Get The App

અમૃતવાણી .

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
અમૃતવાણી                                                                                      . 1 - image

- રજ સરખી મલિનતા પણ પ્રભુ સ્વીકારતો નથી, એટલે તો તે પુષ્પોને ઝાકળથી ધૂએ છે.

- ન ધન રહે, જોબન રહે, રહે ન ગામ ઔર કામ, તુલસી જગમેં જશ રહે, કર દે કીસી કા કામ.

- કાળ છોડે નહિ કોઈને, ભલે હોય ભગવાન, ભીલે ભાલું ભોંક્યું, કૃષ્ણ હતા બળવાન.

- લક્ષ્મી ચલત છે, શ્વાસ ક્ષણભંગુર છે, જવાની તો ચાલી જવાની, પણ જગતમાં જે એક જ વસ્તુ અચળ છે તે સત્ય છે.

- મોત જેવું કશું છે જ નહિ, આપણે જેને મરણ કહીએ છીએ, તે તો માત્ર સ્થળાંતર જ છે.

- દુનિયાના કોઈ પશુ-પક્ષી ક્યારેય પોતાના સંતાન પાસે સેવા-સહાયતાની આશા રાખતા નથી.

- ગાય ઘાસ ખાઈને દૂધ આપે, સાપ દૂધ પી ને ઝેર આપે આપણે...?

- અવગુણ એટલે વહાણના તળિયામાં પડેલું કાણું. નાનું હોય કે મોટું અંતે તો ડૂબાડે જ.

- સુવિધા અને સંપત્તિ વ્યક્તિને આળસુ અને વિલાસી બનાવે છે.

- વ્યક્તિને ઉન્નત બનાવે છે ધર્મ, પતિત બનાવે તે અધર્મ.

- મહાભારત કહે છે, 'સંપૂર્ણ ચંદ્રવંશી, સૂર્યવંશી, રઘુવંશી તથા કુરુવંશી રાજાઓ નિત્ય પવિત્ર થઈ પરમગતિને આપનાર ગાયત્રીમંત્રનો જપ કરે છે.

- પાપ અને સાપ લપાતા ચાલે છે પરંતુ એ છૂપા રહી શકતા નથી.

- અવસ્થા આવતા પહેલા જે વ્યવસ્થા કરી લે છે તેને દુ:ખનો અસ્થમા સતાવતો નથી.

- વેરના નાગને છાતી પર બેસાડી રાખી તમારી ઊંઘ કાયમ માટે હરામ કરવી ઇચ્છશો નહિ.

- ધન મેળવવું નીતિથી, વાપરવું પ્રીતિથી, ભોગવવું રીતિથી તો બચશું દુર્ગતિથી.

- વેદવ્યાસજીના બે વચન છે, પરોપકાર એ પુણ્ય છે અને પરપીડન એ પાપ.

- સુખી થવા યાદ રાખો.... રડવું નહિ, લડવું નહિ અને કોઈને નડવું નહિ.

- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ