Get The App

અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની SEBIએ કરી પુછપરછ

Updated: Jan 28th, 2020

GS TEAM

Google News
Google News
અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની  SEBIએ કરી પુછપરછ 1 - image

મુબઇ,28 જાન્યુઆરી 2020 મંગળવાર

અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની  ઈનસાઈડર ટ્રેડિંગ મામલે તપાસ થઈ રહી છે. આ ઘટના અંગે જાણકારી રાખતા બે લોકોએ જણાવ્યું કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) આ તપાસ એપ્ટેક લિમિટેડના શેર બાબતે કરી રહી છે. 

આ એજ્યુકેશન કંપની ઝુનઝુનવાલા અને તેમના પરિવારની છે. સેબી આ પરિવારના અન્ય સભ્યોની પણ તપાસ કરી રહી છે, જેઓ આ કંપનીમાં શેરધારક છે.

તેમની સાથે ઈન્વેસ્ટર રમેશ એસ દમાણી અને કંપનીના ડિરેક્ટર મધુ જયા કુમાર સહિત બોર્ડના અન્ય મેમ્બર્સની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઈટી આ વાતની પુષ્ટિ કરતું નથી કે કયા સમયગાળા દરમિયાન ઈનસાઈડર ટ્રેડિંગના નિયમોનું કથિત રીતે ઉલ્લંઘન થયું હતું. સેબીએ ઝુનઝુનવાલા અને અન્ય લોકોને નોટિસમાં કહ્યું છે કે ઈનસાઈડર ટ્રેડિંગની સંદિગ્ધ બાબતે ‘તપાસમાં સહયોગ કરે’.

કંપનીઓના મેનેજમેન્ટમાં જોડાયેલા લોકો પાસે મહત્વની જાણકારી હોય છે અને તે જાણકારીને જાહેર કરતા પહેલા તેના આધારે શેરમાં ખરીદ-વેચાણ સાથે જોડાયેલું કોઈ પગલું ઉઠાવવામાં આવે, જેનાથી પ્રાઈઝ પર અસર પડે તો તેને ઈનસાઈડર ટ્રેડિંગ કહેવામાં આવે છે.

ઝુનઝુનવાલા ઉપરાંત તેમની પત્ની રેખા, ભાઈ રાજેશ કુમાર, સાસુ સુશીલા દેવી ગુપ્તાને પણ સેબીએ 24 જાન્યુઆરીએ બોલાવ્યા હતા.

ઝુનઝુનવાલા સેબીના તપાસ અધિકારી સામે હાજર થયા અને તેમની મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્ષ સ્થિતિ સેબીના મુખ્યાલયમાં અંદાજીત બે કલાક સુધી પુછપરછ કરાઈ હતી.

અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની  SEBIએ કરી પુછપરછ 2 - imageપોતાના વકીલો સાથે પહોંચેલા ઝુનઝુનવાલાએ તપાસ અધિકારીઓને કહ્યું કે તેઓ પોતાના પરિવારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ઝુનઝુનવાલાની બહેન સુધા ગુપ્તાને સેબીએ પુછપરછ માટે 23 જાન્યુઆરીએ બોલાવ્યા હતા. ઝુનઝુનવાલાની એસેટ મેનેજમેન્ટ ફર્મ રેર ઈન્ટરપ્રાઈઝના સીઈઓ ઉત્પલ શેઠની બહેન અને એપ્ટેકમાં ડિરેક્ટર ઉષ્મા સેઠ સુલેને 28 જાન્યુઆરીએ બોલાવ્યા હતા.

શેરની પસંદગીની કુશળતાને કારણે ભારતના વોરન બફેટ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાએ દેશના ગણાતા ધનિક રોકાણકારોમાંથી એક છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર તેમના પોર્ટફોલિયોના શેરની વેલ્યૂ 11,140 કરોડ રૂપિયા છે.

તેમણે 2006માં એપ્ટેક શેર 56 રૂપિયા પર ખરીદ્યા હતા. ત્યાર બાદ તેમનું અને તેમના પરિવારના સભ્યોનો સ્ટેક વધીને 49 ટકા થઈ ગયો છે. સોમવારે એપ્ટેકના શેર બીએસઈ પર 173 રૂપયા પર બંધ થયો.

તે મુજબ આ લોકો પાસે રહેલા સ્ટોકની વેલ્યૂ 690 કરોડ રૂપિયા છે. એપ્ટેક ઝુનઝુનવાલાના રોકાણવાળી એક માત્ર કંપની છે, જેમાં તેમનું મેનેજમેન્ટ કંટ્રોલ છે.

Tags :