દિલ્હીની વાત
વૃધ્ધોનો સ્માર્ટફોન પ્રેમ
વૃધ્ધોનો સ્માર્ટફોન પ્રેમ
નવી દિલ્હી, તા. 2 ઓક્ટોબર, 2017, સોમવાર
દિલ્હીના ૭૫ ટકા કરતા વધુ વયસ્કો સ્માર્ટફોન વાપરે છે, એનું કારણ એ છે કે તે ફોન તેમને ફીટ રહેવામાં મદદરૃપ થાય છે. આ બાબત 'એઇમ્સ'(ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સિઝ) દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં સિધ્ધ થઈ છે.
કેટલાક વયસ્ક નાગરિકો સાશંક
જોકે કેટલાર વરિષ્ઠ નાગરિકોને આ અંગે શંકા છે. તેમ 'ગેરિઆટ્રીકસ'વિભાગના નાયબ વડા પ્રો. પ્રસૂન ચેટર્જીની માન્યતા છે. તેમના મતે, કેટલાક વયસ્ક લોકોને હજી પણ આધુનિક ટેકનોલોજીની ઉપયોગીતા અંગે શંકા છે.
યમૂના કચરામાં અટવાઈ
શહેરમાં થયેલી દુર્ગા પૂજાના ૪૦૦ જેટલા પંડાલોમાંથી દેવીની મૂર્તિઓ, પૂજન સામગ્રી અને અન્ય, પ્લાસ્ટિક થેલીઓ, વગેરે લોકોએ યમૂનામાં ઠાલવતા તેનો પ્રવાહ આ બધી સામગ્રીના કારણે અટવાયો હતો. દિલ્હીમાં ૪૦૦ જેટલા સ્થળે દુર્ગા પૂજાના મંડપ નંખાયા હતા.
ખાદીને પૂનર્જિવન મળ્યું
મહાત્મા ગાંધી માટે ખાદીએ, સ્વાશ્રય, અવલંબન અને કઠોર પરિશ્રમનું પ્રતિક હતી. પણ હવે હસ્તોદ્યોગમાં વધુને વધુ કલાત્મક અને ફેશનેબલ વસ્તુઓ ઉમેરાતી જતી હોવાથી, ખાદીને નવજીવન પ્રાપ્ત થયું જણાય છે.
યુવાનોમાં પણ તેને ક્રેઝ
ફેશન ડિઝાઈન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વડા સુનિલ શેઠીના મતે, યુવાનોએ હવે ખાદીને એક પ્રતિકાત્મક તેમજ ભારતના ગૌરવરૃપે ગણવાનું ચાલુ કર્યું છે. જ્યારે ફેશન ડિઝાઈન કાઉન્સિલ પણ ભારતના ખાદી સબંધી ભવ્ય વારસા અંગે ગૌરવ વ્યક્ત કરે છે અને તે માટેની તેમની કામગીરી પણ પ્રસંશનિય છે.
રાહુલની આમેઠી મુલાકાત
કોંગ્રેસના નાયબ વડા રાહુલ ગાંધીની ૪ થી ૬ ઓક્ટોબરની પ્રાસ્તાવિત મુલાકાતે શાબ્દિક ટપાટપી જગાવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ યોગેશ કુમારે કોંગ્રેસના રાજ્ય એકમને, તારીખમાં ફેરફાર કરવા કહ્યું છે. કેમકે દુર્ગાપૂજા, મોહરમ અને દશેરા અંગેના કાર્યક્રમો પાંચમી ઓકટોબર સુધી ચાલવાના છે. પણ કોંગ્રેસ તેમના કાર્યક્રમ સબંધે મક્કમ છે.
- ઇન્દર સાહની