Get The App

73એએની જમીનનો દસ્તાવેજ મંજુરી વગર કરી લેવાતા રૂા.5.45 કરોડનો દંડ

- ચોર્યાસી તાલુકાના પોપડા ગામની આદિવાસી પરિવારજનોની

- સિટીના નવાપુરાના રહિશને જમીનની બજાર કિંમત રૂા.1.81 કરોડ ગણીને ત્રણ ગણી રકમનો દંડ ફટકારાયો

Updated: Dec 6th, 2018

GS TEAM


Google News
Google News
73એએની જમીનનો દસ્તાવેજ મંજુરી વગર કરી લેવાતા રૂા.5.45 કરોડનો દંડ 1 - image

(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા. 06 ડિસેમ્બર 2018, ગુરૂવાર

ચોર્યાસી તાલુકાના પોપડા ગામની હળપતિ પરિવારજનોની જમીનના રેર્કડમાં ૭૩ એએ નો ઉલ્લેખ નહી હોવાનો ગેરલાભ લઇને જિલ્લા કલેકટરની મંજુરી લીધા વગર દસ્તાવેજ કરી દેવાના કેસમાં ઓલપાડ પ્રાંત ઓફિસરે ૭૩ એએના ભંગ બદલ જમીન ખરીદનારા તૈયબ કોકાવાલાને બજાર કિંમતના ત્રણ ગણા ગણીને રૂા.૫.૪૫ કરોડનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

ચોયાર્સી તાલુકાના પોપડા ગામે બ્લોક નં.૨૭૪ ની જમીનની માલિકી લક્ષ્મીબેન શાંતુભાઇની વિધવા સહિત ૧૩ પરિવારજનોની છે.આ જમીન ૭૩ એએ ની હોવાથી જમીન ખરીદતી વખતે જિલ્લા કલેકટરની મંજુરી લેવી ફરજિયાત છે. પંરતુ સુરતના નવાપરા મુછાળાની પોળમાં રહેતા તૈયબ ઇસ્માઇલ કોકાવાલાએ કોઇ પણ મંજુરી લીધા વગર ૨૦૦૫ માં વેચાણ દસ્તાવેજ કરાવી લીધા બાદ ૨૦૧૭ માં ગામ દફતરે નોંધ પાડવા ગયા હતા. ત્યારે આ જમીન ૭૩ એએ ની હોવાની સાથે કલેકટરની મંજુરી લીધી ન હોવાથી ગેરકાયદે દસ્તાવેજ કર્યાનુ ગણીને ૭૨ એએના ભંગ બદલ શરતભંગનો કેસ ગણીને નોટીસ ફટકારી હતી.

નોટીસ બાદ જવાબમાં કોકાવાલા તરફથી એવી રજુઆત થઇ હતી કે આ જમીનનું વેચાણ થયુ તે પહેલા રેકર્ડમાં કયાંય આ જમીન ૭૩ એએ હેઠળ આદિવાસી ખેડુત ખાતેદાર તરીકે જમીન ધારણ કરે છે, તેવી કોઇ નોંધ રેર્કડ પણ નોંધાઇ નહોતી. હકીકતમાં રેર્કડ પ્રમોલેશન વખતે ભુલથી ૭૩ એએ નિકળી ગયુ હતુ. બાદમાં આ જમીનના રેર્કડમાં ફરીથી સુધારો કરી દેવાયો હતો. આ કેસ ઓલપાડ પ્રાંત ઓફિસર આર.સી.પટેલ સમક્ષ ચાલી જતા જમીન મહેસુલ કાયદાની કલમ ૭૩ એએ (૧)ના ભંગ બદલ કલમ-૭૩ એએ ( ૪) હેઠળ ગેરકાયદેસર વેચાણખી દસ્તાવેજથી જમીન તબદીલ કરવાના કેસમાં તૈયબ કોકાવાલાને જમીનની બજાર કિંમતના રૂા.૧.૮૧ કરોડ અને તેની ત્રણ ગણી રકમ ગણીને રૂા.૫.૪૫ કરોડનો દંડ ફટકાર્યો હતો.

રેર્કડમાં 73 એએ નો ઉલ્લેખ ન હોવાનો ગેરલાભ ઉઠાવ્યો પણ ભેરવાયા

ઓલપાડ પ્રાંત ઓફિસરે હુકમમાં ટાંકયુ હતુ કે દસ્તાવેજ જોતા વેચાણ આપનાર તથા વેચાણ લેનાર બન્નેએ ઇરાદાપૂર્વક વેચાણ આપવાની અટક દર્શાવેલ નથી. આ જમીન ૧૯૮૧-૮૨ થી ૨૦૦૦ સુધીના ૭-૧૨ ના રેર્કડમાં  કલમ ૭૩ એએ ના આધિન હોવા અંગેનો ઉલ્લેખ છે. આ તમામ બાબતોથી વેચાણ રાખનાર વાકેફ હતા. છતા કોમ્ય્યુટરના રેર્કડમાં જે તે વખતે ૭૩ એએનો ઉલ્લેખ ન હોવાના કારણે ગેરલાભ લઇ વેચાણ દસ્તાવેજ કર્યો છે.

Tags :