Business

100થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થતા હોબાળો, પાયલટોએ વ્યથા વર્ણવી, DGCA એ બોલાવી બેઠક

By GS TEAM
4 Dec 20252 mins read
TukuTouch Logo
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ્સ મોટા પાયે રદ્દ થવા અને વિલંબિત થવાની ઘટનાઓ બાદ નગર વિમાનન મહાનિદેશાલય (DGCA) એ કડક વલણ અપનાવ્યું છે. સમગ્ર દેશના એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ્દ થવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે, જેના પગલે DGCA એ ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક બેઠક માટે બોલાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

100થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ થતા હોબાળો, પાયલટોએ વ્યથા વર્ણવી, DGCA એ બોલાવી બેઠક

Indigo Airlines Crisis : દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની ફ્લાઇટ્સ મોટા પાયે રદ્દ થવા અને વિલંબિત થવાની ઘટનાઓ બાદ નગર વિમાનન મહાનિદેશાલય (DGCA) એ કડક વલણ અપનાવ્યું છે. સમગ્ર દેશના એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ્દ થવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે, જેના પગલે DGCA એ ઇન્ડિગોના વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક બેઠક માટે બોલાવ્યા છે.

100 થી વધુ ફ્લાઇટ્સ રદ્દ, DGCA એ રિપોર્ટ માંગ્યો

બુધવારે ઇન્ડિગોની 100 થી વધુ ફ્લાઇટ્સ રદ્દ થઈ હતી, જ્યારે અનેક સેવાઓ કલાકો સુધી વિલંબિત થઈ હતી. ત્યારે આજે પણ 150થી વધુ ફ્લાઈટો કેન્સલ કરાયાની માહિતી મળી રહી છે. જોકે હજુ સુધી તેની કોઈ પુષ્ટી થઈ શકી નથી. જેના કારણે યાત્રીઓ રઝળી પડ્યા છે. આ ફ્લાઈટ્સ કેન્સલ થવાનું કારણ પણ સામે આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક જ દિવસમાં બેંગલુરુ એરપોર્ટ પરથી 42, દિલ્હીથી 38, મુંબઈથી 33 અને હૈદરાબાદથી 19 ફ્લાઇટ્સ રદ્દ થઈ હતી. ઇન્ડિગો દરરોજ આશરે 2,300 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.

DGCA એ તપાસ શરૂ કરી 

DGCA એ ઇન્ડિગોના ઉડાન સંચાલનમાં આવેલી આ અડચણોની તપાસ શરૂ કરી છે અને એરલાઇન પાસેથી વર્તમાન પરિસ્થિતિના કારણો સાથે ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબ ઘટાડવાની વિગતવાર યોજના માંગી છે. ઇન્ડિગોએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે છેલ્લા બે દિવસથી 'અચાનક આવેલા વિવિધ ઓપરેશનલ અવરોધો'ને કારણે નેટવર્ક પર ગંભીર અસર પડી છે. આ માટે ટેકનિકલ ખામીઓ, શિયાળુ શેડ્યૂલમાં ફેરફાર, ખરાબ હવામાન, એર ટ્રાફિકમાં વધેલી ભીડ અને નવી ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન (FDTL) વ્યવસ્થાને જવાબદાર ગણાવવામાં આવી છે.

પાયલટ એસોસિયેશનની મહત્વની અપીલ

આ દરમિયાન, પાયલટ એસોસિયેશન ALPA India એ DGCA ને અપીલ કરી છે કે સ્લોટ ફાળવતી વખતે અને ઉડાન શેડ્યૂલને મંજૂરી આપતી વખતે એરલાઇન્સ પાસે ઉપલબ્ધ પાયલટોની વાસ્તવિક સંખ્યા અને તેમની પર્યાપ્તતાને ગંભીરતાથી જોવામાં આવે. ALPA એ જણાવ્યું કે નવી FDTL (Fatigue Risk Management System - થાક જોખમ વ્યવસ્થાપન પ્રણાલી) વ્યવસ્થા જાન્યુઆરી 2024માં જારી કરવામાં આવી હતી, તેમ છતાં ઘણી એરલાઇન્સે સમયસર તૈયારી કરી નહોતી. કેટલાક ઉડ્ડયન નિષ્ણાતો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબની આ સતત ઘટનાઓને નિયમોમાં છૂટછાટ મેળવવાના દબાણના હથકંડા તરીકે ઉપયોગમાં લેવામાં આવી શકે છે.