Get The App

ક્રુડ ઓઈલના ભાવ ઉછળીને 120 ડોલર પહોંચશે

- ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેડ બંધ થવાની સ્થિતિમાં ૧૨૦થી ૧૩૦ ડોલર થવાની જેપી મોર્ગનની ચેતવણી :

- યુદ્વ વકરશે તો ઈરાનનો દૈનિક ૨૧ લાખ બેરલનો પુરવઠો ખોરવાઈ જવાની સ્થિતિમાં

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
ક્રુડ ઓઈલના ભાવ ઉછળીને 120 ડોલર પહોંચશે 1 - image


મુંબઈ : ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવોમાં ૭થી ૮ ટકાનો ઉછાળો નોંધાતા, હવે જે.પી.મોર્ગને ચેતવણી આપી છે કે, જો મધ્ય પૂર્વમાં જીઓપોલિટીકલ ટેન્શન વધુ વધશે તો ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૨૦ ડોલર સુધી વધી શકે છે. ઈન્વેસ્ટમેન્ટ બેંક જે.પી.મોર્ગને વધુ જણાવ્યું છે કે, વર્તમાન ભાવ પહેલાથી જ સૌથી ખરાબ જીઓપોલિટીકલ પરિસ્થિતિની શકયતાએ ૭ ટકાથી ૮ ટકાનો ઉછાળો દર્શાવે છે, જેમાં ઈરાનનો ઓઈલ પુરવઠો વિશ્વ બજારમાં મોટાપ્રમાણમાં ખોરવાઈ જવાના સંજોગોમાં ભાવમાં ભડકો જોવાઈ શકે છે.

 આ દરમિયાન અત્યારે ક્રુડ ઓઈલના ભાવોમાં જોવાઈ રહેલી તેજીથી તાતપુરતી વૈશ્વિક ઓઈલ પુરવઠાની સ્થિતિ પર ખાસ અસર નહીં થવાની નિષ્ણાતો શકયતા બતાવી રહ્યા છે. પરંતુ જો ઈરાન-ઈઝરાયેલ યુદ્વ મિડલ ઈસ્ટમાં વધુ દેશોમાં ફેલાવાના અને અમેરિકા સહિતને ઈરાનની ચેતવણીને જોતાં જો અમેરિકા યુદ્વમાં ઈઝરાયેલના પક્ષમાં સીધું ઉતરી આવશે તો યુદ્વ વકરવાના અને ક્રુડ ઓઈલનો પુરવઠો ખોરવાય એવી શકયતા રહેશે.

જેપી મોર્ગને જારી કરેલી નોટમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૬માં ઓઈલના સરેરાશ ભાવ ૬૦ ડોલર રહેવાનો તેમનો અંદાજ છે, પરંતુ ખરાબ પરિસ્થિતિના સંજોગોમાં આ ભાવ વધીને ૧૨૦ ડોલરથી ૧૩૦ ડોલરની રેન્જમાં પણ આવી શકે છે. આ માટે તેમણે લશ્કરી સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેડ બંધ થવાની સ્થિતિમાં સંભવિત આ ભાવ ભડકાની ચેતવણી ઉચ્ચારી છે. આ માર્ગે વૈશ્વિક ઓઈલના પાંચમાં ભાગનું વહન થાય છે. આ સાથે ઈન્વેસ્ટમેન્ટ બેંકે નોંધ્યું છે કે, જ્યારે આવા વધારાથી પુરવઠામાં નોંધપાત્ર વિક્ષેપ પડી શકે છે, ખાસ કરીને જો ઈરાનની ૨૧ લાખ બેરલ પ્રતિ દિન નિકાસ બંધ થઈ જાય, તો આ સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં ઉનાળાની માંગ અને ઓછી યુ.એસ. ઈન્વેન્ટરી દ્વારા ઓઈલને ટેકો મળે છે. પરંતું  પાનખર આવતાં અને મેક્રોઈકોનોમિક અવરોધો તેમ  જ વધતાં ઓપેક ઉત્પાદન ભાવ પર અસર કરે એવી શકયતા છે.

પેટ્રોલીયમ સચિવ પંકજ જૈન અને જાહેર ક્ષેત્રની ઓઈલ રીફાઈનરીઓ અને રિટેલરોના ટોચના અધિકારીઓ વચ્ચે યોજાયેલી સમીક્ષા મીટિંગ બાદ કેન્દ્રિય પ્રધાન હરદિપ સિંઘ પુરીએ જણાવ્યું હતું કે, ભારત પાસે પર્યાપ્ત ઊર્જા-એનજીૅ ભંડાર  છે. ભારતની વ્યુહરચના વડાપ્રધાન નેરન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ એનજીૅ ઉપલબ્ધતા, પોષણક્ષમતા અને ટકાઉપણાના ત્રિકોણને સફળતાપૂર્વક નેવિગેટ કરીને ઘડવામાં આવી છે, એમ તેમણે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું.


Tags :