- તૃપ્તિ ભોગમાં નહિં, ત્યાગમાં છે.
- પ્રેમ આપે છે, જ્યારે સ્વાર્થ લઈ લે છે.
- યૌવન, સંયમ અને સૌંદર્ય શીલતાથી શોભે છે.
- મહાનતા હંમેશા સદ્ગુણો અને સત્કર્મોથી મળે છે.
- બીજાનાં દુ:ખ દુર કરવા ઉપાય કરશો તો તમારા દુ:ખ દુર થશે.
- કડવી વાત પણ હસીને કહેવાથી મધુર થઈ જાય છે.
- મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા.
- જ્ઞાાન સંઘરશો તો ઘટશે, વહેંચશો તો વધશે.
- સદ્વિચારોથી કોમળ કોઈ ઓશિકું નથી.
- કોઈપણ શત્રુને નાનો કે પામર ન સમજવો.
- આળસ, મનુષ્યના શરીરમાં રહેલ સૌથી મોટો શત્રુ છે.
- મુર્ખાઈથી દૂષણનો આરંભ થાય છે, અને પશ્ચાત્તાપથી અંત.
- બોલીને પીડા ઉભી કરવી, એના કરતાં ન બોલીને પીડા સહન કરવી સારી.
- દુ:ખ આવતા પહેલા જે દુ:ખી થઈ જાય એને દુ:ખ વધુ પજવે છે.
- પૈસામાં ભલે કરકસર કરો, પણ માણસાઈમાં ઉદાર રહો.
- ધનજીભાઈ નડિઆપરા


