Get The App

વિચાર-વીથિકા - દેવેશ મહેતા

Updated: Feb 12th, 2020

GS TEAM


Google News
Google News
વિચાર-વીથિકા - દેવેશ મહેતા 1 - image

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ જેમના થકી અવતરિત થયા તે વાત્સલ્ય- ભક્ત, યજ્ઞા પ્રવર્તક, ધર્મનિષ્ઠ, મહારાજ દશરથ

સચ્ચિદાનંદ સ્વરૂપ પુરુષોત્તમ પ્રભુ જેમની પ્રેમ-ભક્તિથી પ્રસન્ન થઈ એમના થકી અવતરિત થયા. તે મહારાજ દશરથનો મહિમા અપરંપાર છે

મહારાજ દશરથ ભગવાન શ્રીરામના પિતા હતા. ભગવાન પરત્વે તેમની વાત્સલ્ય ભક્તિ હતી. મહારાજ દશરથ મનુનો અવતાર હતા. તે વેદોના જ્ઞાતા, વિશાળ સોનાના સ્વામી દૂરદર્શી, પ્રતાપી, પ્રજાવત્સલ, ધર્મપ્રેમી અને મહાનયજ્ઞો કરનારા રાજવી હતા. મહારાજ દશરથ ત્રૈલોક્ય પ્રસિદ્ધ, પરાક્રમી, અતિરથી યોદ્ધા હતા. જે દસ હજાર ધનુર્ધારીઓ સાથે એકલો લડી શકે એનમ 'મહારથી' કહેવાય અને જે એવા દસ હજાર મહારથીઓ સાતે એકલો લડી શકે એને 'અતિરથી' કહેવાય. એમના મંત્રીમંડળમાં બ્રહ્મર્ષિ વસિષ્ઠ, વામદેવ, સુયશ, જાબાલિ, કાશ્યપક, ગૌતમ, માર્કણ્ડેય, કાત્યાયન, ધૃષ્ટિ, જયન્ત, વિજ્ય, સુરાષ્ટ્ર, રાષ્ટ્રવર્ધન, અકોપ અને ધર્મપાલ જેવા વિદ્યાવિનય સંપન્ન, રાજનીતિજ્ઞા, તેજસ્વી અને કાર્યકુશળ ઋષિઓ, મુત્સદ્દીઓ અને યોદ્ધાઓ હતા.

આદર્શ રાજા અને મંત્રીમંડળના પ્રભાવથી પ્રજા સર્વપ્રકારે સુખી અને સંપન્ન હતી. મહારાજ દશરથની મદદ દેવો પણ ઇચ્છતા. મહારાજ દશરથે અનેક યજ્ઞો કર્યા હતા. અંતે પિતૃ-માતૃભક્ત શ્રવણ કુમારના અજાણતા થયેલા વધના પ્રાયશ્ચિત માટે અશ્વમેઘ, જ્યોતિષ્ટોમ, આયુષ્ટોમ, અતિરાત્ર, અભિજિત, વિશ્વજિત અને આપ્તોર્યામ વગેરે યજ્ઞો કર્યા હતા. આ યજ્ઞોમાં દશરથે અન્ય વસ્તુઓ ઉપરાંત દસ લાખ દૂઝણી ગાયો, દસ કરોડ સુવર્ણમુદ્રાઓ અને ચાલીસ કરોડ ચાંદીના રૂપિયા દાનમાં આપ્યા હતા.

એ પછી પુત્ર પ્રાપ્તિ માટે ઋષ્યશ્રૃઙગને ઋત્વિજ બનાવી રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞા કર્યો હતો. જેમાં બધા દેવો પોતાનો ભાગ લેવા સ્વયં પધાર્યા હતા. દેવો અને મુનિઓએ કરેલી પ્રાર્થનાથી ભગવાન શ્રીહરિએ દશરથને ત્યાં પુત્રરૂપે અવતાર લેવાનું સ્વીકાર્યું હતું. યજ્ઞાપુરુષે સ્વયં પ્રગટ થઈને પાયસાન્નથી ભરેલું સુવર્ણપાત્ર આપતાં દશરથને કહ્યું હતું- 

- 'રાજન્ ! આ ખીર અતિ પવિત્ર, સર્વશ્રેષ્ઠ, આરોગ્યવર્ધક અને ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરાવનારી છે. એને તમારી ત્રણેય રાણીઓને ખવડાવી દો.' મહારાજ દશરથે પ્રસન્ન થઈ મર્યાદા અનુસાર કૌશલ્યને મોટી સમજી એને ખીરનો અડધો ભાગ, વચલી સુમિત્રાને ચોથો ભાગ અને કૈકેયીને આઠમો ભાગ ખવડાવ્યો. સુમુત્રિા મોટી હતી એટલે એના સન્માન માટે ખીરનો બચેલો અષ્ટમાંશ રાજાએ ફરી એને આપી દીધો. આનાથી કૌશલ્યાને શ્રીરામ, સુમિત્રાને બે ભાગથી લક્ષ્મણ અને શત્રુઘ્ન, અને કૈકેયીને ભરત નામના પુત્રો જન્મ્યા.

મહારાજ દશરથને ચારેયપુત્રો પ્રિય હતા પરંતુ એ બધામાં શ્રીરામ પર એમનો વિશેષ પ્રેમ હતો. જ્યારે મુનિ વિશ્વામિત્ર એમના યજ્ઞાના રક્ષણ માટે રામ-લક્ષ્મણને માંગવા આવ્યા ત્યારે રામની ઉંમર પંદર વર્ષથી વધુ હતી છતાં ને એમને થોડો સમય પણ આપવા તૈયાર નહોતા. વસિષ્ઠ મુનિ દ્વારા ખૂબ સમજાવ્યા બાદ તે એ માટે તૈયાર થયા હતા. ભગવાન શ્રીરામે જ કૈકેયીની મતિ ફેરવી રામને ચૌદ વર્ષ વનવાસ અને ભરતને રાજગાદીના વરદાન મંગાવ્યા હતા જેથી તે વનગમન કરી ઋષિ-મુનિઓને દર્શન આપી શકે અને રાક્ષસોનો વધ કરી એમનો ઉદ્ધાર કરી શકે. સુગ્રીવ, હનુમાન, વિભીષણએ બધાનો મેળાપ અને મૈત્રી વનવાસ દરમિયાન જ સંભવ હતા એટલે ભગવાનની ઇચ્છાથી જ આ કાર્ય થયું હતું.

શ્રવણના માતા-પિતાના શાપને ચરિતાર્થ કરતાં મહારાજ દશરથે રામનો વિયોગ થતાં પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. સંત તુલસીદાસજી કહે છે- 'બંદઉ અવધ ભુઆલ સત્ય પ્રેમ જેહિ રામપદ । બિછુરત દીનદયાલ પ્રિય તનુ તૃન ઇવ પરિહરેઉ ।। રામનું સ્મરણ કરતાં કરતાં દશરથે પોતાનો પ્રિય દેહ પણ તણખલાંની જેમ છોડી દીધો હતો.

વાલ્મીકિ રામાયણમાં દર્શાવવામાં આવ્યું છે કે લંકાવિજય બાદ ભગવાન શિવજી રામ અને લક્ષ્મણને વિમાન પર બેઠેલા દશરથના દર્શન કરાવે છે. મહારાજ દશરથ સામે આવીને શ્રીરામને પોતાના ખોળામાં બેસાડી દે છે અને એમને વાત્સલ્યપૂર્વક ભેટીને એમની સાથે પ્રેમપૂર્વક વાર્તાલાપ કરે છે. એ પછી લક્ષ્મણને પણ વાત્સલ્યપૂર્વક વાર્તાલાપ કરે છે. એ પછી લક્ષ્મણને પણ વાત્સલ્યપૂર્વક વાર્તાલાપ કરે છે. એ પછી લક્ષ્મણને પણ વાત્સલ્યપૂર્વક સ્નેહથી અભિષિક્ત કરે છે અને કહે છે- 

- 'બંદઉ અવધ ભુઆલ સત્ય પ્રેમ જેહિ રામપદ । બિછુરત દીનદયાલ પ્રિય તનુ તૃન ઇવ પરિહરેઉ ।। રામનું સ્મરણ કરતાં કરતાં દશરથે પોતાનો પ્રિય દેહ પણ તણખલાંની જેમ છોડી દીધો હતો.

વાલ્મીકિ રામાયણમાં દર્શાવવામાં આવ્યું છે કે લંકાવિજય બાદ ભગવાન શિવજી રામ અને લક્ષ્મણને વિમાન પર બેઠેલા દશરથના દર્શન કરાવે છે. મહારાજ દશરથ સામે આવીને શ્રીરામને પોતાના ખોળામાં બેસાડી દે છે અને એમને વાત્સલ્યપૂર્વક ભેટીને એમની સાથે પ્રેમપૂર્વક વાર્તાલાપ કરે છે. એ પછી લક્ષ્મણને પણ વાત્સલ્યપૂર્વક વાર્તાલાપ કરે છે. એ પછી લક્ષ્મણને પણ વાત્સલ્યપૂર્વક વાર્તાલાપ કરે છે. એ પછી લક્ષ્મણને પણ વાત્સલ્યપૂર્વક સ્નેહથી અભિષિક્ત કરે છે અને કહે છે- 'હે સુમિત્રાસુખ વર્ધન લક્ષ્મણ ! શ્રીરામની સેવામાં સંલગ્ન રહે જે. તારું એનાથી મોટું કલ્યાણ થશે. ઇન્દ્ર સહિત ત્રણેય લોક, સિદ્ધ પુરુષો અને મહાન ઋષિ-મુનિઓ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની અભિવંદના કરી એમની પૂજા કરે છે. વેદોમાં જે અવ્યક્ત, અક્ષર બ્રહ્મને દેવોનું હૃદય અને પરમ ગુપ્ત તત્ત્વ કહેવામાં આવ્યું છે એ જ આ તપસ્વી રામ છે.' આટલો ઉપદેશ આપ્યા પછી મહારાજ દશરથ ત્યાંથી અંતર્ધાન થઈ જાય છે. આમ, સચ્ચિદાનંદ સ્વરૂપ પુરુષોત્તમ પ્રભુ જેમની પ્રેમ-ભક્તિથી પ્રસન્ન થઈ એમના થકી અવતરિત થયા. તે મહારાજ દશરથનો મહિમા અપરંપાર છે..


Tags :