કલ્યાણપુરના ભાટીયા ગામના તળાવમા આપઘાત કરવા પડેલ વૃદ્ધાને બચાવવામાં આવ્યા
જામખંભાળિયા, તા. 22 એપ્રીલ 2020, બુધવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોક ડાઉન અન્વયે કલ્યાણપુર તાલુકાના ભાટીયા પંથકમાં સ્થાનિક પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ભાટીયા ગામ પાસે આવેલા કેસરીયા તળાવમાં એક વૃદ્ધા આપઘાત કરવા માટે પડ્યા હોવાનું પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફની નજરે પડ્યું હતું.
ભાટિયા પોલીસ સ્ટાફ દ્વારા તળાવમા પડી, વૃદ્ધાને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને હેમ-ખેમ પોલીસ સ્ટેશન લાવી તેઓનુ નામ પુછતા તેણીએ વેજીબેન મુરુભાઇ માવદીયા પ્રજાપતી (ઉ.વ. 71, રહે.ગણેશવાસ, ભાટીયા) હોવાનુ જણાવ્યુ હતું. પોલીસની પૂછપરછમાં તેણી માનસીક રીતે કંટાળીને આપઘાત કરવા પડ્યા હોવાનુ જણાવ્યું હતું.
આથી તેમના પરીવારને પોલીસે પોલીસ મથકે બોલાવીને તેમના પરીવારને સોંપ્યા હતા. વૃદ્ધાના પરીવારએ પોલીસને જણાવ્યું હતું કે વેજીબેનને અવસ્થાના લીધે અમુક સમયે મગજ કામ કરતુ ન હોય, જેથી ઘરેથી તેમના પુત્રવધુ સાથે ઝઘડીને આપઘાત કરવા નીકળી ગયા હોવાનુ જણાવ્યું હતું. આ તેમના પુત્રવધુ પણ ઘરેથી નાસી ગયા હોય, જેમને પેટ્રોલીંગ દરમ્યાન આ વિસ્તારમા મળી આવતા તેમના પરીવારને સુરક્ષીત પરત સોંપ્યા હતા.