Get The App

ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI

- ગોલ્ડ લોન માટે LTV રેશિયો ઓછો, જોકે લોનની રકમના આધારે ૮૫ ટકા સુધીની મહત્તમ મર્યાદા

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI 1 - image

સોનાના ભાવમાં વધારો થવાથી 


અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શુક્રવારે જણાવ્યું હતું કે બેંકો અસુરક્ષિત લોનથી સોનાની કોલેટરલ પર ધિરાણ તરફ વળી ગઈ છે, જેના કારણે સોનાની લોનમાં વધારો થયો છે. જોકે, વર્તમાન બેંકિંગ સિસ્ટમમાં આ વધારો ચિંતાનું કારણ નથી.

રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે અમે બધા પોર્ટફોલિયોની સમીક્ષા કરી રહ્યા છીએ, જેમાં ગોલ્ડ લોન, એમએસએમઈ લોન અને વ્યક્તિગત લોન સહિત તમામ શ્રેણીઓનો સમાવેશ થાય છે. બધી શ્રેણીઓમાં સંપત્તિની ગુણવત્તામાં સુધારો થતો દેખાય છે, અને ડિફોલ્ટ ઓછા છે. તેથી, ચિંતાનું કોઈ કારણ નથી. 

ગોલ્ડ લોન માટે LTV (લોન-ટુ-વેલ્યુ) રેશિયો ઘણો ઓછો છે, જોકે લોનની રકમના આધારે ૮૫ ટકા સુધીની મહત્તમ મર્યાદા સ્થાપિત કરી છે. પરંતુ બેંકો લોન-ટુ-વેલ્યુ રેશિયોનું પાલન કરી રહી છે, અને એનબીએફસીએ બેંકો સાથે મળીને તેને ખૂબ જ નીચા સ્તરે જાળવી રાખ્યું છે.

રિઝર્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, ડિસેમ્બર ૨૦૨૫માં સોનાના દાગીના સામે લોન વાષક ધોરણે ૧૨૭.૬ ટકા વધીને ૩.૮૨ લાખ કરોડ થઈ હતી, જે ડિસેમ્બર ૨૦૨૫ માં વાર્ષિક ધોરણે ૮૪.૬ ટકા હતી. આ મુખ્યત્વે સોનાના ભાવમાં વધારો થવાને કારણે છે. ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં સોનાના ભાવમાં વાર્ષિક ધોરણે આશરે ૮૦ ટકાનો વધારો થયો છે.