Get The App

શેરબજારમાં GenZ પેઢીની ભાગીદારીમાં વધારો

- ડેટા મુજબ, એપ્રિલ ૨૦૨૫ સુધીમાં ડીમેટ ખાતાઓની કુલ સંખ્યા ૧૯ કરોડને પાર, જે ડિસેમ્બર ૨૦૨૦માં ૫ કરોડથી ઓછી હતી

- માર્ચ ૨૦૨૫ સુધીમાં મ્યુ. ફંડોની ફોલિયોની કુલ સંખ્યા વધીને ૨૩.૪૫ કરોડ

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
શેરબજારમાં GenZ પેઢીની ભાગીદારીમાં વધારો 1 - image


૫૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના રોકાણકારોનો સંયુક્ત હિસ્સો ઘટયો

અમદાવાદ : શેરબજાર મૂડી નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આવી સ્થિતિમાં, યુવા પેઢીનો રોકાણ પ્રત્યેનો ઝુકાવ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે અને શેરબજારમાં ય્ીહઢ પેઢી (૧૯૯૭ થી ૨૦૧૨ ની વચ્ચે જન્મેલા લોકો)ની ભાગીદારી પણ વધતી જોવા મળી રહી છે. બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના અધ્યક્ષ તુહિન કાંત પાંડેએ ઉદ્યોગના અંદાજોને ટાંકીને જણાવ્યું હતું કે લગભગ એક તૃતીયાંશ રોકાણકારો શેરબજારમાં ભાગ લઈ રહ્યા છે. 

પાંડેએ જણાવ્યું હતું કે, આ વલણ માત્ર ઔપચારિક નાણાકીય પ્રણાલીઓમાં વધતા વિશ્વાસને પ્રતિબિંબિત કરતું નથી પરંતુ લાંબા ગાળાની સંપત્તિ નિર્માણ અને રાષ્ટ્રની આથક પ્રગતિમાં સમાવિષ્ટ ભાગીદારી માટે એક મહત્વપૂર્ણ તકનો સંકેત પણ આપે છે. તેમણે એમ પણ કહ્યું કે ય્ીહય્ની ભાગીદારી નાની ઉંમરે નાણાકીય ભાગીદારી વધવાના પ્રોત્સાહક સંકેતો આપે છે.

ડિપોઝિટરી ડેટા મુજબ, એપ્રિલ ૨૦૨૫ સુધીમાં ડીમેટ ખાતાઓની કુલ સંખ્યા ૧૯ કરોડને વટાવી ગઈ છે, જે ડિસેમ્બર ૨૦૨૦માં ૫ કરોડથી ઓછી હતી. શજીઈનો માસિક 'માર્કેટ પલ્સ' રિપોર્ટ દર્શાવે છે કે ૩૦ વર્ષથી ઓછી ઉંમરના રોકાણકારોનો હિસ્સો માર્ચ ૨૦૧૮માં ૨૨.૯ ટકાથી વધીને માર્ચ ૨૦૨૫માં ૩૯.૫ ટકા થયો છે. આ વધારો વધતી જતી નાણાકીય સાક્ષરતા અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સરળ સુલભતાને પ્રતિબિંબિત કરે છે. ૫૦ વર્ષ અને તેથી વધુ ઉંમરના રોકાણકારોનો સંયુક્ત હિસ્સો માર્ચ ૨૦૧૮માં ૨૫.૮ ટકાથી ઘટીને માર્ચ ૨૦૨૫માં માત્ર ૧૫.૧ ટકા થયો છે, જે યુવા, ટેક-સેવી સહભાગીઓ દ્વારા સંચાલિત બદલાતી રોકાણ સંસ્કૃતિ દર્શાવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં શેરમાં સીધા રોકાણ ઉપરાંત, મ્યુચ્યુઅલ ફંડો દ્વારા પણ રોકાણ વધ્યું છે. માર્ચ ૨૦૨૫ સુધીમાં ફોલિયો (એકાઉન્ટ્સ)ની કુલ સંખ્યા વધીને ૨૩.૪૫ કરોડ થઈ ગઈ છે, જે એક વર્ષ પહેલા ૧૭.૮ કરોડ હતી. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના નાણાકીય વર્ષ ૨૫ના અહેવાલ મુજબ, ૨૫ વર્ષથી ઓછી ઉંમરના લોકો દ્વારા કરવામાં આવેલા ૪૭ ટકા રોકાણ ઇક્વિટી સ્કીમ્સમાં હતા. યુવા રોકાણકારો વધુ જોખમ લેવા તૈયાર છે. જે ઇક્વિટી સેગમેન્ટમાં તેમના ચોખ્ખા રોકાણોના મોટા હિસ્સા પરથી પણ સ્પષ્ટ થાય છે. 

નાણાકીય વર્ષ ૨૫માં પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) દ્વારા રૂ. ૧.૭ લાખ કરોડની અત્યાર સુધીની સૌથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી.એપ્રિલ સુધીમાં લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ રૂ. ૪૨૩ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે નાણાકીય વર્ષ ૨૦૧૯માં રૂ. ૧૫૦ લાખ કરોડ હતું. જે રોકાણકારોના મજબૂત વિશ્વાસ અને કોર્પોરેટ ક્ષેત્રના સુધારેલા પ્રદર્શનને પ્રતિબિંબિત કરે છે. ભારતીય સિક્યોરિટીઝ બજાર માત્ર નાણાકીય વ્યવહારોને સરળ બનાવવાનું માધ્યમ નથી, પરંતુ તે મૂડી નિર્માણનું એક શક્તિશાળી એન્જિન પણ છે.

-


Tags :