Get The App

કોર બેન્કિંગ સિસ્ટમમાં સ્વિફટને જોડી દેવા આરબીઆઈ દ્વારા બેન્કોને નિર્દેશ

- ૩૦ એપ્રિલ સુધીમાં કામગીરી પૂરી કરવાની રહેશે

Updated: Feb 24th, 2018

GS TEAM


Google News
Google News

મુંબઈ, તા. 23 ફેબ્રુઆરી 2018,શુક્રવાર

કોર બેન્કિંગ સિસ્ટમમાં સ્વિફટને જોડી દેવા આરબીઆઈ દ્વારા બેન્કોને નિર્દેશ 1 - imageરિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કોને તેમની કોર બેન્કિંગ સિસ્ટમને એપ્રિલ ૨૦૧૮ના અંત સુધીમાં સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સિઅલ ટેલિકમ્યુનિકેશન્સ (સ્વિફટ) માટે લિન્ક જોડવા સૂચના આપી છે, એમ ઈન્ડિયન બેન્ક એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.

રિઝર્વ બેન્કની સૂચના બેન્કોને પાઠવવામાં આવી છે.  અનેક બેન્કોએ સ્વિફટને તેમની કોર બેન્કિંગ સિસ્ટમ સાથે જોડયું નહીં હોવાનું પંજાબ નેશનલ બેન્કના રૃપિયા ૧૧૪ અબજના કૌભાંડ બાદ સપાટી પર આવ્યું હતું.

દરેક બેન્કો પોતાની સિસ્ટમને બને એટલી વહેલી સ્વિફટ સાથે જોડી દેશે એવો પણ મત વ્યકત કરાયો છે. દરેક બેન્કોએ તેમની કન્ટ્રોલ સિસ્ટમ તપાસીને તેમાં રહેલી ક્ષતિઓ દૂર કરવાની રહેશે. દરેક બેન્કોની સમશ્યા અલગ હોય છે. ટેકનલોજી આજની તાતી જરૃરિયાત બની ગઈ હોવાથી તેની સતત સમક્ષી કરતા રહેવાનું જરૃરી બની ગયું છે. પીએનબી કૌભાંડે બેન્કોને તેમના આંતરિક કન્ટ્રોલ અને સિક્યુરિટીની સમીક્ષા કરવાની આવનશ્યકતા હોવાના સંકેત આપ્યા છે.  તોફાની તત્વો બેન્કની સલામતિ અને જોડાણને  જોખમમાં ન મૂકી શકે તે જોવાની જવાબદારી પણ બેન્કોની જ રહે છે ઈન્ડિયન બેન્ક એસોસિએશન માનતું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

Tags :