ્નિમાં પ્રવેશે તેમ આ બધા રાજાઓ અર્જુનના ગાંડીવના અગ્નિમાં પ્રવેશ કરશે. સામે પક્ષે બધા રાજાઓ શૂરવીર, કીર્તિવાળા, પ્રતાપી, સૂર્ય અને અગ્નિસમાન તેજસ્વી અને યુદ્ધમાં જીતનારા છે એ બધાના નેતા યુદ્ધિષ્ઠિર અને ગોપ્તા (સંરક્ષક શ્રીકૃષ્ણ છે. આ પછી પાંડવપક્ષના બધા રાજાઓના પૃથવુ પૃથવુ નામ અને પરાક્રમો ગણાવી અંતે ધૃતરાષ્ટ્ર ઉચ્ચારે છે કે એ સર્વગુણસંપન્ન અને અમાનવીય (દૈવી) પ્રતાપવાળાને કોશતો મારો પુત્ર દર્યોધન તેઓ સાથે યુદ્ધ ઈચ્છી રહ્યો છે.
આ સાંભળી દુર્યોધનથી રહેવાયું નહીં. એણે પોતાના પિતાને જણાવ્યું કે બન્ને પક્ષ એક ક્ષત્રિય જાતિના છે. બન્ને પૃથ્વી પર વિદ્યમાન છે છતાં તમે એક તરફી બની કેવળ પાંડવોનો જ જય જોઈ રહ્યાં છો. પિતામહ ભીષ્મ, ગુરુવર્ય દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ, દુર્જય, જયદ્રથ, સોમદત્ત, અશ્વત્થામા વગેરેને યુદ્ધમાં ઈન્દ્ર પણ જીતી શકે તેમ નથી પછી પાંડવોનું તો શું કહેવંૃ? હે રાજા ! પાંડવો જેમને જીતવા અશક્ત છે - શક્તિમાન નથી તેવા અનેક પૃથ્વીના પાલકો-રાજાઓ તો મારા પક્ષે છે. તેઓ આર્ય, શાસ્ત્ર-ધારણ કરનારા, વિરોધીઓનો બાધ કરવા સમર્થન છે પાંડવો અમારી સામે આંખ ઊંચી કરીને જોવા માટે પણ સમર્થ નથી. આ બધા મારી સાથે પોતપોતાના રથો લઈ પાંડવો સાથે યુદ્ધ કરશે.
આ સાંભળી ધૃતરાષ્ટ્રે સંજયને કહ્યું-
उन्मत इव मे पुत्रो विलपत्येष संजय
नहि शक्तो रणे जेतुं धर्मराज युधिष्ठिरम
- મહા. ઉદ્યોગ ૫૭-૪૩
ધર્મરાજ યુધિષ્ઠિરને રણમાં જીતવા સમર્થ નહીં તેઓ મારા આ પુત્ર ઉન્મત્ત-ગાંડાની જેમ ેંશ્નલ્ક્ેંણ - લવલવ કરી રહ્યો છે. બકી રહ્યો છે. અહીં વ્યાસની મહત્તાનું મને દર્શન થાય છે. યુધિષ્ઠિર જ જીતશે એ મારે અનેક વિશેષણોને સ્થાને ફક્ત ષ્હ્રીઝ્દ્ર શબ્દ જ પ્રયોજ્યો છે અને મહાભારતનો મુખ્ય ઉપદેશ પ્ણ્ખ્ત ષ્હ્રીઃ ણણ્ખ્ત દ્રપ્ઃ જ્યાં ધર્મ છે ત્યાં જય છે. અને અહી ધર્મ નહી 'ધર્મરાજ' છે. જોઈ શકાશે કે કેવળ એક જ શબ્દના પ્રયોગમાં સમગ્ર ભાવિના ભેદ જાણે કે વ્યાસમહર્ષિએ ઉકેલી દીધા છે. ધન્ય.
પછી ધૃતરાષ્ટ્ર પૂછે છે કે હે સંજય ! અગ્નિમાં હવિ હોમવાથી જેમ એ પ્રદીપ્ત થાય તેમ કોણ પાંડવોને ઉશ્કેરી રહ્યું છે? સંજય કહે છે ધૃષ્ટદ્યુમ્ન-દ્ધૌપદીનો સગો ભાઈ (આ ભાઈ અને બહેન બન્ને એક સાથે અગ્નિકુંડમાંથી પ્રગટ થયેલા છે.) પાંડવોને યુદ્ધ માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે. એ કહે છે કે સામા પક્ષેથી જે કોઈ મહારથીઓ યદ્ધ મ ાટે આવશે એ બધાને હું એકલો હણી નાંખીશ જેમ મોટું તિમંગલ નાના માછલાઓને ખાઈ જાય છે. આ પછી અર્જુને સંજયને જઈને ધૃતરાષ્ટ્રને યુદ્ધથી દૂર રહેવાનો સંદેશ આપ્યો.