વિનસ હોસ્પિટલ સુરતની જ નહીં ગુજરાત માટે નવું નજરાણું બનશે
- દેશનીઆવતીકાલ સ્વસ્થ બને તે માટેની આયુષ્માન યોજના લઈને વર્તમાનમાં સરકાર કામ કરી છેઃ વડાપ્રધાન
- પહેલાની સરકારમાં રસીકરણનું બજેટ વપરાતું પણ રસીકરણ થતું ન હતું હવે વધુ રસીકરણ થઈ રહ્યું છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 30 જાન્યુઆરી 2019, બુધવાર
સુરતની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય સાથે સાથે અનામતના મુદ્દે પણ ખુલીને વાત કરી હતી. તેઓએ કહ્યુ ંહતુ ંકે, પહેલાની સરકારમા પણ યોજના હતી પણ કામગીરી થતી ન હતી જ્યારે અમારી સરકારમાં કામગીરી થાય છે. અનામત અંગે તેઓએ કહ્યું હતું કે, સવર્ણોમાં આક્રોશ હતો તેથી સંવિધાનમાં સંશોધન કરીને સવર્ણના ગરીબ બાળકોને ૧૦ ટકા શિક્ષણ અને નોકરીમા અનામત આપ્યું છે તેનો અમલ કરવામાં ફરી એક વાર ગુજરાત અગ્રેસર રહી છે. આપણો દેશની આવતીકાલ પણ સ્વસ્થ્ય બને તે માટે કેન્દ્ર સરકાર વ્યાપક યોજના લઈને કામગીરી કરી રહી છે.
સુરતની વિનસ હોસ્પીટલના ઉદ્દઘાટન વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું મારા માટો સૌભાગ્ય છે કે છે ટુંકા સમયમાં મને ગુજરાતમાં બે આધુનિક હોસ્પીટલનું ઉદ્દઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું. અમદાવાદમાં વી.એસ. હોસ્પીટલ સાથે સરદાર પટેલના નામ સાથે અત્યંત આધુનિક હોસ્પીટલનું નિર્માણ થયું છે. આજે અહીયા આ હોસ્પીટલનું ઉદ્દઘાટન કર્યું છ તે માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે એક નવું નજરાણું મળ્યું છે.
સેવંતીભાઈએ સેવાભાવથી અહી જે હોસ્પીટલ શરૂ કરી છે તેમાં મારી શુભકામના છે. એ વાત નિશ્રિત છે કે રાજ્યની પ્રગતિમાં નાગરિકનું જીવન, શિક્ષણ, સ્વાસ્થ્ય પર નિર્ભર છે. આપણો દેશ અને આવતીકાલ સ્વસ્થય બને તે માટેની વ્યાપક યોજના લઈને વર્તમાનમાં ભારત સરકાર કામ કરી છે. જન્મથી લઈને બુઢાપા સુધી દરેક ડગલેને પગલે સ્વાસ્થ્યની બાબતમાં ભારત એન રાજ્ય સ રકાર કામગીરી કરી રહી છે.આરોગ્ય માટેની વ્યવસ્થા પહોંચાડવાનો પ્રયાસ કરે છે.
ઉત્તમ બાળકના જન્મ માટે માતા સ્વસ્થય હોય તે ખુબ જરૂરી છે. ગર્ભવતિ ગરીબ માતાને સ્વસ્થય માતૃત્વ યોજનાની કામગીરીના કારણે બાળક માતાના મૃત્યુ દરમાં ઘણો જ ઘટાડો થયો છે. સ્વસ્થય બાળક માટે રસીકરણની કામગીરી થાય છે. રસીકરણ પહેલા પણ થતું હતું એન અમારી સરકારમાં પણ થાય છે. પહેલાં રસીકરણનો દર હતો તે ઘણો જ ચિંતાજનક હતો. બજેટ વપરાતું હતું પણ ટીકાકરણ થતું ન હતું. અમે ખાસ કેમ્પેઇન ચલાવી ઈન્દ્રધનુષ યોજના બનાવી પહેલાં કરતાં વધુ રસીકરણ કરવામા આવ્યું હતું.
હેલ્થ કેરની જેમ પ્રિવેન્ટીવ હેલ્થ કેરની પણ જરૂર છે. પહેલી વાર જ્યારે વડા પ્રધાન તરીકે લાલ કિલ્લા પરથી સૌચાલયની વાત કરી ત્યારે ઘણાં મજાક ઉડાવતા હતા.પહેલાં દેશમાં ૩૮ ટકા શૌચાલય હતા જ્યારે આજે દેશમાં ૯૮ ટકા શૌચાલય બન્યા છે. આવી જ રીતે પહેલાં યોગ માટે મજાક સાથે પણ ટીકા કરવામા ંઆવી હતી પરંતુ આજે ભારત જ નહીં પરંતુ દુનિયાએ પણ સ્વીકાર કર્યો છે.
હાલમાં ભારત સરકારે આયુષ્યમાન યોજના શરૂ કરવામા ંઆવી ત્યારે પણ ઘણી ટીકા કરવામા ંઆવી હતી. પરંતુ ૧૦૦ દિવસમાં એવા લોકો જીવનમા ંકલ્પના ન કરી શકતાં હતા તેવા ૧૦ લાખ લોકોએ લાભ લીધો છે. આ યોજના વિશ્વની સૌથી મોટી યોજના છે તે ૫૦ કરોડ લોકો માટે છે. અમેરિકા, કેનેડા અને મેક્સીકોની વસ્તી જેટલા લોકોને આ યોજના હેઠળ આવરી લેવામા ંઆવશે. આ યોજનાના કારણ લાખો લોકો લાભ લઈ રહ્યાં છે આવનારા દિવસોમા ંલાભ વધવાનો છે. તેનું પરિમાણ એવું આવશે કે ગુજરાતના બારડોલી, નવસારી, પારડી જેવા નાના શહેરોમાં હોસ્પીટલોની સંખ્યામા ંવધારો થશે. હેલ્થ સેન્ટરમાં પ્રાઈવેટ ઈન્વેસ્ટમેનટ અને પ્રાઈવેટ બિઝનેસની મોટી સંભાવના જોવા મળી રહી છે. તેના કારણે મોટા પાયે મેડિકલ કોલેજ જેવી સંસ્થા શરૂ થશે તેનો લાભ ભારતને સ્વસ્થ્ય બનાવવાની દિશામાં મહત્વનો ભાગ રહેશે. આ હોસ્પીટલ પણ આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલી છે તેની મને ખુશી છે આ યોજનામાં ગરીબ લોકોને લાભ મળશે.
આવી જ રીતે ભારતમાં જેનરિક દવાનું અભિયાન ચલાવવામા આવ્યું છે હજી વધારે સેન્ટર ઉભી કરીને ગરીબ મધ્યમ વર્ગના લોકોને સસ્તાભાવની દવા આપીને તેમને મદદરૂપ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
તેઓએ વધુમા ંકહ્યુ ંહતું કે, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે ઉમરગામથી અંબાજીના આદિવાસી વિસ્તારમાં એક પણ સાયન્સ ફેકલ્ટીની સ્કુલ ન હોવાથી તેનાથી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી જાય નહીં અને અનામતની લાભ પણ નહીં મળે. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે સાયન્સની શાળાઓ આદિવાસી વિસ્તારમાં શરૂ કરી તેનાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને મોટો ફાયદો થયો છે.
હાલમાં કેન્દ્ર સરકારે ૧૦ ટકાના અમાનતની જાહેરાત કરી તેના પર વડાં પ્રધાને કહ્યુ ંહતું, ખાસ કરીને સવર્ણ સમાજમાં એક આક્રોશ હતો આરક્ષણના મુદ્દે અમે ઘણી મોટી હિંમત કરીને સંવિધાનમાં પરિવર્તન કર્યું છે. કેટલાક રાજકીય પક્ષો અમારી વાત સ્વીકારતા ન હતા પરંતુ અમે સંવિધાનમાં સંશોધન કરીને સવર્ણોના ગરીબ વિદ્યાર્થીઓ માટે ૧૦ ટકા આરક્ષણ આપી દીધું છે. શિક્ષણ નોકરીમાં ગરીબ સવર્ણ સમાજને લાભ મળે અને જેમને મળે છે તેમનામાંથી જરા પણ ઓછું ન થાય તેવી રીતે આરક્ષણ આપ્યું છે. સમાજમાં તણાવ પેદા કર્યા સિવાય અમે નવું આરક્ષણનું મોડલ આપ્યું છે.
વ્યવસાય સાથે સેવંતીભાઈએ નિયમો ક્યારેય નથી તોડયાઃ નરેન્દ્ર મોદી
અશક્તાશ્રમ હોસ્પીટલને વિનસ હોસ્પીટલમાં પરિવર્તિત થઈ તેના બિલ્ડીંગનું લોકાપર્ણ માટે આવેલા વડા પ્રધાને હોસ્પીટલને પુનઃ જીવીત કરનારા ઉદ્યોગપતિ સેવંતિભાઈ શાહને ભરપેટ વખાણ કર્યા હતા. પોતાના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, સેવંતીભાઈના જીવનના મુલ્યે ઘણાં અગત્યના છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે વિદેશમાં ડેલીગેશન લઈ જવાનું હોય ત્યારે મારો આગ્રહ હોય કે સેવંતીભાઈ આવે એટલે તેઓ આવતાં પણ તેમના જીવનના મુલ્યોમાં કોઈ ફેરફાર કરતા ન હતા. થોડા દિવસ પહેલાં આ પરિવારના લોકો દિલ્હી આવ્યા ત્યારે તેઓએ વિસ્તારથી હોસ્પીટલ અંગેની વાત કરી હતી. તેમનો આગ્રહ હતો કે હું આ હોસ્પીટલમાં જરૂર આવું. સેવંતીભાઈ સાથેનો સંબંધ એટલો જુનો એટલે પરિવાર ભાવના કારણે હું આજે અહી આવ્યો છુ.ં વેપાર વ્યવસાય જગતમાં મુલ્યોમાં કોમ્પ્રોમાઈઝ કર્યા વિના વેપાર રોજગાર સાથે સેવા પણ સારી રીતે કરી શકાય છે. સમગ્ર વ્યાપક કુટુંબને સાથે રાખી પણ શકાય છે તે બધી બાબતે સેવંતીભાઈ પાસે છે.
૨૦૧ બેડની સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં બિન જરૂરી ખર્ચ નહીં થાયઃ સેવંતીભાઈ શાહ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
૧૦૦ વર્ષ કરતાં વધુ જુની અશક્તાઆશ્રમ હોસ્પીટલને ૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરી અતિઆધુનિક શ્રીમતિ રસીલાબેન સેવંતીલાલ શાહ વિનસ હોસ્પીટલને સજીવન કરનારા સેવંતીભાઈ શાહે કહ્યુ ંહતું કે, આ હોસ્પીટલમાં નિતિમત્તા સાથે ગુણવત્તા સભર આરોગ્ય સેવા આપવામાં આવશે. આ પ્રસંગે તેઓએ આવકાર આપતાં કહ્યુ ંહતું, દેશની સર્વાંગની તંદુરસ્તી માટે સતત કાર્યશિલ ઉર્જાપુરૂષ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમના વ્યસ્ત સમયમાંથી હોસ્પીટલના ઉદ્દઘાટન માટે સમય ફાળવ્યો તે અમારા માટે ઘણી મોટી વાત છે.
એથીકલ મેડીકલ પ્રેક્ટીસના બેઝ સાથે આ હોસ્પીટલના ઉદ્દઘાટન માટે નરેન્દ્ર મોદીથી શ્રેષ્ઠ કોણ હોઈ શકે. ૧૮ વર્ષથી સત્તા પર અને તે પહેલાં સત્તાધારી પક્ષના મહત્વના પદ પર હોવા છતાં તેમના પરિવારના સ્વજનો અને સંબંધિઓની જીવન શૈલી જ પ્રમાણિકતાની પ્રતિતિ કરાવે છે. ભારત સરકાર દ્વારા નાનામાં નાની વ્યક્તિને સારવાર માટે આયુષ્યમાન યોજના દ્વારા દેશના કરોડો લોકોને લાભ થશે તે પ્રશંશનિય છે. અમારૂ ધ્યેય પણ નિતિમત્તા સાથે આરોગ્ય સેવા પુરૂ પાડવાનું છે.
કોઈ પણ દર્દીને જરૂર કરતા ંવધુ સમય હોસ્પીટલમાં રહેવુ ન પડે બિન જરૂરી કંઈ પણ ખર્ચ ન થાય અને સંતોષકારક સેવા મળે તે માટે અમે કટીબધ્ધ છે. આ માટે અમને બધા જ તરફથી સહકાર મળી રહ્યો છે અને વધુ નિષ્ણાંત તબીબો અમને મળી રહ્યો છે. ભારત, ગુજરાત સરકાર, સુરત પાલિકા તથા અન્ય લોકોનો સહકારથી હોસ્પીટલમાં ઘણી સારી પ્રગતિ થઈ છે અને વધુ સંતોષ થાય તેવી પ્રતિતિ કરાવીશુ.
૧૯૬૯માં મે અને મારા ભાઈ રમણીકભાઈએ શરૂ કરેલી વિનસ કંપનીનું આ ગોલ્ડન જ્યુબીલી વર્ષ છે. આ વર્ષમાં વિનસ જેમ્સ પરિવાર દ્વારા આ હોસ્પીટલ સમાજને સમર્પિત થઈ રહી છે તેનો આનંદ છે. હોસ્પીટલમાં અમારા પરિવારથી સૌથી વધુ સક્રિય એવા હિતેશ અને ટીનાની આજે મેરેજ એનર્વસરી છે તે સોનામાં સુગંધ જેવું છે. મારા પરિવારની ત્રીજી પેઢી સુધી વહેલી સવારથી મોડી રાત સુધી કાર્યરત રહીને આ કામગીરી કરી છે તે ઘણી સારી વાત છે. તેઓએ વધુમા કહ્યુ ંહતું કે, ૨૦૧ બેડની આ સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં કોઈ પ્રકારનો બિન જરૂરી ખર્ચ ન થાય અને દર્દીઓ વધુ વખત રહેવું પણ ન પડે તે માટેનો પ્રયાસ કરવામા આવશે.
વડાપ્રધાનના કાર્યક્રમમાં સ્ટેજ પર ભપકાદાર ખુરશી સોફા જોવા નહીં મળ્યા
સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ વડાપ્રધાનનો કોઈ કાર્યક્રમ હોય એટલે કદાચ તે જ અને સ્ટેજ પર આરામદાયક ખુરશી સોફા હોય છે. પરંતુ સુરતની વિનસ હોસ્પિટલના કાર્યક્રમમાં સ્ટેજ પર કોઇ મોટો ભપકો કરવામાં આવ્યો ન હતો.
વિનસ હોસ્પીટલના બિલ્ડીંગના ઉદ્દઘાટન વખતે સ્ટેજની બંને તરફ મોટા સ્ક્રીન મૂકવામાં આવ્યા હતા મહેમાનો માટે સોફા અને ખુરશીઓ મૂકવામાં આવી હતી. જ્યારે સ્ટેજ પર વડાપ્રધાન આવે તે પહેલા આ ખુરશી મૂકવામાં આવી હતી જે તમામ સાદી ગાડી વાળી ખુશીઓ જોવા મળી હતી.
સ્ટેજની સામે મહેમાનો માટે આરામદાયક સોફા અને ખુરશીઓ હતી અને સ્ટેજ પર વડાપ્રધાન અને વિનસ હોસ્પિટલના સંચાલકો સહિતના મહાનુભવો બેસવાના હતા ત્યાં સાદી ખુશી જોઇને હાજર લોકોને આશ્ચર્ય થયો હતો. વડાપ્રધાન નો કાર્યક્રમ વિનાશ હોસ્પિટલ ખાતે બે વાગ્યાનો હોવા છતાં ૧૨ વાગ્યાથી જ મહેમાનો આવવાની શરૂઆત થઇ ગઇ હતી. વડાપ્રધાન આવવાના અઢીથી ત્રણ કલાક પહેલા ફરી એક વખત સ્ટેજ ઉપર સુરક્ષાકર્મીઓએ ચકાસણી કરી હતી.