Get The App

શાશ્વત .

Updated: Sep 1st, 2021

GS TEAM


Google News
Google News
શાશ્વત                                                       . 1 - image


માનવી પોતાનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ ટકાવવા સતત પ્રયત્ન કરતો હોય છે. નામ તેનો નાશ કુદરતી નિયમોને આધિન રહેલ વસ્તુ સમયાંતરે નાશવંત હોય છે. સુખ ક્ષણિક લાગે છે. દુખ દીર્ઘકાલિન અને મુશ્કેલ લાગે છે. દુ:ખ મહી ગયા પછી પણ લાંબા સમય સુધી તેનો અણસાર રહે છે. સુખ પછી સુખનો ભાવ રહેતો નથી. પરંતુ દુ:ખ પછી સુખનો ભાવ રહે છે. દુ:ખના દિવસો ગણી શકાય છે. સુખના વર્ષો પણ ગણાતા નથી. જીવન મળ્યું છે તો સાથે સુખ દુ:ખનો સ્વીકાર કરવો જ પડશે. દુ:ખને ખંખેરીને સ્વીકારવું પડશે. સુખને સારી રીતે સાચવવું પડશે. વિશ્વમાં ફક્ત આપણે એકલા જ સુખી કે દુ:ખી નથી. જગતમાં તપાસતાં ખબર પડશે કે આપણું દુ:ખ તો સારું છે. સર્વમ દુ:ખમ દુ:ખમ કુદરતે દરેકને સુખ અને દુ:ખ વહેંચીને આપ્યું છે. સાથે જિંદગી પણ આપી છે. જીવન પ્રસાદી છે. આપણી અનુકૂળતા પ્રમાણે જીવનજીવીને જીવન પ્રસાદને ચાખવાનો છે. કુદરત તરફથી મળેલ આ બધું શાશ્વત છે.

સત્ય અને સૂર્ય શાશ્વત છે. સત્યદીથી દૂર રહેનારને છેવટે તો સત્ય સ્વીકારવું જ પડે છે. એટલે જ સત્યમેવ જયતે કહેવાય છે. જ્યારે સત્યનો સ્વીકાર કરીએ છીએ ત્યારે સમય ઘણો વહી ગયો હોય છે. સુખ દુ:ખ, દિવસ રાત, અંધારૂં અજવાળું, આકાશ પૃથ્વી, પાણી, જળ, વાયુ. આ તમામ શાશ્વત છે. અસંખ્ય વર્ષો પહેલાં હતું આજે છે અને હવે પછી પણ રહેશે. એ શાશ્વત છે.

Tags :