Get The App

દાહોદના ઉચવાણીયા ગામે તળાવમાંથી યુવકની લાશ મળી

-લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી પોલીસે તપાસ હાથ ધરી

Updated: Oct 4th, 2019

GS TEAM

Google News
Google News
દાહોદના ઉચવાણીયા ગામે તળાવમાંથી યુવકની લાશ મળી 1 - image

દાહોદ તા.4 ઓક્ટાેમ્બર 2019 શુક્રવાર

દાહોદ તાલુકાના ઉચવાણીયા ગામે આવેલા એક તળાવમાં એક  યુવકની લાશ  મળી આવી હતી.આ  ઘટનાની જાણ પોલિસને ાૃથતાં પોલિસે લાશનો કબજા મેળવી નજીકના દવાખાના  ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

દાહોદ તાલુકાના ઉચવાણી ગામે  લાલા ફળિયામાં રહેતા જાગાભાઈ પુંજીયાભાઈ ભુરીયા સવારના સાતેક  વાગ્યે  ગામમાં આવેલા તળાવ પાસેથી પસાર  થઈ રહ્યા હતા .તે સમયે એક અજાણ્યા આશરે ૩૫ વષય યુવકની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ નજરે  પડી હતી. આ ઘટનાની જાણ આજુબાજુના બીજા રહીશોને કરતાં  તેઓ  સૃથળ પર દોડી આવ્યા હતા. 

આ બાબતની જાણ પોલિસ કરતાં કતવારા પોલિસ તાત્કાલિક ઘટના સૃથળે દોડી આવી  લાશનો કબજા લઈ નજીકના દવાખાને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. આ અજાણ્યા  યુવકના મૃતદહેને પગલે પંથકમાં અનેક ચર્ચાઓએ જોર પકડયુ છે. આ અજાણ્યો યુવક ક્યાનો હશે? તેની લાશ કુવામાં કેવી રીતે આવી પહોંચી?  હત્યા કે આત્મહત્યા કરી હશે? જેવા અનેક પ્રશ્નો હાલ લોકોના મનમાં ઘર કરી મુક્યુ છે  .તેવા  સમયે આ બાબતને ગંભીરતાથી લઈ પોલિસ દ્વારા આ સંદર્ભે  તપાસનો દોર શરૃ કરે તે જરૃરી છે.આ સંબંધે હાલ તો પોલિસે સીઆરપીસી કલમ મુજબ જાણવા જોગ નોંધી તપાસનો દોર શરૃ કર્યો છે. 

Tags :