Get The App

દેવગઢબારીયામાં રજવાડા સમયથી દર વર્ષે યોજાતો પરંપરાગત દશેરાનો મેળો

દેશી પાવા (વાંસળી) આકર્ષણનું કેન્દ્ર મોટી સંખ્યામાં ઉમટતા આદિવાસીઓ

Updated: Oct 16th, 2018

GS TEAM

Google News
Google News

દેવગઢબારીયા,તા.16,ઓક્ટોબર,2018,મંગળવારદેવગઢબારીયામાં રજવાડા સમયથી દર વર્ષે યોજાતો પરંપરાગત દશેરાનો મેળો 1 - image

દેવગઢબારીયા નગરમાં રજવાડા સમયથી દશેરાનો મેળો ભરાય છે. જે મેળો હાલ પરંપરાગત મુજબ ચાલ્યો આવતો દશેરાનાં દિવસે આજે પણ આ મેળો માણવા અનેક લોકો મોટી સંખ્યામાં આવે છે.

મેળામાં મનોરંજનના સાધનો જેવા કે ચકડોળ, મોતનો કુવો, બ્રેક ડાન્સ જેવા અનેક મનોરંજન ના સાધનોથી સજજ દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મેળામાં મનોરંજન ના સાધનો ચકડોળ, ચકેડી, મોતનો કુવો,  બ્રેક ડાન્સ જેવા અનેક મનોરંજનના સાધનોથી સજજ  દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મેળામાં મનોરંજનના સાધનો સહિત ખાણ પીણાની દુકાનોથી લઈ રમકડા તેમજ ઘરવખરી સામાનની પણ અનેક દુકાનો લાગે છે. આ મેળામાં ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા લોકો વાંસળી જે વગાડતા નાચગાન કરતાં જોવા મળે છે. આ પાવા વાહન અને આદિવાસી નૃત્ય એ મેળાનું   આકર્ષણનું કેન્દ્ર બીદુ સમાન જોવાય છે. આ મેળો માણવા છોટાઉદેપુર, ધાનપુર, ગરબાડા, તાલુકાના મોટી સંખ્યામાં લોકો મેળો માણવા આવતા હોય છે. મનોરંજનના સાધનોને પણ આખરી ઓપ અપાઈ ચૂક્યો છે.

Tags :