યુવાનોના પ્રેરણાસ્ત્રોત્ર સ્વામી વિવેકાનંદ
વિશ્વની મહાન વિભૂતિઓમાં જેમની ગણના થાય છે, અને જેઓ ભારતનું ગૌરવ ગણાય છે તેવા મહાપુરુષ એટલે જ સ્વામી વિવેકાનંદ. ભારતની યુવાશક્તિને સ્વામી વિવેકાનંદે જગાડી હતી. તેમનું નામ નરેન્દ્ર હતું. તેમનો જન્મ ૧૨-૦૧-૧૮૬૩ ના રોજ થયો હતો. બંગાળનાં સુપ્રસિદ્ધ આચાર્ય ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે તેમણે શિક્ષણ મેળવ્યું હતું. તેમણે પોતાનું જીવન રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં સમર્પિત કર્યું હતું. બાળપણથી જ નરેન્દ્ર ખૂબ જ તેજસ્વી બુદ્ધિ અને અદ્ભૂત સ્મરણ શક્તિ ધરાવતાં હતાં.
ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો.. નો પ્રેરણાદાયી અદ્ભૂત સંદેશો તેમને લોકોને આપ્યો છે.
તેઓ હરહંમેશ કહેતા કે, જરુર છે, મર્દોની, બીજું બધું તો થઈ રહેશે. પણ ખરેખર તો બળવાન, પ્રાણવાન, શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઉભરાતા નવયુવકોની જરુર છે. જો આવા સો નવયુવકો આવી મળે તો જગતની સૂરત પલટી જાય. સ્વામી વિવેકાનંદ એ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત્ર હતા.
સ્વામી વિવેકાનંદજીની વાણીથી અનેકના જીવન બદલાયા હતા. અને આજે પણ તેમણે આપેલા સંદેશાને આપણે આપણા જીવનમાં ઉતારીએ, તો અવશ્ય આપણું જીવન બદલાઈ જાય છે. તો આવો તેમણે આપેલા સંદેશાનું કિંચત્ અમૃતપાન કરીએ.
- કળીયુગમાં સત્યનિષ્ઠ રહેવું સૌથી મોટું તપ છે. સત્ય જ બોલવું જોઈએ.
- વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.
- રોજ રાત્રે સુતા પહેલા પથારીમાં બેઠા બેઠા પ્રાર્થના કરો કે ' હે પ્રભુ આજના દિવસ દરમ્યાન મારીથી કોઈને પણ વાણી કે વર્તનથી તકલીફ થઈ હોય તેને માટે હું માફી માંગું છું, મને માફ કરજો અને ફરી ના થાય તે માટે સદબુદ્ધિ આપજો.''
- કરોડો રૃપિયા ખોવાયેલા કદાચ પાછાં મળી જશે પરંતુ એક ક્ષણ પણ ઇશ્વર સ્મરણ વગર જશે તે ક્ષણ પાછી નહિ આવે.
- નિષ્ફળતાઓના પ્રસંગો આવે તો પણ માણસે મૂંઝાવું નહીં. તમારો આદર્શ હજારો વાર ફરી ફરી લક્ષમાં રાખો અને ભલે હજાર વાર નિષ્ફળતા પામો. તોય ફરી એક વાર પ્રયત્ન કરો.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
For more update please like on Facebook and follow us on twitter