દેવગઢ બારિયાથી પીપલોદનો 14 કિમીનો હાઇવે બિસ્માર
-રસ્તા પરથી નીકળતા અધિકારીઓને પણ રસ્તાની કથળેલી સ્થિતિ દેખાતી નથીઃ નરી ઉદાસીનતા
દેવગઢ બારિયા તા.20 સપ્ટેમ્બર 2019 શુક્રવાર
દેવગઢબારિયા - પીપલોદનો ૧૪ કિમીનો સ્ટેટ હાઇવે અનેક સ્થળે પડેલા ખાડાઓના કારણે રસ્તો મટી જઇ ગાડા ચીલો બની ગયો હોવા છતાં તંત્ર સાવ ઉદાસીન છે.
માર્ગ પરથી નીકળતા અધિકારીઓની નજરે હજી આ માર્ગની બિસ્માર સ્થિતિ પડી નથી તેમ લાગી રહ્યું છે. વર્ષો વર્ષની બેકાળજીનું આ પરિણામ આવ્યું છે. ઉબડખાબડ માર્ગ પરના ખાડાઓમાં વરસાદના પાણી ભરાયેલા રહેતા હોવાથી રસ્તો ખતરનાક બની ચૂક્યો છે. આ રસ્તે પસાર થતાં અડધા કલાકથી વધુ સમય નીકળી જાય છે. રસ્તાની મરામત કરાવાતી નથી. સોશિયલ મીડિયામાં રસ્તાને લઇ અનેક ટીખળ થઇ રહી છે, છતાં તંત્રની આંખ ખુલતી નથી.