Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત

By GS TEAM
25 Jun 20262 mins read
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત

અમદાવાદ : દક્ષિણપશ્ચિમ ચોમાસાની ઋતુના લગભગ એક મહિના પછી, વરસાદની ખાાૃધ ૪૩% સુાૃધી પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકારે આજે દેશભરમાં ૩૧૫ જિલ્લાઓને ઓળખી કાઢયા છે જે આ વર્ષે ઓછા ચોમાસાથી પ્રભાવિત થઈ શકે છે. આમાંથી, ૧૧૧ જિલ્લાઓને અત્યંત સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં સિંચાઈનો કવરેજ ૨૫% કરતા ઓછો છે.


બાકીના જિલ્લાઓમાંથી, ૭૬ને મધ્યમ સંવેદનશીલ (૨૫-૫૦% સિંચાઈ કવરેજ) અને ૧૨૮ને ઓછી સંવેદનશીલતા (૫૦%થી વાૃધુ સિંચાઈ કવરેજ) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ૧૧૧ અત્યંત સંવેદનશીલ જિલ્લાઓમાંથી મોટાભાગના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં છે, જેમાં આશરે ૨૨ જિલ્લાઓ મહારાષ્ટ્રમાં છે.


સૌથી વાૃધુ અસરગ્રસ્ત જિલ્લાઓનું વર્ગીકરણ કરવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ૧થી ૨૩ જૂન દરમિયાન વરસાદની કુલ ખાાૃધ ૪૩ ટકા સુાૃધી પહોંચી ગઈ છે.

સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગના મતે, નબળી ચોમાસાની સ્થિતિ ૨ જુલાઈ સુાૃધી ચાલુ રહેવાની શક્યતા છે, જે ખરીફ પાક, ખાસ કરીને ડાંગર અને મકાઈ જેવા પાણીના સઘન પાકને અસર કરી શકે છે.

પાક વીમા કવરેજ, િાૃધરાણની સરળ પહોંચ, પુન:વાવેતર માટે પૂરતા બીજ, ઉપલબૃધ જળ સંસાાૃધનોનો શ્રેષ્ઠ ઉપયોગ અને ખાતરોની ઉપલબૃધતા સુનિશ્ચિત કરવા માટે ઓળખાયેલા ૧૧૧ સંવેદનશીલ જિલ્લાઓમાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

૨૨ જૂન સુાૃધીમાં, ખરીફ પાકનું વાવેતર કુલ વાવેતર વિસ્તારના ૧૦ ટકાથી ઓછું રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, ગયા વર્ષે ૧૧૭.૯ લાખ હેક્ટરની સરખામણીમાં આ વર્ષે વાવણી વિસ્તાર નજીવો વાૃધીને ૧૧૯.૯ લાખ હેક્ટર થયો છે. સોયાબીન સિવાય, મોટાભાગના પાક માટે વાવેતર વિસ્તાર વાૃધુ છે.સરકારે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંાૃધ્રપ્રદેશ અને ઓડિશામાં ૩૧૫ જિલ્લાઓ ઓળખી કાઢયા છે જ્યાં વરસાદ સામાન્ય કરતાં ઓછો હોઈ શકે છે.

કૃષિ મંત્રાલયે રાજ્યવાર આકસ્મિક યોજનાઓ તૈયાર કરી છે. ખેડૂતોને ઓછા વરસાદની પરિસ્થિતિઓ માટે યોગ્ય વૈકલ્પિક પાકોનું વાવેતર કરવાની સલાહ આપવામાં આવી છે..