Get The App

સેબીની મોટી રાહત : કંપનીઓ IPO કદમાં 50% સુધી ફેરફાર કરી શકશે

- આ પગલાથી મુશ્કેલ બજાર પરિસ્થિતિઓમાં પણ શેર વેચવામાં ઇશ્યુઅર્સને વધુ સુગમતા મળશે

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
સેબીની મોટી રાહત : કંપનીઓ IPO કદમાં 50% સુધી ફેરફાર કરી શકશે 1 - image

અમદાવાદ : સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) એ આઈપીઓનું આયોજન કરતી કંપનીઓને મોટી રાહત આપી છે. તેઓ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ (DRHP) ફરીથી સબમિટ કર્યા વિના, તેમના નવા ઇશ્યુનું કદ ૫૦% સુધી ઘટાડી શકશે. નિયમોમાં આ છૂટછાટ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી અરજીઓ માટે ખુલતા આઈપીઓ પર લાગુ થશે. 

ઈન્વેસ્ટમેન્ટ બેન્કરોએ જણાવ્યું હતું કે આ પગલાથી મુશ્કેલ બજાર પરિસ્થિતિઓમાં પણ ઇશ્યુઅર્સને શેર વેચવામાં વધુ સુગમતા મળશે તેવી અપેક્ષા છે. વર્તમાન નિયમો હેઠળ, અંદાજિત નવા ઇશ્યુ કદમાં ૨૦% થી વધુ ફેરફાર માટે ઇશ્યુઅર્સને આઈપીઓ ડ્રાફ્ટ ફરીથી સબમિટ કરવો જરૂરી છે.

આ રાહત એસોસિએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઇન્ડિયાની વિનંતી પર આવી છે. એસોસિએશને પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવ અને રોકાણકારોની ઓછી ભાગીદારીને કારણે મૂડી એકત્ર કરવામાં પડતી મુશ્કેલીઓ પર પ્રકાશ પાડયો હતો. આ મહિનાની શરૂઆતમાં, સેબીએ પણ ડીઆરએચપી મંજૂરીઓની માન્યતા ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી હતી.

ઇશ્યૂઅર્સને હવે ડીઆરએચપી ફરીથી સબમિટ કર્યા વિના ઇશ્યૂના કદમાં ૫૦% સુધી (વધારો કે ઘટાડો) ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે. આ મુક્તિ કેસ-બાય-કેસ આધારે બદલાશે, અને પૂર્વ નિયમનકારી મંજૂરી જરૂરી છે.

સેબીએ એવી શરત મૂકી છે કે ઇશ્યૂનો પ્રાથમિક ઉદ્દેશ યથાવત રહેવો જોઈએ. ઓફર ડોક્યુમેન્ટમાં તમામ જરૂરી ફેરફારોનો સમાવેશ કરવા માટે ઈન્વેસ્ટમેન્ટ બેન્કરો જવાબદાર રહેશે, જ્યારે ઇશ્યૂઅર્સને જાહેર પરિશિષ્ટ દ્વારા આ ફેરફારો જાહેર કરવાની જરૂર પડશે. ઇશ્યૂનું કદ બદલવા માંગતી કંપનીઓએ સૂચિત ફેરફારના કારણોની વિગતો આપતા સેબીને અરજી પણ સબમિટ કરવાની રહેશે.