Get The App

નિરવ મોદી કૌભાંડની અસર, પંજાબ નેશનલ બેન્કે ત્રણ મહિનામાં 13417 કરોડની ખોટ નોંધાવી

- 5000 કરોડની ખોટનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો, શેર માર્કેટમાં બેન્કનો શેર ગગડ્યો

Updated: May 16th, 2018

GS TEAM

Google News
Google News
નિરવ મોદી કૌભાંડની અસર, પંજાબ નેશનલ બેન્કે ત્રણ મહિનામાં 13417 કરોડની ખોટ નોંધાવી  1 - image

મુંબઈ, તા.16.મે 2018 બુધવાર

પંજાબ નેશનલ બેન્કે નીરવ મોદીના કૌભંડના કારણે 2017-18ના છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે જાન્યુઆરીથી માર્ચ મહિનાના ક્વાર્ટરમાં 13417 કરોડ રૃપિયાની ખોટ નોંધાવી છે.

આ ખોટ આખા વર્ષ દરમિયાન બેન્કે નોંધાવેલી નાણાકીય ખોટ કરતા પણ વધારે છે.

નાણાંકીય વર્ષ દરમિયાન બેન્કની ખોટ 12283 કરોડ હતી.છેલ્લા ક્વાર્ટરમાં 13417 કરોડ ખોટના પગલે બેન્કે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

જાન્યુઆરીથી માર્ચ 2016 દરમિયાન બેંકે 5000 કરોડ રૃપિયાની ખોટ કરી હતી.આ રેકોર્ડ નીરવ મોદીના પ્રતાપે તુટી ગયો છે.ઉલ્ટાનુ 2016-17માં પંજાબ નેશનલ બેન્કે 1324 કરોડનો નફો કર્યો હતો.

બેંકે આરબીઆઈની તાકીદ પ્રમાણે નીરવ મોદી સ્કેમના કારણે 7178 કરોડનુ પ્રોવિઝનિંગ કરવાનુ છે.આ સંજોગોમાં આગામી નવ મહિના સુધી બેન્ક નફો કરે તેવી પણ કોઈ શક્યતા નથી.

પંજાબ નેશનલ બેંકની બેડ લોન એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સ માર્ચ 2018ના અંતે વધીને અધધ..86620 કરોડ પર પહોંચી છે.એક વર્ષ પહેલા આ આંકડો 55370 કરોડ રૃપિયા હતો.

પંજાબ નેશનલ બેંકે હવે પોતાની નોન કોર એસેટ્સ વેચીને નુકસાન સરભર કરવાનુ નક્કી કર્યુ છે.બેંક પોતાની લાઈફ ઈન્સ્યોરન્સ કંપની પીએનબી મેટલાઈફના પણ 4 ટકા શેર વેચવા માંગે છે.

કંપનીએ કરેલી જંગી ખોટના કારણે બેંકના શેર પણ 11 મહિનાના સૌથી નીચા સ્તર પર આવી ગયા છે.કંપનીના શેરની કિંમતમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Tags :