Gujarat

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 668 વ્યક્તિઓના કોરોન્ટાઈન પિરિયડ પૂર્ણ

By GS Team
16 Apr 20201 min read
This article was originally published on 16 Apr 2020
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 668 વ્યક્તિઓના કોરોન્ટાઈન પિરિયડ પૂર્ણ
ખંભાળિયા, તા. 16 એપ્રીલ 2020, ગુરુવાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી. જ્યારે અન્ય મોટા શહેરોની સરખામણીમાં કહી શકાય તેમ આ જિલ્લામાં કોરોના વાયરસ ની બીમારી સંદર્ભે શંકાસ્પદ જણાતા લોકોના ટેસ્ટની સંખ્યા પણ ખૂબ જ ઓછી છે.

આ બાબતે સ્થાનિક આગેવાનો, જાણકારોમાં પણ ચિંતા સાથે ચર્ચાનો વિષય બન્યો છે. આ પરિસ્થિતિમાં તાજેતરમાં કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા 101 એક વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગે ગઈકાલે બુધવારે કોરોના અંગે વધુ છ વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા તેઓના રિપોર્ટ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલ્યા છે. તેનો રિપોર્ટ સંભવતઃ આજે સાંજ સુધીમાં આવી જશે.

આ સહિત આજ સુધી માં 144 ટેસ્ટ થયા છે. આ ઉપરાંત અહીના આઇસોલેશન વોર્ડમાં બે તથા જામનગરની જી.જી. હોસ્પિટલમાં આ જિલ્લાની એક વ્યક્તિને હાલ દાખલ કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ 668 વ્યક્તિઓના કોરોન્ટાઈન પિરિયડ પૂર્ણ થયા છે જ્યારે આજ સુધી માત્ર એક જ વ્યક્તિ હોમ કોરોન્ટાઈનમાં છે.