Get The App

નગર પાલિકાના વોટર વર્ક્સ ઓરસંગ નદી આધારિત હોવાથી 6 માસથી એક દિવસના આંતરે પાણી મળતા ગૃહિણીઓ પરેશાન

-ઓરસંગ નદી ઉપર ચેકડેમ બાંધવા તથા હાફેશ્વરથી દાહોદ પાણી લાઈનમાંથી પાણી આપવા મંજુરી આપી પરંતુ બંને યોજનાઓ ફારસ રૂપ સાબિત થઈ

Updated: Nov 8th, 2019

GS TEAM


Google News
Google News
નગર પાલિકાના વોટર વર્ક્સ  ઓરસંગ નદી આધારિત હોવાથી 6 માસથી એક દિવસના આંતરે પાણી મળતા ગૃહિણીઓ પરેશાન 1 - image

છોટાઉદેપુર તા.8 નવેમ્બર 2019 શુક્રવાર

  છોટાઉદેપુર નગરમાં  પ્રજાને  છેલ્લા 6  માસથી નગર પાલિકા એક દિવસના આંતરે પાણી આપે છે. જેના કારણે  ગૃહિણીઓ હવે ત્રાહિમામ પોકારી રહી છે.હવે નગરપાલિકાના વોટરવર્ક્સ ઓરસંગનદી આધારીત  હોવાથી   મુશ્કેલી સર્જાઈ રહી છે. 

 ચાલુ વર્ષે ઉનાળામાં ઉનાળામાં પાણીનો પ્રવાહ ઝડપી ઉનાળાના બે માસ એક દિવસના આંતરે પ્રજાને પાણી મળ્યું નથી. ચોમાસુ આવતા પ્રજાને એમ હતું કે ,હવે રોજ પાણી મળશે પરંતુ એ માત્ર એક માસ મળ્યું અને ઓરસંગ નદીમાં ઘોડાપુર પાણી આવતા વોટરવર્ક્સ ની પાઇપ લાઈનો ધોવાઈ જતા પ્રજાને ઓરસંગનદીમાં ભરચક પાણી વહેતુ હોવા છતાં પ્રજાને એક દિવસના આંતરે પાણી મળે છે. જેના કારણે નગરજનો પરેશાન થઇ ગયા છે.

 થોડા  દિવસ અગાઉ તૂટેલી પાઇપ  લાઈનોનું પાલિકાના પદાધિકારીઓ દ્વારા રીપેરીંગ કામ શરૂ કરાયું સોશિયલ મીડિયા ઉપર નગર સેવકોએ ફોટા પણ મુક્યા અને પ્રજાની સેવા કરતા હોય તેવા વાખાણો મૂક્યા પરંતુ તા 30/10/19ના રોજ નદીમાં પાણી આવતા ફરી પાઇપો તણાઈ જતા આજે પણ પ્રજાને એક દિવસના આંતરે પાણી મળે છે. 

 છેલ્લા 6  માસ જેવા સમયથી નગરપાલિકા પ્રજાને એક દિવસના આંતરે પાણી આપે છે. તો સુ પાલિકા તંત્ર પાણી વેરા બીલમાં પ્રજાને રાહત આપશે? આ અંગે નગરપાલિકા સભ્ય  જણાવે છે કે પાલિકા તંત્ર પ્રજાને પાણી આપી ના શકી હોય તો પાણી વેરા વળતર માંગવાનો પ્રજાને પૂરો હક્ક છે. અને એ આપવો જોઈએ તેવી મારી માંગ છે. 

 આજથી નહિ વર્ષોથી છોટાઉદેપુર ને પાણીની ભારે મુશ્કેલી ઉનાળામાં પડે છે. તેને દૂર કરવા સરકારે ચાર કરોડ ઓરસંગ નદી ઉપર ચેકડેમ બાંધવા તથા હાફેશ્વરથી દાહોદ પાણી લાઈન માંથી પણ પાણી આપવા મંજુરી આપી છે પરંતુ આ બંને યોજનાઓ હાલમાં ફારસ રૂપ સાબિત થઈ છે  

Tags :