- ચહેરાને હંમેશા હસતો રાખો તમારી ચિંતાઓને તે દ્વારા તમે હળવી કરી શકશો.
- પ્રસાદે સર્વદુ:ખાનાં હાનિરસ્યો પજાયતે, ભગવદ્ ગીતા કહે છે, અંત:કરણ પ્રસન્ન થતાં સર્વ દુ:ખોનો અભાવ થઈ જાય છે, મનચિત્તથી પ્રસન્ન રહો.
- શરીર ટકે શ્વાસથી, સંબંધો ટકે વિશ્વાસથી.
- જીભ સંબંધો બનાવે છે, અને એ જ જીભ સંબંધો બગાડે છે માટે ભાઈ તમે, લુલીને વશમાં રાખો.
- તલવારનાં ઘા રૂઝાય, પણ વાણી ઘા રૂઝાતા નથી.
- જેનો સ્વભાવ સુંદર છે, તેને જીવનમાં બધુ સુંદર લાગે છે.
- ધ્યેય વગરનું જીવન નકામું છે.
- મુર્ખ મિત્ર કરતાં બુદ્ધિશાળી દુશ્મન સારો.
- શ્રમ વગર મળેલી સંપત્તી, એક જાતની આપત્તિ છે.
- ઈર્ષાળુ માનવીને કદી શાંતિ મળતી નથી.
- ધનજીભાઈ નડીઆપરા


