Get The App

રિઝર્વ બેંક આજે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરે તેવી શક્યતા

- નબળી માંગ,ઘટતા ફુગાવા વચ્ચે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે નીતિગત સમર્થન જરૂરી

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
રિઝર્વ બેંક આજે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરે તેવી શક્યતા 1 - image


અમદાવાદ : રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ  આવતીકાલે રેપો રેટમાં ૦.૨૫% એટલે કે ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. ઉપરાંત, આગામી મહિનાઓમાં વધુ કાપના સંકેતો મળી શકે છે તેમ નુવામા ઇન્સ્ટિટયૂશનલ ઇક્વિટીઝના  અહેવાલમાં જણાવ્યું હતું.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં માંગ ધીમે ધીમે નબળી પડી રહી છે. ક્રેડિટ વૃદ્ધિ (લોન વિતરણની ગતિ), ઓટો વેચાણ, રિયલ એસ્ટેટ વેચાણ અને ઘરગથ્થુ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ફુગાવો પણ નરમ પડયો છે અને છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ ૪% થી નીચે રહ્યો છે.

આવી સ્થિતિમાં, વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો અવકાશ જ નથી, પરંતુ તેની જરૂર પણ છે. રિઝર્વ બેંકે તાજેતરના મહિનાઓમાં સિસ્ટમમાં સારી માત્રામાં તરલતા એટલે કે રોકડ મૂકી છે. મે મહિનામાં રૂા. ૧.૭ લાખ કરોડ અને જૂનની શરૂઆતમાં સિસ્ટમમાં રૂા. ૨.૫ લાખ કરોડથી વધુની તરલતા હતી. આવી સ્થિતિમાં, કેન્દ્રીય બેંક હાલમાં વધુ રોકડ સહાયની જાહેરાત કરશે નહીં, પરંતુ જરૂર પડયે લવચીક વલણ અપનાવી શકે છે. 

નુવામા કહે છે કે તાજેતરના મહિનાઓમાં સ્થાનિક અર્થતંત્રની ગતિ નબળી પડી છે. કંપનીઓની આવક અને નફામાં ઘટાડો થયો છે, લોકોની આવકની ગતિ ધીમી છે, ક્રેડિટ વૃદ્ધિ નબળી છે અને સરકારની રાજકોષીય નીતિ કડક બની રહી છે. ઓટો અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં પણ મંદી દેખાઈ રહી છે. એપ્રિલમાં હેડલાઇન ફુગાવો ઘટીને ૩.૨% થયો, જે જુલાઈ ૨૦૧૯ પછીનો સૌથી નીચો છે. આ  કારણોસર, વ્યાજ દરોમાં ઘટાડો લગભગ નિશ્ચિત છે.

Tags :