છોટાઉદેપુર જિલ્લો ગુજરાતના નકશામાંથી ગાયબ થઇ ગયો
-છોટાઉદેપુર જિલ્લો ગુજરાતના નકશામાંથી ગાયબ થઇ ગયો નસવાડી,છોટાઉદેપુર જિલ્લો ગુજરાતના નકશામાંથી ગાયબ થઇ ગયો નસવાડી,તા.૩૦ છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.૬ના સામાજિક વિજ્ઞાાનના પાઠય પુસ્તકમાં ગંભીર છબરડો બહાર આવ્યો છે. ગુજરાતના નકશામાંથી છોટાઉદેપુર જિલ્લો જ ગાયબ થઇ ગયો છે. હજીપણ છોટાઉદેપુર જિલ્લાને વડોદરાનો જ ભાગ બનાવવામાં આવ્યો છે. અને રાજ્યના ૩૩ જિલ્લાના બદલે ૨૬ જિલ્લાનો નકશો બતાવવામાં ાવ્યો છે. જેના કારણે બાળકોના અભ્યાસ ઉપર અસર થાય એમ છે. આનાથી બાળકો ગેરમાર્ગે દોરાશે. રાજ્યના ૩૩ જિલ્લાને બદલે ૨૬ જિલ્લાનો નકશો પ્રસિધ્ધ થતાં ગંભીર છબરડો છોટાઉદેપુર જિલ્લામાં ધો.૬ના સામાજિક વિજ્ઞાાનના રાજ્ય સરકારે મોકલેલા પુસ્તકોમાં ગુજરાતનો જે નકશો બતાવવામાં આવ્યો છે. તેમાં ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળની ગંભીર બેદરકારી સામે આવી છે. ધો.૬ના પાઠયપુસ્તકમાં ગુજરાતના નકશામાંથી છોટાઉદેપુર જિલ્લો ગાયબ થઇ ગયો છે. અને રાજ્યના ૩૩ જિલ્લાને બદલે ૨૬ જિલ્લાનો નકશો પાઠય પુસ્તકમાં અપાયો છે. છોટાઉદેપુર નવો જિલ્લો બન્યાને પાંચ વર્ષથી વધારે સમય થઇ ગયો છે. પરંતુ હજી પણ છોટાઉદેપુર જિલ્લો વડોદરાના બતાવાયો છે. આવા છબરડાથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ શૈક્ષણિક પરીક્ષાના પરિણામ ઉપર પણ માઠી અસર પડે તેમ છે.
નસવાડી,તા.૩૦ નવેમ્બર 2018 શુક્રવાર
છોટાઉદેપુર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.૬ના સામાજિક વિજ્ઞાાનના પાઠય પુસ્તકમાં ગંભીર છબરડો બહાર આવ્યો છે. ગુજરાતના નકશામાંથી છોટાઉદેપુર જિલ્લો જ ગાયબ થઇ ગયો છે. હજીપણ છોટાઉદેપુર જિલ્લાને વડોદરાનો જ ભાગ બનાવવામાં આવ્યો છે. અને રાજ્યના ૩૩ જિલ્લાના બદલે ૨૬ જિલ્લાનો નકશો બતાવવામાં ાવ્યો છે. જેના કારણે બાળકોના અભ્યાસ ઉપર અસર થાય એમ છે. આનાથી બાળકો ગેરમાર્ગે દોરાશે.
રાજ્યના ૩૩ જિલ્લાને બદલે ૨૬ જિલ્લાનો નકશો પ્રસિધ્ધ થતાં ગંભીર છબરડો
છોટાઉદેપુર જિલ્લામાં ધો.૬ના સામાજિક વિજ્ઞાાનના રાજ્ય સરકારે મોકલેલા પુસ્તકોમાં ગુજરાતનો જે નકશો બતાવવામાં આવ્યો છે. તેમાં ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળની ગંભીર બેદરકારી સામે આવી છે. ધો.૬ના પાઠયપુસ્તકમાં ગુજરાતના નકશામાંથી છોટાઉદેપુર જિલ્લો ગાયબ થઇ ગયો છે. અને રાજ્યના ૩૩ જિલ્લાને બદલે ૨૬ જિલ્લાનો નકશો પાઠય પુસ્તકમાં અપાયો છે. છોટાઉદેપુર નવો જિલ્લો બન્યાને પાંચ વર્ષથી વધારે સમય થઇ ગયો છે. પરંતુ હજી પણ છોટાઉદેપુર જિલ્લો વડોદરાના બતાવાયો છે. આવા છબરડાથી વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ શૈક્ષણિક પરીક્ષાના પરિણામ ઉપર પણ માઠી અસર પડે તેમ છે.