Editorial
ભારતના ભાવિના રાજકીય અને સામાજિક પરિદ્રશ્ય ઘડનારા પાંચ નિર્ણાયક પ્રવાહ
By GS Team
28 Jun 20265 mins read
પી. ચિદમ્બરમ્ના મતે, ભારત લોકશાહીથી અસમાનતા તરફ વળી રહ્યું છે. દેશમાં શ્રીમંતોની સંખ્યા વધશે, પરંતુ લાખો ગરીબોની સ્થિતિ પણ કથળશે. લોકશાહીનું પતન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, આંતરિક સ્થળાંતરથી ઓળખનું વિસર્જન, સાંસ્કૃતિક રાષ્ટ્રીયતા અને લઘુમતીઓનો ભય જેવા 5 મુખ્ય પ્રવાહો દેશની દિશા બદલી રહ્યા છે.
Summarized by AI; it may make mistakes. Check important info
પી. ચિદમ્બરમ્ના મતે, ભારત લોકશાહીથી અસમાનતા તરફ વળી રહ્યું છે. દેશમાં શ્રીમંતોની સંખ્યા વધશે, પરંતુ લાખો ગરીબોની સ્થિતિ પણ કથળશે. લોકશાહીનું પતન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, આંતરિક સ્થળાંતરથી ઓળખનું વિસર્જન, સાંસ્કૃતિક રાષ્ટ્રીયતા અને લઘુમતીઓનો ભય જેવા 5 મુખ્ય પ્રવાહો દેશની દિશા બદલી રહ્યા છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
- લોકશાહીથી અસમાનતા, દેશની બદલાતી દિશાનું વિચારપ્રેરક મૂલ્યાંકન
- શ્રીમંતો અને અતિ શ્રીમંતોની સંખ્યા વધતી રહેશે, છતાં પિરામીડના તળિયે રહેલા લાખો લોકોની સંખ્યા પણ વધતી જશે
મેં ઘણા વર્ષો સુધી ભારતમાં સામાજિક અને રાજકીય વલણોનું નિરીક્ષણ કર્યું છે. જે બાબત એક ઊંડા પ્રવાહ જેવી લાગે છે, સંભવ છે તેવું ન પણ હોય, અને કદાચ થોડા સમયમાં બદલાઈ પણ જાય. પસાર થતું વાદળ જરૂરી ઝાપટુ લાવી શકે, પણ તે હવામાનનું સ્થાયી પરિબળ નથી.
૧૯૪૭ મહત્વનો વળાંક હતું. સ્વતંત્રતા પછી અને સ્પષ્ટ પ્રભાવો અને પ્રવાહ જણાયા પણ તે અલ્પજીવી હતા, અને લોકોની નજરોથી દૂર ઘણા અસ્પષ્ટ પ્રવાહ સ્થાયી બની રહ્યા હતા. ઉદાહરણ તરીકે, ગાંધીજીના દૈવી દરજ્જા છતાં અને હજારો ગાંધીવાદી હોવા છતાં, ગાંધીજીની જીવનશૈલી, અહિંસા, સત્યાગ્રહ, ચરખો તેમજ સવિનય કાનૂન ભંગ ગાંધીજી પછી બે દાયકા સુધી પણ ન ટકી શક્યા. બીજી તરફ, બહુ ઓછાએ ભારતના ઝડપી શહેરીકરણની અપેક્ષા રાખી હતી, તેનાથી ઓછાએ હવામાન પરિવર્તન વિશે વિચાર્યું હતું અને તેનાથી પણ ઓછાએ માનવી તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વચ્ચેના જટિલ સંબંધ વિશે સમજ કેળવી હતી.
એક કહેવત છે, 'આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ છે, ખાસ કરીને ભવિષ્ય બાબતે' (નોબલ વિજેતા નીલ્સ બોહર અને અગ્રણી બેઝબોલ ખેલાડી યોગી બેરા). છતાં, હું આવા પ્રતિબંધિત ક્ષેત્રમાં ડગ માંડવા ઈચ્છું છું. મેં એવા ખાસ પાંચ પ્રવાહનું નિરીક્ષણ કર્યું છે જે આગળ જતા વધુ બળવત્તર તેમજ ઝડપી બની શકે. મને તે પસંદ નથી અને કેટલાકનો તો મને ભય છે, આ પ્રવાહો રોકવા અશક્ય લાગી રહ્યા છે.
લોકોની સરકાર તરીકે લોકશાહીનું પતન
લોકશાહી એટલે લોકોની સરકાર. લોકો સ્વતંત્ર જન્મ્યા છે અને તેમને અનેક સ્વતંત્રતાનો અધિકાર છે. એક લોકશાહી સરકાર એટલે એવી સરકાર જે લોકોના અધિકારોનો આદર કરે અને માન્ય રાખે, તેમજ એવી સંસ્થાઓ સ્થાપે જે આવા અધિકારોનું રક્ષણ કરે તેમજ અમલ પણ કરે. ફ્રીડમ હાઉસ, વી-ડેમ ઈન્સ્ટિટયુટ એન્ડ રિપોર્ટર્સ વિથઆઉટ બોર્ડર્સ (તમામ રિસર્ચ સંસ્થાઓ) વિવિધ સૂચકાંકોના આધારે દેશોને 'મુક્ત છે' અથવા 'મુક્ત નથી' તરીકે વર્ગીકૃત કરે છે. વધુને વધુ દેશોનો સ્કોર ઘટતો જાય છે. ૨૦૦૫માં ભારતનો સ્કોર ૭૭ હતો અને હવે તે ૬૩-૬૭ સુધી પહોંચી ગયો છે. ભારત સંભવિતપણે માત્ર ચૂંટણીલક્ષી લોકશાહી રહેશે અને ચૂંટણીઓ ઓછી મુક્ત અને ઓછી ન્યાયી રહેશે. એવું લાગે છે કે ભારતીયોને આ ઘટતા સ્કોરને કોઈ ચિંતા નથી કારણ કે તેમને કલ્યાણકારી યોજનાઓ અને બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યા છે અને દમનકારી સમાજિક માળખાને કોઈ પડકાર નથી. ચીનનો સ્કોર ઘણા વર્ષોથી સોમાંથી નવ આંક સુધી અટકેલો રહ્યો છે પણ અહેવાલો મુજબ ચીનના નાગરિકો ખુશ છે. ભારત કદાચિત એ જ પંથે છે.
એકાધિકારશાહી વિ. ઉદ્યોગસાહસિકો
હવાઈ પ્રવાસ, ટેલીકોમ્યુનિકેશન્સ, સીમેન્ટ, સ્ટીલ, પાવર, ફાર્માસ્યુટીકલ્સ, પેટ્રોલિયમ, સુરક્ષા ઉત્પાદનો, ખનન અને રિટેલ જેવા અર્થતંત્રના ઘણા ક્ષેત્રોમાં બે અથવા થોડી કંપનીઓનું પ્રભુત્વ છે. બીજા અનેક ક્ષેત્રોમાં પણ તેમ થઈ શકે. નાના અને મધ્યમ ઉદ્યોગો લગભગ ગાયબ થઈ જશે. એનજીઓને ઘોંટી નાખવામાં આવશે. આર્થિક સત્તા વધુને વધુ એકાધિકારની તરફેણમાં વિતરીત થશે. મૂડીવાદ અને મજૂર વચ્ચેનું સંતુલન સતત મૂડીવાદીઓની તરફેણમાં નમતુ જશે. આવકની વહેંચણી અમીર અને અતિશય અમીરની તરફેણમાં વધશે. આવકની અસમાનતા વધશે અને સમાજમાં સમાનતા ઓછી થશે.
આંતરિક સ્થળાંતર, ઓળખને વિદાય
અનેક મોટા શહેર બહુરંગી બની ગયા છે અને તેમાં અનેક ભાષાઓ, ધર્મો, સભ્યતા તેમજ ખાનપાનની રીતોનું મિશ્રણ જોવા મળે છે. અનેક નગરો પણ એ જ વાટે ચડયા છે. શહેરીકરણ અને વ્યાપક સ્થળાંતરણ ભારતમાં મુખ્ય પ્રવાહ બની જશે. હવે કોઈને પોતાનું વતન નહિ હોય અને સંયુક્ત પરિવારની જેમ વતન પણ લુપ્ત બની જશે. જોવા મળતા મોટાભાગના લોકો અજાણ્યા હશે. મિત્રોનું વર્તુળ નાનુ થતંજ જશે અને સંબંધો ઉપકરણો દ્વારા નિભાવાશે. વાતચીત મશીનોના માધ્યમથી થશે. કોઈપણ માનવી એકલો નથી હોતો જેવી કહેવતો ખોટી સાબિત થશે. માનવી વચ્ચેના સંબંધો ભાવનાઓ નહિ, પણ સોદાઓ નક્કી કરશે.જાતીય સંબંધો કદાચ ટકી જાય કારણ કે જાતીયતાના લાભ પ્રજનન કરતા વધુ છે.
સાંસ્કૃતિક રાષ્ટીયતા અને ભયભીત લઘુમતિઓ
વિજ્ઞાાન અને છદ્મ વિજ્ઞાાન (સ્યુડો સાયન્સ)ને અલગ પાડતી રેખા નાબૂદ થઈ જશે. જેમ વાસુદેવન મુકુન્થે લખ્યું હતું (ધી હિન્દુ, તારીખ ૨૩ જૂન, ૨૦૨૬) શૈક્ષણિક સંસ્થાઓ પૌરાણિક વિજ્ઞાાનને વિજ્ઞાાન તરીકે, દંતકથાને ઈતિહાસ તરીકે, કર્મકાંડને ટેકનોલોજી તરીકે અને તથ્યોની ચકાસણી માટે તિરસ્કારને સંસ્થાગત બનાવશે. વધુને વધુ આઈઆઈટીઓને પૌરાણિક વાર્તાઓ, પુનર્જન્મ અને વેદિક જીવશાસ્ત્રમાં સંશોધન કરવા પ્રેરિત કરાશે. સાંસ્કૃતિક પુનરુત્થાન મંદિરોની રચના અને હિન્દુ તહેવારોની ઉજવણીની આસપાસ જ ફરશે. અનેક નગરોમાં માંસ વેંચતી દુકાનો બંધ કરાશે. વધુ રાજ્યોમાં સમાન નાગરિક ધારો પસાર કરાશે. હિન્દુત્વ એજન્ડા પ્રત્યેના વિરોધને ડામી દેવાશે. વધુને વધુ બાળકો અને પુખ્તો માત્ર એક જ ભાષા, હિન્દીમાં લખી અને બોલી શકશે, પરિણામે સ્ટેમના વધતા અભ્યાસ અને ટેકનોલોજી પ્રેરિત વિશ્વ (જ્યાં સુધી હિન્દી અંગ્રેજી અને અન્ય ભાષાઓની સમકક્ષ ન બને)ના દરવાજા બંધ થશે. ધાર્મિક, ભાષાકીય અને જાતિય લઘુમતિઓ એવા ભય હેઠળ જીવશે કે ઐતિહાસીક રીતે વૈવિધ્યસભર આ દેશમાં તેમના બાળકો માટે કોઈ સ્થાને છે કે નહિ.
અતિ શ્રીમંત વિ. ગરીબોનો સમૂહ
ઉપર નોંધાયેલ પ્રવાહોની ૧૪૪ કરોડ લોકો પર ભારે અસર થશે, જે વસતી ઘટવાનું શરૂ થવા અગાઉ ૧૬૭ કરોડ સુધી પહોંચી જશે. કોઈપણ સરકાર આવે ભારત પાંચ અથવા વધુ ટકાના દરે પ્રગતિ કરતું રહેશે કારણ કે ભારતીયો અનાજ, વસ્તુઓનું ઉત્પાદન, ઉપભોગ અને નિકાસ કરતા રહેશે. શ્રીમંતો અને અતિ શ્રીમંતોની સંખ્યા વધતી રહેશે, છતાં પિરામીડના તળિયે રહેલા લાખો લોકોની સંખ્યા પણ વધતી જશે. તળિયે રહેલા આ લાખો લોકોમાં ઓછી માગ, ઓછો ઉપભોગ, જીવનના નીચા ધોરણ અને ઓછો વિકાસ જોવા મળશે. ઉપરાંત જો લાખો લોકોને ભારતના વિકાસમાંથી બાકાત રખાશે, તો તેમના જીવનધોરણ વધુ કથળશે. ભારતમાં સમાનતા ઓછી અને વધુ વિભાજિત અને વધુ રોષ હશે.
તમે આ પાંચ પ્રવાહો વિશે વિવાદ કરી શકો અથવા તેમાં ઉમેરો અથવા બાદબાકી કરી શકો, પણ એ વાતનો ઈન્કાર નહિ કરી શકો કે દેશની દિશા, જોવા મળતા પ્રવાહો વિશ્વમાં ભારતની સ્થિતિ નક્કી કરશે.








