પ્રાસાદ મંડન ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે જે પુણ્યશાળી આત્મા જિનાલયનાં ઉત્તુંગ શિખર ઉપર ધજા ચઢાવે છે, તે સ્વર્ગ અને મોક્ષના ફળ મેળવે છે. તેની ભૂતકાળની ૫૦ પેઢી, વર્તમાનકાળની ૧ અને ભવિષ્યકાળની ૫૦ પેઢીનો, દુર્ગતિમાંથી ઉધ્ધાર થાય છે. આનો સીધો અર્થ એમ કાઢી શકાય કે અત્યારે આપણે દુર્ગતિમાં નથી એનું કારણ આપણી પાછલી ૫૦ પેઢીમાંથી કોઈ પુણ્યાત્મા એ જિનાલયના શિખર ઉપર ધજા ચઢાવેલી હોઈ શકે છે. તો શું આવું જ પુણ્યનું કામ યથા શક્તિ આપણે આપણી આગલી ૫૦ પેઢી માટે ન કરી શકીએ ? અથવા કે આપણી પાછલી ૫૦ પેઢીમાંથી કોઈ દુર્ગતિમાં હોય, તો દાદાની ધજા ચઢાવી આપણે એને બહાર ન કાઢી શકીયે ?


