Get The App

કતારગામ લગ્ન સમારંભમાં ફૂડ પોઈઝનિંગ થતા રસોઈયો પરિવાર સહિત ગાયબ

Updated: May 25th, 2022

GS TEAM


Google News
Google News
કતારગામ લગ્ન સમારંભમાં ફૂડ પોઈઝનિંગ થતા રસોઈયો પરિવાર સહિત ગાયબ 1 - image


- પાલિકાએ રસોઈયાનું ગોડાઉન સીલ કરી દીધું, આજનો ઓર્ડર પણ કેન્સલ કરાવી દીધો

- પાલિકાએ સ્થળ પર 113 લોકોને સારવાર આપી, 49 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે કોઈ ગંભીર નથી

સુરત,તા. 25 મે 2022, બુધવાર

સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં લગ્ન પ્રસંગના જમણવારમાં ફૂડ પોઈઝનીંગ બાદ પાલિકાએ રસોઈયાના કેટરીંગ પર દરોડા પાડ્યા હતા. ફૂડ પોઈઝનીંગની ઘટના બાદ અમરોલી- છાપરા ભાઠા વિસ્તારમાં રહેતા રસોઈયા પરિવાર ગાયબ થઈ ગયો હતો. પાલિકાએ કેટરિંગનું ગોડાઉન સીલ કરીને આજે બીજી જગ્યાએ ઓર્ડર હતો તે પણ કેન્સલ કરાવી દીધો હતો. આ ફૂડ પોઈઝનીંગની ઘટના બાદ પાલિકા તત્ર એક્શનમાં આવ્યું છે .

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ગજેરા સર્કલ નજીક ઘનશ્યામ પાર્ક સોસાયટીના લગ્ન પ્રસંગે સોસાયટી નજીક આવેલા નિત્યાનંદ ધામમાં ભોજન સમારંભ રાખ્યો હતો. સોમવારે રાત્રે રાખવામાં આવ્યો હતો જેમા 700થી વધુ લોકોએ ભોજન લીધું હતું. ભોજન સમારંભના બીજા દિવસે એટલે ગઈકાલે રાત્રે 200થી વધુ લોકોને ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી. ભોજન સમારંભમાં એક સાથે 200થી વધુ લોકોને અરસ થયાની જાણ થતાં પાલિકાના આરોગ્ય અને ફુડ વિભાગ દોડતો થયો હતો.  

કતારગામ લગ્ન સમારંભમાં ફૂડ પોઈઝનિંગ થતા રસોઈયો પરિવાર સહિત ગાયબ 2 - image

પાલિકા જ્યાં લગ્ન હતા તે સ્થળે પહોંચી ત્યાં અનેક લોકોને અસર જોતાં તાત્કાલિક લોકોને સ્થળ પર જ સારવાર આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેમાં મંગળવારે રાત્રી દરમિયાન 113 લોકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. ગઈકાલે રાત્રી દરમિયાન 46 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા. ત્યાર બાદ આજે વધુ  ત્રણ લોકોને ફૂડ પોઈઝનીંગની વધુ અસર થતાં વધુ ત્રણ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાતા કુલ 49 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. પાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સારવાર લઈ રહેલા તમામ લોકોની હાલત સુધારા પર છે કોઈ ગંભીર નથી.

પાલિકાએ ભોજન સમારંભ દરમિયાન ખોરાક અને મીઠાઈના સેમ્પલ લઈ ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ પગલાં ભરાશે. તે પહેલાં પાલિકાએ લગ્ન પ્રસંગે રસોઈ બનાવનાર અમરોલી છાપરાભાઠા પર રહેતા રાજેશ નામના રસોઈયાનું ગોડાઉન સીલ કરી દીધું છે. રસોઈયાનું ઘર અને ગોડાઉન ઉપર નીચે છે. જોકે પાલિકા તંત્ર આવે તે પહેલાં રસોઈયાનો પરિવાર ગાયબ થઈ ગયો છે. આ રસોઈયાની આજે મોટા વરાછા ખાતે લગ્ન પ્રસંગે એક ઓર્ડર હતો પરંતુ ગઈકાલની ફૂડ પોઈઝનીંગની ઘટના બાદ આ ઓર્ડર પણ કેન્સલ કરાવી પાલિકાએ વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :