Get The App

સુરત: કોરોના દર્દી વધવા સાથે સેનેટાઈઝ અને બોર્ડની કામગીરીમાં ઉતારાતી વેઠ

- મહાનગરપાલિકાની બેદરકારી સંક્રમણ વધારી શકે છે

- મ્યુનિ. તંત્ર પોઝીટીવ વ્યક્તિની સોસાયટી કે ઘરની બહાર બોર્ડ ન હોવાથી લોકોને ખબર નથી પડતી અને સંક્રમણ વધવાની ભીતી વધી રહી છે

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News
સુરત: કોરોના દર્દી વધવા સાથે સેનેટાઈઝ અને બોર્ડની કામગીરીમાં ઉતારાતી વેઠ 1 - image

સુરત, તા.24 જુલાઇ 2020, શુક્રવાર

સુરતમાં કોરોના પોઝીટીવ દર્દી મળ્યા બાદ દર્દીના ઘર કે સોસાયટી અથવા કેમ્પસ બહાર પોઝીટીવ દર્દીની વિગત મુકવામાં મ્યુનિ. તંત્રની આળશ સંક્રમણ વધવારવા માટે કારણભુત બની રહી છે. સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં સંખ્યાબંધ લોકો પોઝીટીવ આવી રહ્યાં છે પરંતુ મ્યુનિ. તંત્ર હવે  પોઝીટીવ દર્દી મળે તે વિસ્તાર સેનેટાઈઝ કરવાની કામગીરી સાથે પોઝીટીવ દર્દીની માહિતી માટેના બોર્ડ મુકવાની કામગીરી યોગ્ય કરતી ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. આ પ્રકારની કામગીરી ન થતાં સોસાયટીમં પોઝીટીવ વ્યક્તિ હોવાની ખબર અન્ય સભ્યોને ન થતાં સંક્રમણ વધી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.

સુરતમાં એક માસ પહેલા કોરોનાના દર્દી મળતાં તો મ્યુનિ. તંત્ર દ્વારા તેના ઘર અને સોસાયટીની બહાર કન્ટેન્ટમેન્ટ જાહેર કરીને બોર્ડ લગાવી દેતી હતી. આ ઉપરાંત જે સોસાયટીમાંથી પોઝીટીવ વ્યક્તિ મળી હોય તે સોસાયટીને આખી સેનેટાઈઝ કરી દેતી હતી. જ્યારે લોકો ઘરમાં રહેતાં હતા ત્યારે સેનેટાઈઝ કરવાની કામગીરી સાથે પોઝીટીવ વ્યક્તિના બોર્ડ લગાવવાની કામગીરી સઘન કરી હતી.

પરંતુ હવે અન લોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને લોકો નોકરી ધંધા માટે બહાર ફરવા લાગ્યા છે  ત્યારે લોકોને સાવચેત રાખવા માટેની મ્યુનિ.ની કામગીરી પણ ધીમી થઈ ગઈ છે. સુરત મ્યુનિ. તંત્ર પોઝીટીવ દર્દીની વિગત અને સેનેટાઈઝની કામગીરી કરવાનો દાવો કરે છે પરંતુ તે ખોટો સાબિત થઈ રહ્યો છે.

છેલ્લા કેટલાક દિવસથી પાલ અને પાલનપોર વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓમાં કોરોનાના પોઝીટીવ દર્દીઓ મળી રહ્યાં છે આ દર્દીઓને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી રહ્યાં છે છતાં સોસાયટીના લોકોને જાણ શુધ્ધા નથી થતી.

પાલનપોરની કેટલાક કેમ્પસમાં પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા હોવા છતાં મ્યુનિ. તંત્રએ હજી સુધી સોસાયટીને સેનેટાઈઝ કરવાની કામગીરી કરી નથી. આટલું જ નહીં પરંતુ પોઝીટીવ વ્યક્તિ મળ્યા હોય તેના ઘર કે કેમ્પસ બહાર પોઝીટીવ વ્યક્તિ છે કે કોરોન્ટાઈન જેવા બોર્ડ લગાવવાની પણ તસ્દી લીધી નથી.

સુરત મહાનગરપાલિકાની આ બેદકારીના કારણે સોસાયટીના લોકોને જ ખબર નથી કે સોસાયટીમાં કોરોના પોઝીટીવ છે. આવી સ્થિતિ હોવાના કારણે લોકો પણ બેદરકાર થઈ રહ્યાં છે અને તેના કારણે કોરોનું સંક્રમણ વધી જાય તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે.



Tags :