Business

ટેરિફના આંચકાથી ભારતનો GDP વૃદ્ધિ દર 5.8% સુધી ઘટવાનો નોમુરાનો અંદાજ

By GS TEAM
29 Aug 20251 min read
ટેરિફના આંચકાથી ભારતનો GDP વૃદ્ધિ દર 5.8% સુધી ઘટવાનો નોમુરાનો અંદાજ

નવી દીલ્હી : નોમુરાએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતનો જીડીપી (કુલ સ્થાનિક ઉત્પાદન) વૃદ્ધિ દર ૬.૨% થી ઘટાડીને ૫.૮% કર્યો છે. આ વૃદ્ધિ સૌથી ખરાબ સ્થિતિમાં રહી શકે છે જ્યારે સમગ્ર વર્ષ માટે ભારત પર ૫૦% ટેરિફ લાગુ રહેશે. જોકે, બેઝ કેસમાં, જો ટેરિફ ફક્ત ત્રણ મહિના સુધી ચાલે તો જીડીપી આગાહી ઘટાડીને ૬% કરવામાં આવી છે.

બેઝ કેસમાં, નાણાકીય વર્ષ ૨૦૨૬ માં ૨૫ ટકા પારસ્પરિક ટેરિફ યથાવત રહી શકે છે, અને નવેમ્બર પછી વધારાના ૨૫ ટકા ટેરિફ દૂર કરવામાં આવશે. તાજેતરમાં, નાણાકીય વર્ષ ૨૦૨૬ના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ૬.૨ ટકાથી ઘટાડીને ૬ ટકા કરવામાં આવ્યો છે. 

જોકે, નોમુરાએ નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે CPI ફુગાવાનો અંદાજ ૨.૭ ટકા પર જાળવી રાખ્યો છે, પરંતુ સંભવિત ડિઇન્ફ્લુએશન અને નબળી માંગને ધ્યાનમાં રાખીને ઘટાડાનું જોખમ દર્શાવ્યું છે. નોમુરાનો અંદાજ છે કે ચાલુ ખાતાની ખાધ નાણાકીય વર્ષ ૨૬ માં ય્ઘઁ ના ૧ ટકા સુધી વધશે. અગાઉ તે ૦.૮ ટકા હતી.