Get The App

''ભક્તિ-વિચાર'' .

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
''ભક્તિ-વિચાર''                                                   . 1 - image


હનુમાને રામની સેવા કરીને ભક્તિના ક્ષેત્રમાં ઊંચુ સ્થાન મેળવી લીધું. રામની કથા હોય તેમાં હનુમાનનો ઉલ્લેખ ના હોય તો તે 'ન ભૂતો ન ભવિષ્યતિ' જ કહેવાય. રામાયણ એટલે ચાર પાત્રો રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન. આ ચારમાંથી પોણા ચાર થાય તો પણ રામાયણ ખંડિત થાય અને કોઇ પાંચમું પાત્ર ઉમેરો ... રામાયણની શોભાને મહત્તામાં કોઇ ડાઘ ન લાગે. આમ રામની બાજુમાં જ - ભલે બે વેંત આઘો - હનુમાનનનો પાટલો પડે. એની ઇર્ષ્યા સ્વર્ગનો ઇન્દ્ર તો શું, સ્વયં બ્રહ્મા ને શિવ પણ કરે એવું મહાભાગ્ય ગણાય. પણ હનુમાનને આ મહાભાગ્ય કંઇ મફતમાં નહોતુ મળી ગયું. હનુમાન એટલે વ્યક્તિત્વ ખોઇ બેઠેલી વ્યક્તિ. રામ એ જ હનુમાનનું જીવન ને જગત. એમની ભક્તિ શબ્દોના રૂપમાં નહોતી, પણ કર્મના રૂપમાં હતી. હૃદયમાં રામ ઊતરી ગયા હતા, તેથી જ કર્મના રૂપમાં પ્રગટ થયા હતા. હનુમાનને તો રામ માટે આદર, ભાવ ને ભક્તિ હોય તેમાં નવાઈ નહીં, પણ રામને હનુમાન માટે જે આદર ભાવ, ભક્તિ હતા તે રામે બહુ વ્યક્ત કર્યા નહોતા તેથી જગતથી અજાણ રહી ગયું. નહી જગત જાણત કે હનુમાનની રામભક્તિ ચઢિયાતી હતી કે રામની હનુમાન-ભક્તિ. હનુમાનની ભક્તિનાં આચાર્ય કહેવાય તેમાં શી નવાઈ ? નહીતર હનુમાને વળી ક્યારે કોઇના ગુરુ બનીને કોઇ ભક્તિનો બોધ આપ્યો હતો ? સાચે જ હનુમાન એટલે મૂર્તિમંત ભક્તિ જ. તો વિભિષણ  ?  હનુમાનની સામી દિશાએ  હનુમાનની રામભક્તિ જગ જાહેર હતી. જ્યારે વિભિષણ ? એનાથી તો 'રામ'નો 'ર' પણ કોઇ કોઇના સાંભળતા ઉચ્ચારાય તેમ ન હતો. રાવણનાં રાજમાં રહીને 'રામ'નું નામ ઉચ્ચારનારો ધડ પર માર્ક ધરાવવાનો હક્ક ગુમાવતો હતો. એવી કઠોર પરિસ્થિતમાં રહી ને પણ વિભિષણની ભક્તિ ગંગા નિરંતર ખળખળ વહેતી હતી. એ પાતાળ ગંગા. વિભિષણને ભીતર ભક્તિની ગંગા પૂરા વેગથી જોશથી પણ વિભિષણની બાજુમાં બેઠેલાને પણ એ ગંગા પ્રવાહનાં ખળભળાટનો અણસાર નહોતો મળતો. હનુમાન તો રામભક્તિ કરવા ભાગ્યશાળી હતા. નીરંતર રામ સાથે રહેતા. પણ વિભિષણ ? રાવણનો ભાઈ અને રાવણને રામ સાથે શત્રુતા. પણ એ બધા વચ્ચે એક વિદ્રોહી નીકળ્યો - વિભિષણ જેણે રામને પોતાના સ્વામી માન્યા. અને પ્રાણ ના ભોગે, રાવણને સીતા પરત કરવા તથા રામ સાથે સમાધાન કરી લેવા અનેકવાર સમજાવતો રહ્યો. એ કારણે અનેકવાર અપમાન સહ્યા. છતાં રામની ભક્તિને બિલકુલ મંદ ન પડવા દીધી. સરખામણીની વાત નથી. હનુમાને પણ ભક્તિ કરી. વિભિષણે પણ ભક્તિ કરી બેમાંથી કોની ચઢિયાતી ભક્તિ કહેવાય? હનુમાન તો હતા જ રામના દાસ. તેથી ખુલ્લેઆમ તેઓ મન, વચન, કર્મથી રામની ભક્તિને સેવા કરતા હતા કરી પણ શકતા હતા. પણ વિભિષણ એવો સદ્ભાગી નહતો. રામના દુશ્મનનાં રાજ્યમાં રહીને રાવણનાં દુશ્મન રામની ભક્તિ કરવી એ કંઇ બચ્ચાના ખેલ નહોતા. પણ વિભિષણે એ કરી બતાવ્યું. તેણે ઘણું સહન કર્યું પણ રામની ભક્તિ ન છોડી. હનુમાનની ભક્તિ માટે હજાર વંદન પણ વિભિષણની ભક્તિ માટે તો લાખ લાખ વંદન ઓછા પડે. એ તો શબ્દશ: 'શિર માટેની ભક્તિ' હતી. માથાની જેમ એવી ભક્તિ અણમોલ રહેવાની પણ આમાનાં બધા કંઇ ભક્તિના આચાર્ય ન હતા તેથી ચોક્કસપણે ભક્ત હતા. ઉત્તમ ભક્ત હતા. તેમાનાં વ્યાસ શુક્ર, શાંડિલ્ય, ગર્ગ, વિષ્ણુ...ને પણ આચાર્ય ગણાય પણ નારદ શા માટે બધાને ભક્તિનાં આચાર્યો કહે છે ? આચાર્ય એટલે પોતાના આચરણ દ્વારા જેઓ બીજાઓને શીખવતા હોય તેવા. આચાર્ય વાણીથી તો બોધ આપે, પણ માત્ર વાણીથી નહીં પોતાના આચરણરૂપી પ્રત્યક્ષ પાઠથી પણ તેઓ નિરંતર લોકોને શિક્ષણ આપતા રહે છે. વાસ્તવમાં તો જ્યારે બંને રૂપો હોય ત્યારે જ કોઇ વ્યક્તિ આચાર્ય કહેવાય. વિચારનો પ્રચાર કરવો એટલે એક મોટી ચેલેન્જ જ. સામાના મગજમાં (આપણા ઉત્તમ) વિચારો ઉતારવા એક ભારે અટપટુ ઓપરેશન જ. સૌ સોની સૈનિકોની ટુકડીમાં સોયે સો સરદાર હોય તો એક સાથે હૂકમ છૂટે તેમાં કોને અમલમાં મુકવો ? તેથી સૈનિક ભલે સો, પણ કાર્ય દિશા તો એક જ. એ ત્યારે થાય જો સોયે સૈનિક પોત પોતાના વ્યક્તિગત વિચારોને એક બાજુ મૂકી સૌને ઊપયોગી હોય તેવો એક જ વિચાર, એક જ દિશા સ્વીકારે. ધર્મના કણ કણમાં જો સ્નેહ ન હોય તો એ ધર્મ ન બનતાં અસુર જ બને. એકમત એ ધર્મ નો પ્રાણ ગણાય. 

- ચેતન એસ. ત્રિવેદી

Tags :