Get The App

કેન્દ્ર સરકાર બજેટ 2023માં આવકવેરાના નવા સ્લેબ રજૂ કરે તેવી અપેક્ષાઃ રિપોર્ટ

Updated: Jan 25th, 2023

GS TEAM

Google News
Google News
કેન્દ્ર સરકાર બજેટ 2023માં આવકવેરાના નવા સ્લેબ રજૂ કરે તેવી અપેક્ષાઃ રિપોર્ટ 1 - image


- રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે મૂળભૂત મુક્તિ મર્યાદા વધારીને ૫ લાખ રૂપિયા કરી શકાય છે

- બજેટમાં હોમ લોન પરના વ્યાજની ચુકવણી વગેરે જેવી કેટલીક કપાતને મંજૂરી આપી શકાય તેવી શક્યતા છે

નવી દિલ્હી,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર 

કેન્દ્ર આગામી બજેટમાં મુક્તિ વિના નવી વ્યક્તિગત આવકવેરા વ્યવસ્થાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. જેમાં ઘણી દરખાસ્તોની તપાસ કરવામાં આવી રહી છે તેમાંથી વધુ સ્લેબ ઉમેરવાનો છે જેથી દરેક સ્લેબમાં આવકની સીમા સાંકડી હોય એવું એક અહેવાલમાં જાણવા મળ્યું છે.

કેન્દ્ર તેની આસપાસ અનેકવાર ચર્ચાઓ કરી રહ્યું છે. આ બાબતનાં જાણકાર એક વ્યક્તિએ છાપાને જણાવ્યું હતું કે, "વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે, અને સુધારેલી યોજના માટે બજેટની રાહ જોવી પડશે." ચર્ચાઓ મોટે ભાગે બે પાસાઓની આસપાસ ફરતી હતી. એક, આવકવેરાની નવી વ્યવસ્થા પર, જે તેને સરળ રાખીને વધુ સ્વીકાર્ય છે. બીજું, મોટી સંખ્યામાં વ્યક્તિઓનો બદલાવ મહેસૂલ-તટસ્થ હોવો જોઈએ.

"સૌ પ્રથમ, તમારે એ જોવું પડશે કે નવી સિસ્ટમમાં જવું એ મહેસૂલ-તટસ્થ હોવું જોઈએ કે પછી તમે મહેસૂલમાં રૂ. ૨૦,૦૦૦-૨૫,૦૦૦ કરોડ કે તેથી વધુ રકમ છોડી શકો છો. ઉપરાંત, સ્લેબ એવા ન હોવા જોઈએ કે તે લોકોને નીચલા સ્લેબમાં રહેવા માટે વિપરિત પ્રોત્સાહન આપે, "આ બાબતના જાણકાર અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું.

હાલમાં, નવી વ્યક્તિગત આવકવેરા વ્યવસ્થામાં છ સ્લેબ છે, જેની શરૂઆત રૂ. 2.5-5 લાખના આવકવેરા બ્રેકેટથી થાય છે, જેના પર 5 ટકાનો ટેક્સ લાગે છે, અને તે વધીને 10 ટકા, 15 ટકા, 20 ટકા અને 2.5 લાખ રૂપિયાની આવકમાં પ્રત્યેક વધારા સાથે 25 ટકા થઈ જાય છે. છેલ્લે 15 લાખ કે તેથી વધુની કમાણી કરનારાઓ પર 30 ટકા ટેક્સ લાગે છે.

રિપોર્ટમાં ઉમેરવામાં આવ્યું છે કે મૂળભૂત મુક્તિ મર્યાદા વધારીને ૫ લાખ રૂપિયા કરી શકાય છે અને બજેટમાં હોમ લોન પરના વ્યાજની ચુકવણી વગેરે જેવી કેટલીક કપાતને મંજૂરી આપી શકાય છે.

Tags :