Get The App

બ્લોક ડીલ થકી રૂ.65,000 કરોડના શેરોનું વેચાણ

- મે મહિનામાં શેરબજારમાં બ્લોક ડીલના સોદામાં ૯ મહિનાનો રેકોર્ડ તૂટયો

- બલ્ક ડીલમાં ઉછાળો ચાર મહિનાના દુકાળ પછી આવ્યો કારણ કે શેરના ભાવમાં ભારે અસ્થિરતાને કારણે છેલ્લા ચાર મહિનામાં બલ્ક ડીલ લગભગ અટકી ગઈ હતી

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
બ્લોક ડીલ થકી રૂ.65,000 કરોડના શેરોનું  વેચાણ 1 - image


અમદાવાદ : શેરબજારમાં તાજેતરના ઉછાળા અને એપ્રિલમાં સૂચકાંકોના નીચા સ્તરેથી મજબૂત પુનરાગમન તેમજ વિદેશી રોકાણમાં વધારો થવાથી, લિસ્ટેડ કંપનીઓના શેરોનું જથ્થાબંધ વેચાણ પણ વધ્યું છે. આ મહિનામાં અત્યાર સુધીમાં બ્લોક અને બલ્ક ડીલ દ્વારા રૂ. ૬૫,૦૦૦ કરોડના શેર વેચાયા છે, જે ઓગસ્ટ ૨૦૨૪ પછીના કોઈપણ મહિનામાં સૌથી વધુ છે. બલ્ક ડીલમાં ઉછાળો ચાર મહિનાના દુકાળ પછી આવ્યો છે કારણ કે શેરના ભાવમાં ભારે અસ્થિરતાને કારણે છેલ્લા ચાર મહિનામાં બલ્ક ડીલ લગભગ અટકી ગઈ હતી.

આ મહિને ઘણા મોટા બલ્ક ડીલ થયા હતા. સિંગટેલે ભારતી એરટેલમાં રૂ. ૧૩,૨૨૧ કરોડના શેર વેચ્યા હતા. ઇન્ડિગોની પ્રમોટર કંપની ઇન્ટરગ્લોબ એવિએશનના સહ-સ્થાપક રાકેશ ગંગવાલે ૧૧,૫૬૪ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એ જ રીતે, સજ્જન જિંદાલ ફેમિલી ટ્રસ્ટે JSW સિમેન્ટમાં ૧,૨૧૦ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા અને એન્ટફિને પેટીએમમાં ૨,૧૦૪ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. તાજેતરના સોદામાં, બ્રિટિશ અમેરિકન ટોબેકોએ ITCમાં ૧૨,૯૪૧ કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. બજારમાં તેજી આવતાં ખરીદદારો તરફથી મોટાભાગના શેર વેચાણમાં મજબૂત માંગ જોવા મળી હતી.

બ્લોક ડીલ્સ હેઠળ, લિસ્ટેડ કંપનીઓના હાલના શેરધારકો દ્વારા મોટા પાયે શેરનું વેચાણ સ્ટોક એક્સચેન્જ પર એક સમર્પિત વિન્ડો દ્વારા કરવામાં આવે છે. આ મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા સંસ્થાકીય રોકાણકારોને શેરના ભાવમાં વધઘટ વિના મોટા પાયે કંપનીના શેર ખરીદવાની મંજૂરી આપે છે. આવા સોદા સામાન્ય રીતે તેજી અને બજારમાં પૂરતી તરલતાના સમયે જોવા મળે છે.

વૈશ્વિક વેપાર અનિશ્ચિતતા, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા વેચાણ અને નબળા કંપની પરિણામોને કારણે ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન પ્રાયમરી બજારમાં વધુ પ્રવૃત્તિ જોવા મળી ન હતી. જોકે, અમેરિકા દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટેરિફ પર બ્રેકથી રોકાણકારોની ચિંતા થોડી હળવી થઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામથી રોકાણકારોનું મનોબળ સુધર્યું છે.. નિફ્ટી ૭ એપ્રિલના નીચલા સ્તરથી લગભગ ૧૦ ટકા વધ્યો છે.

બજારના જાણકાર સુત્રોએ જણાવ્યું હતું કે, બજારમાં તાજેતરની તેજીને કારણે વેચાણકર્તાઓ વર્તમાન શેર ભાવે તેમના જથ્થાબંધ સોદા માટે ખરીદદારો શોધી શક્યા છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બંનેએ જથ્થાબંધ સોદા હેઠળ મોટી સંખ્યામાં શેર ખરીદ્યા હતા

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ત્રણ મહિના સુધી વેચાણ કર્યા પછી એપ્રિલ અને મે મહિનામાં ચોખ્ખા ખરીદદારો બન્યા હતા. યુએસ સાથે વેપાર સોદાની અપેક્ષા અને ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો થવાથી મોટા સોદાઓમાં વધારો થયો છે.

બેંકરો અપેક્ષા રાખે છે કે ૨૦૨૫ના બાકીના મહિનામાં પ્રાયમરી અને ગૌણ બજારોમાં પણ ઘણી પ્રવૃત્તિ જોવા મળશે અને જથ્થાબંધ સોદા પણ થશે. ફુગાવામાં નરમાઈ, રેપો રેટમાં વધુ ઘટાડો, કર રાહતો દ્વારા લોકોના હાથમાં વધુ પૈસા મૂકવા અને સારા ચોમાસાની આગાહીથી ભારતની વૃદ્ધિ ગાથા વધુ મજબૂત બનશે.


Tags :