'દાન નો મહિમા : 10 પ્રકારના દાન
- દાન આપતી વખતે ડાબો આપે અને જમણો ન જાણે તેવી રીતે દાન આપવું અર્થાત્ દાન ગુપ્ત આપવું જોઈએ
દા ન એટલે બીજા માટે પરોપકાર કરવાની વૃત્તિ. આપણે ભવિષ્યમાં સારો અવતાર આવે અથવા આવતા જન્મમાં આપણે સારી યોનિમાં જન્મ થાય કે આપણો મોક્ષની પ્રાપ્તિ માટે દાન આપી એ છીએ આત્માનું અમરત્વ પ્રાપ્ત થાય અને અંતિમ સમયે પરમાત્મામાં દેહનો વિલય થાય તે માટે દાન આપીએ છીએ.
આપણા ધાર્મિક શાસ્ત્રોમાં દાનના દશ પ્રકાર બતાવ્યા છે. સૌ પ્રથમ ગાયનું દાન ઉત્તમ ગણાય છે. ગાય પવિત્ર છે. તેમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ છે. ગાયનું દાન આપવાથી આપણે વૈતરણી નદી પાર કરી જઈએ છીએ એવું શાસ્ત્રોમાં કહ્યું છે. ગાયો માટે શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે ગાયો મારી આગળ રહો, ગાયો મારી બાજુમાં રહો. ગાયો મારા હ્ય્દયમાં વસો, હું ગાયની વચ્ચે રહું, ગાયોના અંગોમાં ચૌદ ભુવનો રહ્યા છે. આ લોકમાં અને પરલોકમાં ગાયો આપણી સાથે રહે. અદિતિ દેવમાતા ગાય અને વેદમાતા પણ ગાય છે વેદમાતા ગાય રૂપે રહેલી દેવી મારા પાપોને હરીલો.
જ્યારે કુટુંબમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થાય ત્યારે દાન અપાય છે. નંદબાવાએ શ્રીકૃષ્ણનો જન્મ થયો ત્યારે કરોડો ગાયોનું દાન કરેલું નચિકેતાના પિતા ઉદાલક મુનિએ પણ સેંકડો સોનાની ગાયોનું દાન કરેલું. આમ ગોદાન ઉત્તમ ગણાય છે.
આપણા પૈરાણિક શાસ્ત્રો અનુસાર મનુષ્યના મૃત્યુના બારમા દિવસે મૃતાત્મા વૈતરણી નદી પાર કરે માટે ચાંદીની કે પ્રત્યક્ષ ગાયનું દાન કરવામાં આવે છે. ગૌ દાન આપવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય તેવી માન્યતા ગરુડ પુરાણમાં છે લગ્ન પ્રસંગે દિકરીને સાથે ગૌદાન અપાય છે. ગૌ દાનથી મનથી બંધનથી કે કર્મથી કરેલા પાપો નાશ થાય છે.
બીજા નંબરનું દાન ભૂમિ દાન છે.
પહેલાંના સમયમાં રાજા મહારાજાઓ સમાજના શ્રેષ્ઠીઓ ભૂમિ દાન આપતા હતા. ભૂમિ દાનથી મનુષ્ય પોતાની આજીવિકા કમાઈ શકે અને તેનું જીવન ધન્ય થાય તેવી ભાવના હતી. શ્રીમદ્ ભાગવત કથા અનુસાર બલિરાજાએ વામન સ્વરૂપમાં રહેતા ભગવાન વિષ્ણુને ત્રણ ડગલામાં સમસ્ત ભૂમિનું દાન આપી દીધું હતું.
દાનમાં ત્રીજા નંબરે તલનું દાન છે.
તલનું દાન આપવાથી માણસને સમૃધ્ધિ મળે છે.
ચોથા નંબરે સોનાનું દાન આવે છે.
પહેલાંના સમયમાં રાજા મહારાજાઓ અને ઋષિમુનિઓ સોનાનું દાન આપતા હતા. તેઓ વિદ્ધાન બ્રાહ્મણોને સુવર્ણદાન આપતા.
પાંચમા દાનમાં ઘી ગણાય છે.
ગાયનું શુદ્ધ ઘી દાનમાં આપવામાં આવે તો અશ્વમેઘ યજ્ઞા જેટલું ફળ મળે છે. મંદિરમાં દિવા માટે કે યજ્ઞામાં અર્હુતિ માટે ઘીનું દાન ઉત્તમ ગણાય છે.
છઠ્ઠા દાનમાં વસ્ત્રદાન કહેલ છે.
નિર્ધન કે ગરીબ વ્યક્તિને વસ્ત્રદાન કરવાથી ઘણુ જ પુણ્ય મળે છે. તેના અંતર આત્માના આશિષથી આપણું કલ્યાણ થાય છે.
સાતમા દાનમાં અનાજનું દાન ગણાય છે.
अन्न दानम् महादानम् એમ કહેવાય છે. અન્નદાનથી ભૂખ્યાજનોનો જઠરાગ્નિ શાંન્ત થશે.તેના અંતરના આર્શીવાદથી આપણું કલ્યાણ થાય છે જેથી આપણી આર્થિક, સામાજિક અને આદ્યાત્મિક પ્રગતિ થાય છે.
નવમા દાનમાં ચાંદીનું દાન આવે છે.
જન્મપ્રસંગે કે લગ્ન પ્રસંગે ચાંદીના દાન અપાય છે. શૈયાદાન વખતે ગૌ દાનમાં ચાંદીનું દાન અપાય છે.
દશમું દાન મીઠાનું છે.
આપણે મંદિરમાં કે બ્રાહ્મણને સીધું આપીએ ત્યારે તેમાં લવણ એટલે મીઠું ન હોય તો તે દાન અપૂર્ણ ગણાય છે.
દાન આપતી વખતે ડાબો આપે અને જમણો ન જાણે તેવી રીતે દાન આપવું અર્થાત્ દાન ગુપ્ત આપવું જોઈએ. કોઈપણ જગ્યાએ આપણા નામની તક્તિ લગાવવામાં આવે તો તે કિર્ત દાન ગણાય છે.
દાન શરમ પૂર્વક, પ્રીતિ પૂર્વક, સહાનુભૂતિપૂર્વક લજ્જા પૂર્વક આપવું જોઈએ. અર્થાત્ દાન લેનાર વ્યક્તિ તેનો શો ઉપયોગ કરશે તે ધ્યાનમાં રાખ્યા વગર દાન આપવું જોઈએ.
દાનમાં પરોપકારની ભાવના રહેલી.
પરોપકાર માટે સૂર્ય પ્રકાશે છે.
પરોપકાર માટે નદીઓ વહે છે
પરોપકાર માટે વાદળો પાણી આપે છે.
પરોપકાર માટે વૃક્ષો ફળ આપે છે.
માટે હમેશા પરોપકાર કરવો જોઈએ
મહાભારતમાં જ્યારે ગુરુ દ્વોણે એકલવ્ય પાસે ગુરુ દક્ષિણા માગી ત્યારે તેને પોતાનો જમણા હાથનો અંગૂઠો દાનમાં આપેલો તેથી શ્રેષ્ઠ શિષ્ય તરીકેની છાપ તેના ગુરુમાં પડી.
દાન આપવાની વાતમાં કર્ણ શ્રેષ્ઠ દાનવીર હતો. ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને શ્રેષ્ઠ ધર્નુધર બનાવવા માટે તથા કર્ણને પરાજિત કરવા માટે ભગવાન ઈન્દ્રને કર્ણ પાસે દાન લેવા મોકલ્યા હતા. કર્ણ જગતમાં શ્રેષ્ઠ દાન વીર હતો.
જ્યારે ઈન્દ્ર ભગવાન બટુક બ્રાહ્મણનું રૂપ લઈ કર્ણ પાસે આવ્યા ત્યારે કર્ણને તેમને દાનમાં આપવાની ઘણી વસ્તુ માગવા કહી પણ ઈન્દ્રએ ના પાડી. છેવટે ઈન્દ્રએ કર્ણના કવચ અને કુંડળ દાનમાં આપવા કહ્યું ત્યારે કર્ણે તરત જ તે દાનમાં આપ્યું કર્ણ માનતો હતો કે
પવનથી મજબૂત વૃક્ષો ઉખડી જાય છે પ્રયત્નપૂર્વક મેળવેલી વિદ્યા ક્યારેક વિસરાઈ જાય છે. પણ અગ્નિમાં હોમેલું અને દાનમાં આપેલું તેમનું તેમજ ટકે છે.
हुत्तम य यगं य तथैव तिष्ठति ।
આજના આદ્યુનિક યુગમાં અંગદાન શ્રેષ્ઠ ગણાય છે. માણસના મૃત્યુ પછી તેના અંગોનું દાન કરવું જોઈએ. જેથી બીજાને નવું જીવન મળે. નેત્રનું દાન હ્ય્દયનું દાન તથા કીડનીનું દાન ઉત્તમ ગણાય છે.
દાન આપનાર અને દાન લેનાર બન્નેનું કલ્યાણ થાય છે.
- પ્રદ્યુમ્નભાઈ જે. રાવલ