Get The App

ગણોત કાયદો 1948માં ખેડુતના દરજ્જાની જોગવાઈઓનો તફાવત

Updated: Mar 3rd, 2024

GS TEAM


Google News
Google News
ગણોત કાયદો 1948માં ખેડુતના દરજ્જાની જોગવાઈઓનો તફાવત 1 - image


- સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમ ૧૯૪૯ અને 

- લોકાભિમુખ માર્ગદર્શન - - એચ.એસ. પટેલ IAS (નિ.)

- સૌરાષ્ટ્રના જમીન સુધારાઓનું શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી યુ.એન.ઢેબરને જાય છે

આઝાદી બાદ જમીન સુધારાઓના ભાગરૂપે ખેતીની જમીન ઉપરના કબજેદારોને માલીકી / ભોગવટા હક્ક આપવા માટે સૌ પ્રથમ તો જમીનદારી / ગીરાસદારી વિગેરેના હક્ક નાબુદ કરીને ખેડુતોને (Agriculturist) કે જે રાજાઓની / જમીન માલીકોની જમીન ઉપર ખેડતા હતા અને મહેસુલ ભરતા હતા. તેઓને ગણોતીયા (Tenant) ગણવામાં આવતાં હાલના ગુજરાત રાજ્યનો ભાગ-૧૯૫૬ સુધી મુંબઈ રાજ્યમાં સમાવિષ્ઠ થતો સૌરાષ્ટ્ર-કચ્છ મુંબઈ રાજ્યમાં ૧૯૫૬માં રાજ્યોની પુનઃરચના અન્વયે ભેળવવામાં આવ્યું (Merged) ત્યાં સુધી એટલે કે ૧૯૪૭થી કાઠીયાવાડના રાજ્યોનો સમુહ જે સૌરાષ્ટ્ર રાજ્ય તરીકે ૧૫/૪/૧૯૪૮થી અસ્તિત્વમાં આવ્યાં અને ગરાસદાર / બારખલીદારો જમીનના માલીક ગણાતા અને તેમની જમીન ઉપર ખેડતા ખેડુતોને ગમે તે વખતે જમીન ઉપરથી દુર કરી શકતા અને જમીન ઉપરનો ખેતીનો / મહેસુલનો ભાગ મરજી મુજબ વસુલ કરતા તેના બદલે સૌરાષ્ટ્ર સરકારે જમીન ઉપરના ખેડુતોને કશુ લીધા વગર જમીન મહેસુલ અધિનિયમ મુજબના હક્ક આપવાની જાહેરાત કરી એટલે ગરાસદારો અને જમીન ઉપરના ગણોતીયાઓ વચ્ચે સંઘર્ષની સ્થિતિ પેદા થતાં ગણોતીયાઓને રક્ષણ આપતો ૧૯૪૮નો વટહુકમ બહાર પાડવામાં આવ્યો. (Saurashtra Protection of Tenants Ordinance No. XX_II of ૧૯૪૮) ત્યારબાદ જમીન ઉપરના હક્ક આપતો સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોતહક્ક પતાવટ અને ખેતીની જમીનનો ૧૯૪૮નો વટહુકમ બહાર પાડવામાં આવ્યો અને જેતે સમયના રાષ્ટ્રપ્રમુખની સંમતિથી બહાર પાડવામાં આવેલ જે આજે પણ અમલમાં છે. સૌરાષ્ટ્રમાં સમગ્ર દેશના - ૫૬૫ રજવાડાં પૈકી ૨૨૨ રજવાડા હતા અને સંપુર્ણ જમીનદારી પધ્ધતિ (ગોંડલ રાજ્ય સિવાય) અમલમાં હતી અને જુદાજુદા સતાપ્રકારો અમલમાં હતા પરંતું સમગ્ર દેશમાં ખેડુતોના હિતમાં જમીન સુધારા કાયદો ઘડવામાં આવ્યા હોય અને અમલમાં મુકવામાં આવેલ હોય તો સૌરાષ્ટ્ર રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી યુ.એન.ઢેબરને શ્રેય જાય છે. તેમના કાર્યકાળ દરમ્યાન સૌરાષ્ટ્ર લેન્ડ રીફોર્મસ-૧૯૫૧, બારખલી નાબુદી અધિનિયમ / એસ્ટેટ એક્વીઝન એક્ટના માધ્યમથી ખુબજ ઝડપથી ખેતીની જમીન ઉપર ખેડુતોના હક્ક લાંબી પ્રક્રિયા અનુસર્યા સિવાય આપવામાં આવ્યા. આજે પણ સૌરાષ્ટ્રના જમીન સુધારા કાયદાઓમાં અર્થઘટનના પ્રશ્નો ઓછામાં ઓછા છે. તમામ કાયદાઓ અંગે વિસ્તારથી ચર્ચા કરી શકાય પરંતું સૌથી મહત્વની કલમ-૫૪ સૌરાષ્ટ્ર ઘરખેડમાં ખેડુતના દરજન તરીકેની છે.

જ્યારે આજના ગુજરાત પ્રદેશમાં (સૌરાષ્ટ્ર સિવાય) મુંબઈ રાજ્યનો ખેતીની જમીનનો ગણોતકાયદો-૧૯૪૮ અમલમાં છે અને તેમાં જમીન ઉપરના ગણોતીયાના હક્કો આપવા માટે સમગ્ર કાર્ય પધ્ધતિ છે અને ખરીદ કિંમત, ખરીદીના હપ્તા, ખરીદીનું પ્રમાણપત્ર, જમીન નવી શરત કે જુની શરત જેવી બાબતો છે અને તેનું અમલીકરણ અને અર્થઘટન અંગે આજે પણ પ્રશ્નો ઉદભવે છે. આ કાયદાની જોગવાઈઓ કરતાં સૌરાષ્ટ્રના જમીન સુધારા કાયદાઓનું સરણીકરણ સ્પષ્ટ હતું અને અમલીકરણ પણ ઝડપથી થયેલ ગણોત કાયદામાં સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદામાં ખેડુતના દરજ્જા તરીકે કલમ-૫૪ છે તેમ ગણોત કાયદામાં કલમ-૬૩ છે અને તે અનુસાર કોઈપણ બિનખેડુત વ્યક્તિ કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ખરીદી શકતો નથી કે ધારણ કરી શકતો નથી. જો બિનખેડુત વ્યક્તિને ખેતીની જમીન ખરીદવી હોય તો કલેક્ટરની પરવાનગી મેળવી પ્રમાણપત્ર મેળવવાનું છે. 

પરંતુ બન્ને કાયદામાં વ્યક્તિની બધા જ સ્ત્રોતમાંથી આવક મર્યાદા વાર્ષિક રૂ. ૫૦૦૦/- છે. જ્યારે જે પરંપરાગત ખેડુતો જમીન સુધારા કાયદાઓ આઝાદી બાદ અમલમાં આવ્યા અને તે પહેલાં ખેતીની જમીન ધારણ કરતા હતા તે બધા ખેડુત ખાતેદારો કાયદેસરનો ખેડુતનો દરજ્જો ધરાવે છે તેવું ગણી શકાય અને ત્યારબાદ આ ખેડુતોના ભાઈઓ/ભાગ/વારસાઈ હક્કેથી ખેતીની જમીનો ધારણ કરે છે તે તમામ ખેડુતોને કાયદેસરનો ખેડુત દરજ્જો મળે છે. ગુજરાત કે સૌરાષ્ટ્રમાં કોઈપણ બિનખેડુત વ્યક્તિ ખેતીની જમીન ધારણ કરી શકતો નથી. વધુમાં સૌરાષ્ટ્ર ઘરખેડ-૧૯૪૮ના વટહુકમમાં સુધારા કાયદાનં ૩૦/૭૩થી પરવાનગી સિવાય ખેતીની જમીનના બાનાખતથી વેચાણના ઈરાદા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એટલેકે બાનાખતથી પણ બિનખેડુત વ્યક્તિને ખેતીની જમીનનું વેચાણ થઈ શકતું નથી. આ ઉપરાંત સૌથી મહત્વનો સુધારો ૧૯૭૬માં ભારતના રાષ્ટ્રપતિની મંજુરીથી સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદામાં કરવામાં આવ્યો કે સૌરાષ્ટ્રના મ્યુનિસીપાલીટી વિસ્તારમાં ખેતીની જમીનોની તબદીલી બિનખેડુતની તરફેણમાં પ્રતિબંધ કલમ-૭૯(૧)-સી લાગુ પડતી ન હતી. આ સુધારાથી ૧૯૭૬ બાદ સૌરાષ્ટ્રના મ્યુનિસીપાલીટી વિસ્તારમાં પણ સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ-૫૪ મુજબ બિનખેડુત વ્યક્તિ કલેક્ટરની પરવાનગી સિવાય ખેતીની જમીન ખરીદી શકતો નથી આ સુધારા કાયદો લાવવાનો આશય ગુજરાત રાજ્યમાં મ્યુનિસીપાલીટી વિસ્તારોમાં પણ ગણોત કાયદાની કલમ-૬૩ હેઠળ પ્રતિબંધ હતો એટલે જ્યારે સૌરાષ્ટ્ર પણ સમગ્ર ગુજરાતનો ભાગ બનેલ હોય સમાન ધોરણે કાયદાની જોગવાઈઓ લાગુ કરેલ છે. આમ ઉપરોક્ત બાબતોથી સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદાની કલમ-૫૪ અ ગણોતકાયદાની કલમ-૬૩ મુજબ કોઈપણ બિનખેડુત વ્યક્તિ કલેક્ટરની પરવાનગી સિવાય (પરંપરાગત - વારસાગત ખેડુત સિવાય) ખેતીની જમીન ધારણ કરી શકતો નથી.

આજ કાયદાની જોગવાઈઓ પ્રમાણે સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમની કલમ-૫૫ અને ગણોતધારાની કલમ ૬૩/૬૩એ હેઠળ કોઈપણ વ્યક્તિ ખેતીની જમીન બિનખેતીના ઉપયોગ માટે કલેક્ટરની પરવાનગી મેળવીને કરી શકે છે. હવે શુભનિષ્ઠાના હેતુથી રાજ્ય સરકારે જે ઉપયોગ નક્કી કર્યા છે તે મુજબ Bonafide Purchaser તરીકે ખેતીની જમીન ખરીદીને (નવી શરત સિવાય) કલેક્ટરને જાણ કરવાથી પ્રમાણિક ઉપયોગ માટે કલેક્ટર પરવાનગી પ્રમાણપત્ર આપી શકે છે. ટુંકમાં ગુજરાતમાં ખેતીની જમીન ઉપર નિર્ભર ખેડુતોનો જીવન નિર્વાહ જળવાય (Means of livelihood) તે હેતુથી બિનખેડુત વ્યક્તિઓને ખેતીની જમીન ઉપરના બિનખેડુતોની તરફેણમાં તબદીલીના નિયંત્રણો છે પરંતુ સાચા વંશપરંપરાગત ખેડૂતોની જમીનોની તબદીલી / ભાઈઓ ભાગની વહેંચણીમાં અને વેચાણના પ્રસંગોએ ખેડુત ખરાઈ પ્રમાણપત્રની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. તે સાચા ખેડૂતોના હિતમાં તાત્કાલીક દુર કરવી જોઈએ.

Tags :