જોડે તે 'ધર્મ' અને તોડે તે 'અધર્મ' .
- ભારત દેશનું દયા-સત્ય-અહિંસા-પ્રેમ લાગણી એ એનું તેના સ્વભાવનું સ્વરૂપ છે પણ તેનો અર્થ એ નથી તેનું વિરાટ સ્વરૂપ પણ છે. વિરાટ શક્તિ પર ભરોસો હોય તો લડાઈ પણ સરળ બની જાય છે. માણસ પોતે પોતાની સાથે સમાજ સાથે કે સચ્ચાઈ સાથે લડવાનો પ્રયાસ કરે તે લડાઈ ઘણી મુશ્કેલ છે
- વિશ્વામિત્ર, શ્રીકૃષ્ણ, બુધ્ધ, મહાવીર, કબીર, ગાંધી, સરદાર, રવિન્દ્રની વાણી અર્થહીન વાડાબંધી સર્જિત અસમાનતા તોડવાની છે. ધર્મના રક્ષણ માટે તેને તોડવી તે ધર્મ છે. હિંસા, અન્યાય સામે લડવું તે પણ ધર્મ છે
- મનોબળ દ્રઢ અને મજબુત હોય તો આપણને સફળ થતા રોકી શકે નહીં. ગમે તેવી મુશ્કેલીમાં તેની વચ્ચે પણ આપણી સાહસ યાત્રા ચાલુ રહે. તો મુકામ સુધી પહોંચે જ. એમાં શંકાને કોઈ સ્થાન નથી
કવિ ઠાકુરે એક જગ્યાએ કહ્યું છે કે જીવતું ઝાડ કોઈ કાપે તો પણ તે નાશ પામતું નથી. પરંતુ તે બમણા જોરથી નવા ફણગા કાઢે છે.
ભારતીય સમાજ ગાંધી સુધી જીવતો હતો. સ્વરાજની અપ્સરા આવતા તે માંદો પડયો છે. રોગ હતો તે જૂનો છે. સંકુચિતતાનો, ભાષાને નામે, સંપ્રદાયના નામે, ધર્મના નામે, પ્રદેશના નામે, પક્ષને નામે, દેશને છિન્ન-વિછિન્ન કરનારા બળો જામવા માંડયા છે. ભારતીયતાને તોડવાના આ બધા પ્રયાસો છે.
આગળ વધેલા દેશો - યુરોપ, અમેરિકામાં પણ એક દહાડો આવા ધર્મ-ભાષાનાં ઝઘડા હતા. - રોમન કેથલિક અને પ્રોટેસ્ટંટના ઝઘડા તો જાણીતા છે પણ આખરે એ બધાએ અનુભવ્યું - સમજ્યા કે ધર્મ તો એક જ છે. (મનુભાઈ પંચોલી)
धर्मो धारयते प्रजाः
પ્રજાઃ બહુવચન છે. ધર્મે તો બધાને સાથે રાખી સમાજને ટકાવી રાખવો એ જ તેનું લક્ષણ છે આથી વિરુધ્ધ કરે તે 'અધર્મ' પછી તે 'વેદ'ના નામે કહેવાય, કુરાન કે અવેસ્તા કે બાઈબલ નામે કહેવાય. હમણાં જ કાશ્મિરમાં ધર્મના નામે પુરુષોનો સંહાર કર્યો તેમાં કયાં ધર્મની હોશિયારી રહી ? એતો સારૂંકે ભારતે 'સિંદૂર' ઓપરેશનથી પાઠ ભણાવ્યો કે મરદાંગીની શું છે. જે ભારત સરકારનું વંદનીય-સાહસ હતું.
અસત્ય જોડે જરૂર ઝઘડીએ, વેરની છાંટ વિના ઈશુના અનિષ્ટનો ન કરવા ના ઉપદેશમાં ઉમેરણ કર્યું કે અનિષ્ટ તો ચલાવાય જ નહીં તેમનો સામનો કરવો જ જોઈએ.
આપણે હંમેશા ખુણામાં મૌન થઈને બેસી રહીએ છીએ અને બૂમો પાડીએ છીએ કે રાજકારણ ગંદુ તેમાં અમારાથી ન પડાય. અમે તો આત્માની ચિંતા કરનારા, આવું કહેનારાઓને ગાંધીએ કહ્યું કે ''આ આત્મા પણ રાજકીય, આર્થિક, સામાજિક, શૈક્ષણિક, પરિસ્થિતિ પ્રમાણે ઝાંખો-ઉજળો થાય છે. તેના ઓછાયા આત્મા ઉપર પડે જ છે. જૂઠો વેપાર કરનારા જૂઠા સંસ્કાર આપનારનો આત્મા-પોતાના ધરાક આત્મા ઉપર અજ્ઞાન અંધકારનો ઓછાયો નાખે છે. ધર્મ એની જવાબદારીમાંથી છટકી ન જ શકે. એટલે ધર્મ પ્રમાણે અને પરિસ્થિતિ પ્રમાણે જીવન ના બધા પાસાં ચાલે તેમ ગોઠવાય.''
આ આત્મશુદ્ધિ એટલે વિચાર શુદ્ધિ અને આચાર શુદ્ધિ, તે પછી સમાજ સેવાનું વ્રત આમ ધર્મ સ્થાપના બેઉં પાંખે કરાય, ધર્મને નામે આ આગ કે હિંસા ન ફેલાવાય.
કવિ ઉમાશંકરે કહ્યું કે ધર્મ સંસ્થાપવા મથતા શ્રીકૃષ્ણની જેમ રામ બોલી ગાંધીજી ઢળી પડયા. પોતાની ફરજો પુરી કરી. કોણ નથી ઢળી પડયું? ક્યાં છે યુધિષ્ઠિર? ક્યાં છે રામ? ક્યાં છે કૃષ્ણ ? ક્યાં છે વ્યાસ ? ગાંધારી-અગસ્ત્ય લોપા મુદ્રા-વિશ્વામિત્ર ક્યાં છે.
કવિ ઠાકુરે ગાયું છે કે કાળની નૌકામાં વ્યક્તિનાં કર્મો તે જ સુવર્ણ.
હજારો વર્ષ પહેલાનો વિસરાઈ ગયેલ ધર્મ જેમ રામકૃષ્ણ, વિવેકાનંદ, રવિ ઠાકુર, ગાંધીજી અને શહિદોમાં એકા એક પ્રગટયો તેમ આજ ફરી પ્રગટ થયેલો દેખાય છે. તે પ્રગટ થયેલા દેશપ્રેમિ વ્યક્તિઓને-શહિદોને, સૈનિકોને પ્રણામ અને આપણે પણ ભારત દેશનાં અમૃત પુત્રો છીએ.
આ વાતમાં ધર્મના જૂનો ગ્રંથોમાં ગમે તે લખ્યું હોય કહેવાયું હોય, તો પણ નકામું છે. તેવું જ લોહીમાં આવતા લક્ષણો કરતા સામાજિક અને પ્રાપ્ત થયેલા સંસ્કારો બળવાન છે. તેનો ઈન્કાર કરી કાળકોટડીમાં પુરાઈ રહેવાનું ધર્મ કહેતો હોય તો તે ખોટું છે.
વિજ્ઞાન જેને શ્રીકૃષ્ણએ જ્ઞાનનો જોડીયો ભાઈ કહ્યું છે. ज्ञान विज्ञान सहित શબ્દ વાપરી ગીતામાં જ્ઞાન પણ વિજ્ઞાનની જોડે છે એમ ગીતામાં કહ્યું છે. આ વિજ્ઞાને ધર્મગ્રંથો નાં જે કથનો આજે ખોટા ઠરાવ્યા છે તેને છોડયે જ છૂટકો. તેજ સાચી ધર્મ વૃત્તિ છે. અસત્યને, અધર્મને સહી લેવું તે પણ પાપ છે.
ધર્મ કે અધર્મ, ન્યાય કે અન્યાય, આપણી કે બીજાની સંસ્કૃતિ-બધા વિષે આવું ચિકિત્સક વલણ તે જ જ્ઞાનનું સાચું લક્ષણ છે. અધર્મ-અને અને અનીતિ સહન કરવા તે મોટામાં મોટું દૂષણ છે. એટલે આ આ ધર્મ પાઠ ભણાવવા જ 'ઓપરેશન સિંદૂર' નામ આપી પ્રતિકાર કર્યો છે. જે દરેક ભારતીયો માટે એ ગૌરવરૂપ બન્યું છે.
જ્ઞાન-વિજ્ઞાનને જે પામે તે તો કહેશે કે એ ધર્મમાં સારી વસ્તુઓ છે પણ ચુસ્ત વાડાબંધી અસહિષ્ણુતા-મુઢાગ્રહ-સામૂહિક-અહંભાવ-ધર્મવાદ, હિંસકવાદ-તે ધર્મ નથી. ભારત દેશ કંઈ નબળો નથી. આ દેશને ઊંચે લાવવા આજે જે થઈ રહ્યું છે તે બધું જ કરવું જોઈએ.
વિશ્વામિત્ર, શ્રી કૃષ્ણ, બુધ્ધ, મહાવીર, કબીર, ગાંધી, સરદાર, રવિન્દ્રની વાણી આવી અર્થહીન વાડાબંધી સર્જિત અસમાનતા તોડવાની છે. તે જ ધર્મ છે. ધર્મના રક્ષણ માટે તેને તોડવી તે પણ ધર્મ છે. હિંસા, અન્યાય, સામે લડવું તે પણ ધર્મ છે તેની સામેની કાયરતા તે અધર્મ છે.
હિંસા અન્યાયની સામે ન લડનારને ગીતામાં નપુંસક ગણ્યો છે અને હ્ય્દયની તુચ્છ દુર્બળતા ગણી છે.
वभैल्यं मा स्म गमः
पार्थ नैतत्वप्यु पपधते ।।
शुद्र हदबेयल्य
त्ववत्वा उतिष्ढ परन्तप ।।
યે દેશ હે વીર જવાનો કા...
ઇસ દેશ કા યારો કયા કહેના...
ભેદ બુધ્ધિ-હિંસા-અકારણ ત્રાસ આપવો તેજ અ ધર્મ છે કર્મને જીવનમાં ઓતપ્રોત કરવું એજ ધર્મ છે.
વિવેકાનંદ કહે છે કે ''તમે રામકૃષ્ણને ઓળખ્યા છે? તેઓ ધર્મ સંસારને સુધારવા-નવુંરૂપ આપવા મેદાને પડયા હતા. દુષ્કાળમાં પુરમાં, રોગમાં, દેશની આફતોમાં, અનાથ આશ્રયહીન થયેલા માટે જેઓ આશ્રય રૂપ બન્યા છે તેજ ખરો અધ્યાત્મ પુરુષ છે.''
કવિ ઠાકુરે પોતાની અજોડ વાણીમાં ધર્મ વિષે અજ્ઞાનને ઉદ્દઘાટિત કર્યું.
''આંખ મીંચી આ બંધ ઓરડામાં તું કોનું ધ્યાન કરી રહ્યો છે ? જરા એ તો જો કે તારો દેવતા તો ક્યારનો મંદિર છોડીને ચાલ્યો ગયો છે. કોનું ધ્યાન ધરે છે ત્યાં તું ?''
દેવતા તો ગયો છે, જ્યાં પેલો ખેડૂત હળ ચલાવે છે અને પેલો મજુર રસ્તા પર પથ્થર ફોડે છે.
તારા કપડાં બગડશે, તેની જોડે કામ કરતાં ??
''તારા દેવતાનાં કપડા ખરડાય છે, તો તેની તને શાની શરમ છે ? તારા માટે, તારી ભૂમિ માટે સૈનિકો રાત નહી જોયા વિના. ટાઢ-તડકો જોયા વિના રક્ષણ માટે ભૂખૃ-તરસ-નિંદ્રા આરામ જોયા વિના ચોવીસે કલાક પોતાની ફરજો બજાવે છે આંખો તો ખોલ જરા.''
જડ ભક્તની આંખો ખોલવાની વાત નથી. પણ ધર્મનાં ધેનમાં જડભરત થઈ ગયેલા આખા સમાજની આંખો ખોલવાની વાત છે.
આ પ્રશ્ન કેવળ હિન્દુ ધર્મનો જ નથી. દુનિયા આખી એક થઈ અધર્મ સાથે લડવાનો છે.
જો મનોબળ દ્રઢ અને મજબુત હોય તો દુનિયાની કોઈ તાકાત આપણને સફળ થતા રોકી શકે નહીં. ગમે તેવી મુશ્કેલીમાં તેની વચ્ચે પણ આપણી સાહસ યાત્રા ચાલુ રહે. તો મુકામ સુધી પહોંચે જ. એમાં શંકાને કોઈ સ્થાન નથી. કોઈ કામ હાથ પર લઈએ અને કોઈ પ્રશ્ન: ઉભા થાય, ત્યારે હાર માનવા ને બદલે હિંમત રાખવી જરૂરી છે. ભારત દેશનું દયા-સત્ય-અહિંસા-પ્રેમ લાગણી એ એનું તેના સ્વભાવનું સ્વરૂપ છે. પણ તેનો અર્થ એ નથી તેનું વિરાટ સ્વરૂપ પણ છે. વિરાટ શક્તિ પર ભરોસો હોય. તો લડાઈ પણ સરળ બની જાય છે. માણસ પોતે પોતાની સાથે સમાજ સાથે કે સચ્ચાઈ સાથે લડવાનો પ્રયાસ કરે તે લડાઈ ઘણી મુશ્કેલ છે. જીતવું લગભગ અસંભવ છે. પણ આત્મબળ થી હિમ્મતથી અને વિશ્વાસથી વિરાટની સાથે જીત સુનિશ્ચિત છે.
સંપ્રદાય-નિરપેક્ષ ધર્મનિરપેક્ષ:- કટ્ટરતા કોઈ સમસ્યાનું સમાધાન નથી. ધર્મ પાલનમાં કટ્ટરતા અને અંધ વિશ્વાસ ન ચાલે એ નુકસાન કરશે. કાર્લ માર્ક્સ ધર્મ ને અફીણનો નશો કહ્યો છે. કારણ કે તાત્કાલીન ધર્મ ગુરૂઓ, તાત્કાલીન ધર્મ અને પરિસ્થિતિ જ એવી હતી કે અફીણ હશે તો તેનો નશો હશે ધર્મ એ ઝનુન નથી પરંતુ તે જાગૃતિ માટે છે. ધર્મ કોઈ નશો કરવનારૂં દ્રવ્ય નથી. પણ ધર્મ એ જાગૃતિ માટે છે. ધર્મ ઝનુન એ કટ્ટરતા ફેલાવશે. રાષ્ટ્રનાં, સમાજના તથા વ્યક્તિનાં પોતાના વિકાસ માટે ધર્મ છે. ધર્મ એ અફીણ નહી પણ ઓકિસજન છે. જે જીવનનાં પ્રાણવાયુ છે. એ ધર્મ જોડનારો હોય તોડનારો નહી.
- ડૉ. ઉમાકાંત જે.જોષી