સ્વસ્થ-તંદુરસ્ત-જીવનનો વિકલ્પ 'પ્રાણાયામ યોગ'
પ્રાણાયામ યોગા- સામાન્ય સૂચનાઓ
૧) પ્રાણાયોગા આસનો કે ક્રિયાઓ સવારે જ કરવી હિતાવહ છે.
૨) નિત્ય શારિરિક શૌચક્રિયાઓ કર્યા પછી જ પ્રાણાયોગા કરવો જોઈયે.
૩) ખાલી પેટે અગર થોડૂક હળવું ઉષણોદક દૂધ પીને પ્રાણાયોગા કરો.
૪) જમ્યા પછી પ્રાણાયોગા કરવો હોય તો ત્રણ કલાક પછી જ થાય.
૫) પ્રાણાયોગા માટે બહુ કપડાં કે ચૂસ્ત કપડાં નહિ, લંગોટ કે ચડ્ડો પહેરો.
૬) પ્રાણાયોગા કર્યા પછી તૂરત જ વધારે ખાવું નહિ.
૭) પ્રાણાયોગા શેતરંજી કે સાદડી ઉપર જ કરો જેથી પ્રતિકૂળતા ના સર્જાય.
૮) શરીરની અસ્થિપિંજરની રચના, કદ અને શક્તિ મુજબ વધઘટ પ્રાણા કરો.
૯) સહેલાઈથી થઈ શકેતેવાં આસનો અને ક્રિયાઓને પ્રથમ સ્થાન આપો.
૧૦) સાદી કસરતો કર્યા પછી જ, અઘરાં આસનો કે ક્રિયાઓ થઈ શકે.
૧૧) પ્રાણાયોગા દરમિયાન કોઈ નસ, સ્નાયુ કે અવયવ દબાવો જોઈયે નહિ.
૧૨) સાંધા, નસ કે સ્નાયુમાં દુઃખાવો જણાય તો તુરત જ આસન બંધ કરો.
૧૩) આસન કરવામાં બીજાની મદદ લો નહિ. એટલે કે બીજા પાસે વળાવો નહિ.
૧૪) દરેક આસન વખતે 'પ્રાણાયામી' પૂર્ણશ્વાસ ઉશ્વાસ' ફરજિયાત છે.
૧૫) સાદી કસરત કર્યા પછી જ પ્રાણાયોગા થઈ શકે.
૧૬) જે આસન એક બાજુ કરો તો બીજી બાજુએ પણ કરો.
૧૭) કોઈપણ દર્દ માટેનું આસન કરતાં પહેલાં દર્દનું નિદાન કરવું. અને પછી જ ખાત્રી કર્યા પછી જ. તેને લગતુ આસન કે ક્રિયા કરો. બીજા આસનો કરવાં નહિ. તે તંદુરસ્ત માટે હિતાવહ છે.
૧૮) શરીરનું 'કલોક' જળવાઈ રહે તે માટે' ચોક્કસ સમય' જળવાવવો જોઈયે.
૧૯) કોઈપણ આસનસિધ્ધિ ધીરે ધીરેની પ્રેકિટસ વડે થઈ શકે. અન્ય રસ્તે નહિ.
૨૦) આસનો કે પ્રાણાક્રિયાઓ દરેક સ્ત્રી, પુરૂષ કરી શકે છે. પરંતુ સ્ત્રીઓએ ગર્ભાવસ્થામાં પેટ સંકોચાય તેવાં આસનો કદાપી કરવાં નહિ.સ્ત્રીઓએ માસિકધર્મ વખતે પણ આસનો કે ક્રિયાઓ કરવી નહિ.
૨૧) પ્રાણાયોગા વખતે ચશ્મા, ઘડિયાળ પટ્ટા, કમર પટ્ટા પહેરવા નહિ.
૨૨) પ્રાણાયામ, દેખાદેખી, વાંચીને, કોઈના વર્ણનથી, આડંબર કરવા કરવા નહિ.
૨૩) પૂર્ણ જાણકારી ધરાવતા પ્રાણાયામીની રૂબરૂ દેખરેખ નીચે જ પ્રાણાયોગા થઈ શકે. જેથી ભૂલચૂક થતી હોય તો સુધારી શકાય.
- પુરૂષોત્તમ દેલવાડાકર