Get The App

દિશીત જરીવાલા હત્યાકાંડ: આરોપી વેલ્સી, તેના પ્રેમી અને ડ્રાઇવરને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુક્યા

Updated: Dec 31st, 2019

GS TEAM


Google News
Google News
દિશીત જરીવાલા હત્યાકાંડ: આરોપી વેલ્સી, તેના પ્રેમી અને ડ્રાઇવરને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુક્યા 1 - image

સુરત, તા. 31 ડિસેમ્બર 2019, મંગળવાર

સુરતના ચકચારી દિશીત જરીવાળા હત્યા કેસમાં પત્ની સહિત પ્રેમી સુકેતુ મોદી અને ડ્રાઇવર ધીરેન્દ્ર સિંહને નિર્દોષ છોડી મુકાયો નિર્દોષ ઠરાવી છોડી મૂક તો હુકમ કર્યો છે.

ત્રણ વર્ષ પહેલા સુરતના ચકચારી દિશિત જરીવાલા હત્યા કેસમાં સંડોવાયેલી મૃતક આરોપી દિશીત જરીવાળાની પત્ની વેસ્સી, તેના પ્રેમી અને પિતરાઈ ભાઇ સની ઉર્ફે સુકેતુ હર્ષદભાઈ મોદી અને તેના ડ્રાઈવર ધીરેન્દ્રસિંહ જબરસિંહ ચૌહાણને આજે એડિશનલ સેશન્સ જજ ગોહિલે ફરિયાદ પક્ષ પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ જતા શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે.

દિશીત જરીવાલા હત્યાકાંડ: આરોપી વેલ્સી, તેના પ્રેમી અને ડ્રાઇવરને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુક્યા 2 - image

આ કેસની વિગત મુજબ 27 જૂન 2016ના રોજ પાર્લેપોઈન્ટ પર સર્જન સોસાયટીમાં દિશિત જરીવાલાની હત્યા તેની પત્ની વેલ્સી જરીવાલાના ઈશારે તેના પ્રેમી સની ઉર્ફે સુકેતુ હર્ષદભાઈ મોદી અને તેના ડ્રાઈવર ધીરેન્દ્રસિંહ જબરસિંહ ચૌહાણે હત્યા કરી નાંખી હતી અને કોઇને જાણ ન થાય તે માટે પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં જ વેલ્સી, સુકેતુ અને ધીરેન્દ્રને જેલના હવાલે કરી દીધા હતા.

દિશીત જરીવાલા હત્યાકાંડ: આરોપી વેલ્સી, તેના પ્રેમી અને ડ્રાઇવરને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મુક્યા 3 - image

સુરતના ચકચારી કેસમાં આજે એક કેસ કાર્યવાહી ચાલી જતા કોર્ટે શંકાનો લાભ આપી હતી ત્રણેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે. આ કેસની ફરિયાદ પક્ષે તપાસ પંચમાં તથા સાક્ષીઓ હોસ્ટાઇલ જાહેર થયા હતા જ્યારે આ કેસમાં નજરે જોનાર સાક્ષીઓ આ અન્ય સાક્ષીઓ તેઓ હોસ્ટાઇલ જાહેર થતા પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યાં છે.

Tags :