Get The App

નેશનલ સ્ટોક એક્સચેન્જ F&O માટે ટ્રેડીંગ કલાકો વધારવાની તૈયારીમાં

- મોડી સાંજે ૬ થી ૧૧:૩૦ કલાક દરમ્યાન ટ્રેડીંગ સત્રની યોજના : સેબીની મંજૂરીની જોવાતી રાહ

Updated: Sep 26th, 2023

GS TEAM


Google News
Google News
નેશનલ સ્ટોક એક્સચેન્જ F&O માટે ટ્રેડીંગ કલાકો વધારવાની તૈયારીમાં 1 - image


મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) ઈક્વિટી ડેરિવેટીવ્ઝ  જેમ કે  ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ) માટે ટ્રેડીંગ કલાકો વધારવાની તૈયારીમાં હોવાના અહેવાલ વહેતાં થયા છે.

એનએસઈ ટ્રેડીંગ કલાકો સાંજે ૬:૦૦ થી રાત્રે ૧૧ વાગ્યા સુધીનું સત્ર લંબાવવા પર કામ કરી રહ્યું છે. માર્કેટ પાર્ટીસિપન્ટસ રેગ્યુલર ટ્રેડીંગ કલાકો સવારે ૯:૧૫ થી બપોરે ૩:૩૦ વાગ્યા બાદ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડીંગમાં પાર્ટિસિપેટ કરી શકે છે. અલબત અમુક વર્ગ એનએસઈ ટ્રેડીંગ કલાકો રાત્રે ૧૧:૩૦ વાગ્યા સુધી કરવા જઈ રહ્યાનું કહી રહ્યા છે. 

વૈશ્વિક ઈવેન્ટ્સ-ઘટનાઓની સાથે ઝડપી બદલાતાં ટ્રેન્ડમાં ભારતીય ટ્રેડરો પણ આ વધારાના ટ્રેડીંગ કલાકો થકી ટ્રેડ કરી શકે એ માટે એનએસઈ વિચારી રહ્યું છે. મોટા ટ્રેડરો હરિફો જેવા કે ગિફ્ટ સિટી પર શિફ્ટ ક્યાં જ્યાં રાઉન્ડ ધ ક્લોક ટ્રેડીંગ થઈ રહ્યું હોઈ એ તરફ વળી રહ્યા હોઈ એક્સચેન્જો તેના ટ્રેડીંગ વોલ્યુમમાં આ લંબાવેલા કલાકો થકી વધારો કરવાની અપેક્ષા રાખી રહ્યા છે. 

આ ટ્રેડીંગ કલાકો વધારવા માટેની દરખાસ્ત મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)ને રજૂ કરી છે. સેબીએ પહેલા જ એક્સચેન્જો એફ એન્ડ ઓ ટ્રેડીંગ રાત્રે ૧૧:૩૦  વાગ્યા સુધી અને શેરોમાં ટ્રેડીંગ સાંજે ૭:૦૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકે એની સુગમતા ાટે નિયમો ઘડી કાઢ્યા છે.

એનએસઈની ચાલુ વર્ષની શરૂઆતથી ટ્રેડીંગ કલાકો લંબાવવાની યોજના હતી અને એ તબક્કાવાર આ ટ્રેડીંગ કલાકો અલગ અલગ પ્રોડક્ટસમાં દાખલ કરે એવી શકયતા છે. એનએસઈ પ્રથમ ઈન્ડેક્સ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ નિફટી અને બેંક નિફટીથી આની શરૂઆત કરે એળી શકયતા છે. 

Tags :