Gujarat

ધાનપુરના નળુ ગામ પાસે છકડો પલટી જતા એક વ્યક્તિનું મોત

By GS Team
11 Jul 20191 min read
This article was originally published on 11 Jul 2019
ધાનપુરના નળુ ગામ પાસે છકડો પલટી જતા એક વ્યક્તિનું મોત

 દાહોદ  તા.11 જુલાઇ 2019 ગુરૂવાર

ધાનપુર તાલુકાના નળુ ગામે એક પેસેન્જર છકડાના ચાલકેે ગફલત ભરી રીતે હંકારી લાવી વળાંકમાં છકડાને પલ્ટી ખવડાવતા અંદર બેઠેલા પેસેન્જર પેકી એકને શરીરે  ગંભીર   ઈજા થતાં તેનુ મોત નીપજ્યુ હતુ જ્યારે બીજા પેસેન્જરોને શરીરે ઈજા પહોંચી હતી.

ધાનપુર તાલુકાના નળુ ગામેથી એક છકડાનો ચાલક પોતાના છકડામાં પેસેન્જરો ભરી પુરઝડપે  હંકારી પસાર થઈ રહ્યો હતો .તે સમયે રસ્તામાં વળાંક પર છકડાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતા છકડો પલ્ટી ખાઈ ગયો હતો .જે દરમ્યાન છકડામાં બેઠેલ પેસેન્જરોને શરીરે ઈજા થવા પામી હતી .આ પૈકી ધાનપુર તાલુકાના નળુ ગામે હોળી ફળિયામાં રહેતા રાજેન્દ્રલાલ શંકરભાઈ બારીયાને શરીરે  ગંભીર  ઈજા થતાં તેનુ મોત નીપજ્યુ હતુ.

આ સંબંધે મૃતક યુવકના પિતા શંકરભાઈ જુવાનસિંહ બારીયાએ ધા નપુર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.