Business

EPFO આ વર્ષના અંત સુધીમાં મોટો સુધારો લાવી શકે છે, કર્મચારીઓને મળશે રાહત

By GS TEAM
23 Sep 20253 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનને તેમની બચતના ઉપયોગમાં વધુ સ્વતંત્રતા આપવા નિયમોમાં ફેરફાર કરવા ભલામણ કરી છે. સરકારી અધિકારીઓ હાઉસિંગ, લગ્ન અને એજ્યુકેશન જેવા ઉદ્દેશ પૂરા કરવા માટે પીએફ ઉપાડની મર્યાદા વધારવા પર કામ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

EPFO આ વર્ષના અંત સુધીમાં મોટો સુધારો લાવી શકે છે, કર્મચારીઓને મળશે રાહત

EPFO Easing Withdrawal Limits: કેન્દ્ર સરકારે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશનને તેમની બચતના ઉપયોગમાં વધુ સ્વતંત્રતા આપવા નિયમોમાં ફેરફાર કરવા ભલામણ કરી છે. સરકારી અધિકારીઓ હાઉસિંગ, લગ્ન અને એજ્યુકેશન જેવા ઉદ્દેશ પૂરા કરવા માટે પીએફ ઉપાડની મર્યાદા વધારવા પર કામ કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, હજુ સુધી કોઈ ટાઇમલાઇન નિર્ધારિત કરી નથી. કેન્દ્ર સરકાર આ વર્ષના અંત સુધીમાં ફેરફારો લાગુ કરવાની છે. આ મામલાથી જાણકાર એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે સભ્યો પર પ્રતિબંધો મૂકવા માગતા નથી. આ તેમના પૈસા છે, અમે તેમનું ફંડ તેમની જરૂરિયાત અનુસાર ઉપયોગ કરવાની સ્વતંત્રતા આપવા માગીએ છીએ.

હાલ ઈપીએફઓના સભ્યો 58 વર્ષની નિવૃત્તિ વયમર્યાદાએ પહોંચ્યા બાદ અથવા તો બે મહિનાથી વધુ સમય સુધી બેરોજગાર રહ્યા બાદ તેઓ પોતાનું સંપૂર્ણ ફંડ ઉપાડી શકે છે. ચાલુ નોકરીએ પીએફદાતાઓ અમુક ચોક્કસ હિસ્સામાં ઉપાડ કરી શકે છે. જો કે, તેમાં અમુક શરતો લાગુ છે.

જુદા-જુદા હેતુ માટે ફંડ ઉપાડનું પ્રમાણ

લગ્ન માટે ઉપાડ કરવા સભ્ય ઓછામાં ઓછી સાત વર્ષ સુધી નોકરી કરેલી હોવી જોઈએ. તે પોતાના પીએફ યોગદાનના 50 ટકા સુધી રકમ ઉપાડી શકે છે. જેમાં વ્યાજ પણ ઉપાડ પેટે મળે છે. નોંધ લેવી કે, અરજદાર પોતાના લગ્ન ઉપરાંત પોતાના ભાઈ-બહેન કે બાળકોના લગ્ન માટે આ ઉપાડ કરી શકે છે. ઘર માટે ઉપાડ મર્યાદા કુલ બેલેન્સના 90 ટકા સુધી છે. જેમાં પ્રોપર્ટી સભ્યના નામે કે તેની પત્નીના નામે હોવી જરૂરી છે. વધુમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી સર્વિસ કરેલી હોવી જરૂરી છે. એજ્યુકેશન માટે સબ્સ્ક્રાઇબર વ્યાજ સાથે પોતાના યોગદાનના 50 ટકા સુધી પીએફ ઉપાડ કરી શકશે. જેમાં ઓછામાં ઓછા સાત વર્ષની સર્વિસ જરૂરી છે. બાળકોના પોસ્ટ-મેટ્રિક્યુલેશન એજ્યુકેશન માટે પણ ઉપાડ શક્ય છે.

અગાઉ જુલાઈમાં અહેવાલ આપ્યો હતો કે, સરકાર એક નવા માળખા પર વિચાર કરી રહી છે જે હેઠળ EPFO ​​સભ્યોને દર 10 વર્ષે એકવાર સંપૂર્ણ ફંડ અથવા તેનો એક ભાગ ઉપાડવાની મંજૂરી આપી શકે  છે. દર 10 વર્ષે દરેક EPFO ​​સભ્યના સંચિત ભંડોળમાં થોડો વધારો થશે અને તેઓ નક્કી કરી શકશે કે તેમણે આ ફંડ સાથે શું કરવાની જરૂર છે. નવીનતમ ચર્ચાઓ EPF નિયમોને વધુ લવચીક બનાવવા અને જીવનના વિવિધ તબક્કામાં સભ્યોની નાણાકીય જરૂરિયાતો સાથે સંરેખિત કરવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે.

મધ્યમવર્ગને થશે લાભ

નિષ્ણાતો માને છે કે નિયમો હળવા કરવાથી ખાસ કરીને નીચલા અને મધ્યમ આવક ધરાવતા વર્ગના સબ્સ્ક્રાઇબર્સને મદદ મળશે, જેમને ઘણીવાર તાત્કાલિક ફંડની જરૂર પડે છે. પ્રસ્તાવિત ફેરફારો માટેનો પડકાર એ રહેશે કે સભ્યોને જરૂર પડે ત્યારે તેમના EPFનો ઉપયોગ કરવા માટે પર્યાપ્ત સુગમતા પૂરી પાડીને યોગ્ય સંતુલન બનાવવું અઘરું બનશે. નિવૃત્તિની સુરક્ષાને પ્રાથમિકતા આપવાના બદલે તેઓ વર્તમાન જરૂરિયાતો પૂરી કરશે. જેનાથી ભવિષ્યમાં રિટાયરમેન્ટ દરમિયાન આર્થિક કટોકટી સર્જાવવાની ભીતિ રહેશે.