Get The App

અમદાવાદમાં અપહરણના ગુનાનો આરોપી કતવારા બજારમાંથી ઝડપાયો

Updated: Mar 8th, 2020

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં અપહરણના ગુનાનો આરોપી કતવારા બજારમાંથી ઝડપાયો 1 - image

દાહોદ તા.8 માર્ચ 2020 રવીવાર

અમદાવાદના સરખેજ  પોલીસ મથકના અપહરણના ગુનાના એક આરોપીને દાહોદ તાલુકાના કતવારા પોલીસે  કતવારાના બજારમાંથી ઝડપી પાડયા હતો.

 હાલ હાળી,ધુળેટીના તહેવારને અનુલક્ષીને તહેવારને સમયે કોઈ અનીચ્છીય બનાવ ન બને તેની તકેદારી રાખવા તેમજ નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડવાના પોલીસ વિભાગમાં આદેશો થતાં દાહોદ જિલ્લાની પોલીસ એલર્ટ થઈ ગઈ છે .

આવા સમયે અમદાવાદ સરખેજ પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનાનો આરોપી વિક્રમભાઈ માવી (રહે.બોરખેડા, બીડ ફળિયુ, તા.જી.દાહોદ) નો દાહોદ તાલુકાના કતવારા બજારમાં હોવાની માહિતી મળતાં પોલીસે ગતરોજ કતવારાના બજારમાં કોમ્બીંગ હાથ ધર્યું હતુ  અને આરોપીને ઝડપી પાડયો હતો.

Tags :