For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બજેટ-2019ઃ જુઓ મોદી સરકારના અંતિમ બજેટના મુખ્ય અંશો

નાણામંત્રી દ્વારા સંસદમાં બજેટની રજૂઆત

Updated: Feb 1st, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 1 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

અરુણ જેટલીની ગેરહાજરીમાં નાણા મંત્રીનું પદ સંભાળી રહેલા વિજય ગોયલ સંસદમાં મોદી સરકારનું અઁતિમ બજેટ રજૂ કરી રહ્યાં છે. બજેટના મુખ્ય અંશોઃ

- અમે કમરતોડ મોંઘવારીની જ કમર તોડી નાખી.

- બેકિંગ સિસ્ટમમાં ઝડપી સુધારા થયા. 

- લેણદારો પાસેથી 3 લાખ કરોડ પાછા મેળવવામાં આવ્યાં.

- RERAથી રિયલ એસ્ટેટમાં પારદર્શકતા આવી.

- અમે GST દ્વારા ક્રાંતિકારી સુધારા કર્યાં. 

-આશરે 6 લાખ ગામ ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થયા.

- સરકારે અનેક નવી યોજનાઓ શરૂ કરી.

- સ્વચ્છ ભારત અભિયાન જનભાગીદારીથી રાષ્ટ્રીય અભિયાન બન્યું.

- સૌને અનાજ મળે એ સુનિશ્ચિત કર્યું.

- અમારી સરકારમાં વિદેશી રોકાણ વધ્યું.

- ગરીબો માટે 10 ટકા આર્થિક અનામત લાગુ કર્યું. 

- સંસાધનો ઉપર સૌથી પહેલો અધિકાર ગરીબોનો છે.

- PM આવાસ યોજના હેઠળ 1.53 કરોડ ઘર બનાવવામાં આવ્યાં.

- સૌભાગ્ય યોજનામાં દરેક ઘરને મફત કનેક્શન.

- 2014થી અત્યાર સુધી 14 AIIMSની જાહેરાત.

- આયુષ્યમાન ભારતમાં 50 કરોડ લોકો જોડાયા. 

- આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 10 લાખ લોકોની સારવાર કરવામાં આવી.

- મનરેગા માટે 60,000 કરોડ રૂપિયા

- ગ્રામ સડક યોજના માટે 90,000 કરોડ રૂપિયા.

- પાકની એમએસપી વધારીને દોઢ ગણી કરી.

- 6 કરોડ મફત LPG કનેક્શન આપ્યાં.

- સંપૂર્ણ વર્ષમાં 8 કરોડ ગેસ કનેક્શન થઇ જશે.

- અસંગઠિત ક્ષેત્રના મજૂરોને 3000 રૂપિયા પેન્શન.

- EPFOની વીમા રકમ 6 લાખ કરવામાં આવી.

- શ્રમિકના મૃત્યુ પર 6 લાખનું વળતર.

- સરકારે NPA ઓછી કરવાના પ્રયાસ કર્યાં.

- ગરીબોના અનાજ માટે 1.7 લાખ કરોડની ફાળવણી.

- દેશની સંપત્તિ લૂંટનારાઓ ઉપર લગામ કસી.

- નાના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની મદદ.

- 15000 રૂપિયા સેલેરીવાળા મજૂરોને પેન્શન.

- 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા પેન્શન.

-ઉડાન યોજનાથી સામાન્ય નાગરિકો માટે પણ હવાઇયાત્રા સરળ બની.

- છેલ્લા પાંચ વર્ષમાં હવાઇ યાત્રીઓની સંખ્યા બમણી થઇ.

- દેશમાં દરરોજ 27 કિલોમીટર હાઇવેનું નિર્માણ.

- પહેલી વખત રક્ષા બજેટ 3 લાખ કરોડથી વધારે.

- વન રેન્ક વન પેન્શન અંતર્ગત 35000 કરોડ રૂપિયાનો ખર્ચ

- તમામ માનવરહિત ફાટક ખતમ.

- ભારતમાં સૌથી વધારે મોબાઇલ વપરાશકર્તાઓ.

- રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા વધી. 6.85 કરોડ લોકોએ રિટર્ન ભર્યું.

- ગયા વર્ષે 99.54 રિટર્ન સ્વીકારવામાં આવ્યાં.

- હવે રિટર્નની ઇલેક્ટ્રોનિક તપાસ થશે.

- 24 કલાકમાં આઇટી રિટર્નની પ્રક્રિયા થશે.

- આધારના કારણે વચેટિયાઓની ભૂમિકા ખતમ થઇ.

- 12 લાખ કરોડનો ટેક્સ જમા થયો.

- GSTના કારણે રાજ્યોના પરસ્પરના વેપારમાં સરળતા.

- 5 લાખ સુધીની આવક માટે ઇન્કમટેક્સ નહીં.

Gujarat