Get The App

ખંભાળિયામાં સુખનાથ મંદિર પાસે પુલ ઘોવાયો દાતા ગામે પુલમાં બાકોરૂં

- નારાયણનગર તળાવમાં ફેરવાયું, ૩ મોટરકાર ડૂબી ગઈ

- મહાપ્રભુજી બેઠક પાસે દીવાલ ધરાશાયીં

Updated: Jul 6th, 2020

GS TEAM

Google News
Google News
ખંભાળિયામાં સુખનાથ મંદિર પાસે પુલ ઘોવાયો  દાતા ગામે પુલમાં બાકોરૂં 1 - image


બગીચામાં ટ્રેકટર ઉપર વૃક્ષ તૂટી પડયું, અનેક માર્ગોનું ધોવાણ

ખંભાળિયા, તા. ૬ જુલાઈ, ૨૦૨૦, સોમવાર

ખંભાળિયા પંથકમાં ગત રોજ ત્રાટકેલા ભારે વરસાદે વ્યાપક ખાનાખરાબી વેરી છે. ખંભાળિયામાં સુખનાથ મંદિર પાસેનો પુલ ધોવાઈ ગયો હતો. દાતા ગામ પાસે પુલમાં બાકો પડી ગયું હતું. મહાપ્રભુજીની બેઠક પાસે ધોડપુરને લીધે દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. પાલિકાના બગીચામાં ટ્રેકટર ઉપર વૃક્ષ તુટી પડયું હતું. જ્યારે નારાયણ નગર વિસ્તાર તળાવમાં તબદીલ થતા ૩ કાર ડુબી ગઈ હતી. ભારે વરસાદથી ખંભાળિયાના અનેક માર્ગો ધોવાઈ ગયા છે. 

શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની બનાવો બન્યા હતા. શહેરની મધ્યમાં આવેલા મ્યુનિસિપલ ગાર્ડનમાં રાખવામાં આવેલા એક ટ્રેકટર પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ટ્રેકટરને નુકશાની થવા પામી હતી. ખંભાળિયાના પોશ વિસ્તાર રામનાથ સોસાયટી નજીક આવેલા નારાયણનગર ખાતે એક કોમ્પ્લેક્ષ વિસ્તારમાં તળાવ જેવી પરિસ્થિતિ સર્જાતા આ વિસ્તારમા પાર્ક કરીને રાખવામાં આવેલી ત્રણ મોટર કાર ડુબી ગઈ હતી. 

ખંભાળિયા શહેરમાં માર્ગોનું ધોવાણ થયું હતું. મોટા મોટા ગાબડા જોવા મળ્યા હતા. ડામર રોડ તથા શહેરના સી.સી. રોડ ધોવાઈ જતા વાહનચાલકો ભારે હાલાકીમાં મૂકાઈ ગયા હતા. ખંભાળિયા ના સુખનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા પુલ પરથી ગઈ કાલે ભયાવહ પાણી વહેતા આ વિસ્તારમાં આ પુલ પર બનાવવામાં આવેલી સિમેન્ટ કોક્રિટની રેલીંગ પાણીમાં વહી ગઈ હતી. પુલ પરનો સી.સી.રોડ ધોવાઈ ગયો હતો. તેથી પુલ પરનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. 

ખંભાળિયા જામનગર હાઈવે પાર આવેલા દાતા ગામે નેશનલ હાઈવેને જોડતો પુલ ગત વર્ષે બનાવવામાં આવ્યો છે. અતિભારે વરેસાદના કારણે ફૂલ અને રસ્તાને જોડતા જોડાણમાં બંગાળ સર્જાતા મોટું બાકોરૂં પડી ગયું હતું. અને આને કારણે વાહન વ્યવહાર પણ અટકી ગયો હતો. જો કે હાલ કામચલાઉ રીતે વ્યવહાર પૂર્વવત કરાયો છે. ગામમાં પાણી ઘુસી ગયા હતા. અને અનેક ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી તણાઈ ગઈ હતી. આટલું જ નહીં, કેટલાક આસામીઓના બકરા પણ પાણીમાં તણાઈ ગયા હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળેલ છે.  

ખંભાળિયાના પાદરમાં આવેલી મહાપ્રભુજીની બેઠકમાં ચાર થી પાંચ ફુટ જેટલું પાણી ભરાઈ આવતા આ સ્થળે ભારે કફોડી હાલત થઈ હતી. આટલું જ નહીં, નદીના વહેણામાં અને નિર્માણાધિન પુલ પાસેથી ગ્રામ્ય વિસ્તારોના ઝાડી ઝાંખરા બેઠકમાં તણાઈ આવ્યા હતા. આ ભયાવહ પુરના કારણે નજીક આવેલા પુલની રેલિંગ તુટી ગઈ હતી અને આ વિસ્તારના એક આસામીની દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઉપરાંત ઘરમાં પણ નુકશાની થવા પામી હતી. બેઠકમાં પાણી તથા કીચડના કારણે આજે ભાવિકો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. 

Tags :