Get The App

ગુજરાતના ઉર્જાક્ષેત્રમાં ગ્રામ્ય વિસ્તારમાં 'જ્યોતિગ્રામ યોજના'ના અમલીકરણના કારણે જીવન ધોરણ બદલાવમાં સિંહફાળો

Updated: Feb 16th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતના ઉર્જાક્ષેત્રમાં ગ્રામ્ય વિસ્તારમાં 'જ્યોતિગ્રામ યોજના'ના અમલીકરણના કારણે જીવન ધોરણ બદલાવમાં સિંહફાળો 1 - image


- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)

- જ્યોતિગ્રામ યોજનાનો અમલ રાજકીય ઈચ્છાશક્તિ અને વહિવટી ટીમને આભારી

ઈલેક્ટ્રીસીટીનો માનવજાતના વિકાસમાં 'ચાલકબળ' 'Prime Movers' તરીકે પ્રસ્થાપિત સ્વરૂપે સ્વીકાર્ય છે. વિદ્યુત શક્તિની શોધ બાદ (Electricity Invention) સમયાંતરે વીજળીના વ્યાપક ઉપયોગને ધ્યાનમાં લેતાં ટેકનીકલ, કોમર્શીયલ બાબતો હોવાને કારણે ભારતમાં અંગ્રેજોના સમયગાળામાં ઈલેક્ટ્રીસીટી એક્ટ ૧૯૧૦ ઘડવામાં આવ્યો જે ૨૦૦૩માં નવીન કાયદો ઘડાયો ત્યાં સુધી ૯૩ વર્ષ જેટલા લાંબા સમયગાળા માટે સુધારા વધારા સાથે અમલમાં રહ્યો આઝાદી બાદ ૧૯૪૮માં Supply of Electricity Act લાગુ કરવામાં આવ્યો જેનાથી ઈલેક્ટ્રીસીટી ક્ષેત્રને દેશના રાજ્યોમાં ઈલેક્ટ્રીસીટી બોર્ડ તરીકે અસ્તિત્વમાં આવ્યા. 

આઝાદી પહેલાં ઈલેક્ટ્રીસીટી સપ્લાય ફક્ત શહેરો / ટાઉન અથવા પ્રગતિશીલ દેશી રજવાડાઓમાં હતો. આઝાદી બાદ વિદ્યુતબોર્ડોને ગામડાઓનું વીજળીકરણ અને કૃષિક્ષેત્રે વીજ જોડાણો અન્નક્ષેત્રે સ્વાવલંબન લાવવા પુરતો હતો. ગુજરાત જેવા રાજ્યમાં ૧૯૮૯ સુધીમાં તમામ ગામોનું વીજળીકરણ (જંગલ વિસ્તારના ગામો સિવાય) કરવામાં આવેલ જ્યારે દેશના અમુક રાજ્યોમાં થોડા વર્ષો પહેલાં પણ ગામડાઓનું વીજળીકરણ થયેલ ન હતું તે બાબતમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર હતું. 

વિદ્યુતક્ષેત્ર ટેકનીકલ દ્રષ્ટિએ અને વાણિજ્ય વિષયક સિદ્ધાંતના ધોરણે મુલવવામાં આવે તો આ સંસ્થાકીય માળખું જો Professional ધંધાકીય સ્વરૂપે સંચાલન કરવામાં ન આવે તો ખોટ (Loss) થાય અને તેની સ્વાભાવિક અસર વીજ પુરવઠા ઉપર થાય. રાજ્યના વિદ્યુત બોર્ડના સચિવ તરીકે ખુબજ મહત્વના સમયગાળા દરમ્યાન અમારી ફરજ બજાવવાની થઈ પ્રથમ ૨૦૦૦થી ૨૦૦૩ દરમ્યાન જ્યારે વિદ્યુતબોર્ડ વાર્ષિક ૨૫૦૦ કરોડ જેટલી ખોટ કરતું અને ગ્રામ્ય અને કૃષિક્ષેત્રે Load Shedding કરવું પડતું અને વીજમાંગની સામે પર્યાપ્ત વીજપુરવઠો પણ ન હતો. 

હંમેશા 'Necessity is Mother of Invention - 'જરૂરિયાત શોધખોળની જનની' છે તે ઉક્તિ અનુસાર 'Asian Development Bank' ADB જે લોન લેવામાં આવેલ, તે સુધારાત્મક પગલાંના અભાવે એક હપ્તા બાદ બાકીની લોન Release કરવામાં ન આવતી અને તેના કારણોમાં કૃષિક્ષેત્રે વીજમીટર મુકવા અને ટેરીફમાં સુધારો કરવાની બાબત સ્વાભાવિક રીતે Revenueના મુદ્દા ઉપર Repayment of Loan Capacityના મુદ્દા ઉપર બાકીનો Trench Release કરવામાં ન આવતો. ગુજરાતમાં ૧૯૮૭થી વીજમીટરના બદલે કૃષિ જોડાણ ઉપરનો વીજપુરવઠો HP હોર્સપાવર આધારિત ફ્લેટ રેટ કરવામાં આવ્યા. 

એટલે કે Skeud - વીજદર ગણાય અને જે તે સમયે એટલે કે ૧૯૯૮ સુધી રેગ્યુલેટરી કમિશન અસ્તિત્વમાં આવ્યા તે પહેલાં વીજદર Electricity Tariff માટે રાજ્ય સરકારની મંજુરી મેળવવી પડતી અને વર્ષો સુધી વીજદરમાં રાજકીય ઈચ્છાશક્તિના અભાવે વીજદરમાં Cost to Supplyના સાપેક્ષમાં સુધારો કરવામાં ન આવે તો, બીજી બાજુ રાજ્યમાં અમુક ફીડરો ઉપર મોટાપાયે T&D - Transmission and Distribution Loss હતી અને તેના માટે કોઈ વીજવ્યય ઘટાડવા માટેનો ચોક્કસ Action Plan ન હતો. સાથોસાથ Peak Hoursમાં ટાઉન / શહેરોને વીજપુરવઠો આપવામાં ગામડાઓમાં Load Shedding કરવામાં આવતું અને અગાઉ જે Rural Feeder હતા. 

જે ગામડાઓમાં ગામની રહેણાંક કે અન્ય કેટેગરીના ગ્રાહકો અને ખેતીવાડીમાં પણ Rural Feederથિી વીજળી આપવામાં આવતી તેમાં Single Phase વીજળી કરતાં તેમાં Capacitor - ટેટા મુકી Power Overdraw કરવામાં આવતો આ સ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં ૨૦૦૩માં જ્યોતિગ્રામ યોજના રાજ્યમાં અમલમાં મુકવાનો નિર્ણય કર્યો તે પહેલાં વિદ્યમાન હતી.

અમારા સચિવશ્રી, ગુજરાત વિદ્યુતબોર્ડના સમયગાળામાં સૌ પ્રથમ 'જ્યોતિગ્રામ યોજના' ઘડવામાં આવી ત્યારે પાયાની ગામતળના રહેણાંક વિસ્તારમાં સતત વીજપુરવઠો આપવા માટે જે 'Rural Feeder' ઓળખાતું તેમાંથી Agriculturel Rural Feederને અલગ કરી 'જ્યોતિગ્રામ' ફીડર ગામતળને વીજપુરવઠો પુરો પાડવા માટે 'Segregate' કરવામાં આવે તેવો નિર્ણય બોર્ડ દ્વારા કરવામાં આવ્યો અને આ યોજનાના ઘડતરમાં અને નિતીવિષયક નિર્ણય જાહેર કરવામાં અમલદારો કક્ષાએ અને ટેકનીકલ એન્જીનીયર દ્વારા શંકા / કુશંકાઓ એટલા માટે વ્યક્ત કરવામાં આવી કે એકબાજુ વિદ્યુતબોર્ડ મોટાપાયે ખોટ કરતું અને બીજીબાજુ સમગ્ર રાજ્ય ગામડાઓને જોડતી અલગ લાઈનો નાખવી, જો કે શરૂઆતમાં સબંધિત ગામ, રાજ્ય સરકાર, બોર્ડ અને લોન લઈને આ યોજના અમલીકૃત કરવાનો નિર્ણય હતો. 

આ યોજના સૌ પ્રથમ ૧૫ ઓગષ્ટ ૨૦૦૩માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પાટણ ખાતે કરવામાં આવેલ અને તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીય ઈચ્છાશક્તિને આભારી છે અને આ યોજના જેમ જેમ સફળ થઈ તેમ રાજ્યસરકારે જ આ યોજના અમલ કરશે તેવી જાહેરાત થઈ એટલે કે રાજ્યસરકાર આ યોજનાનો તમામ ખર્ચ ભોગવશે અને તે મુજબ થયું. 

આ સમયગાળાની જ્યોતિગ્રામ યોજનાના અને ઉર્જાક્ષેત્રના સુધારા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના વિદ્યુતબોર્ડના ચેરમેન - રાજકીય હતા, તેઓને દુર કરીને ચેરમેન તરીકે શ્રીમતી મંજુલા સુબ્રમણ્યમ સીનીયર આઈએએસ અધિકારીને મુકવામાં આવ્યા. આ વિદ્યુત બોર્ડનો Turning Point કહી શકાય. તે વખતની અધિકારીઓની ટીમમાં - બોર્ડના સચિવપદે હું કાર્યભાર સંભાળતો. સભ્ય વહિવટ તરીકે જે એન શીંઘ / ગુરૂપ્રસાદ મહાપાત્ર, સભ્ય ફાયનાન્સ - એમ.એમ.શ્રીવાસ્તવ અને ટેકનીકલ સભ્ય તરીકે પી.એચ.રાણા હતા. આ અધિકારીઓની ટીમ જ્યોતિગ્રામ યોજનાના અમલીકરણમાં સિંહફાળો છે અને આદર્શ ઉદાહરણ છે કે જો રાજકીય ઈચ્છશક્તિ અને વહિવટી ટીમ હોય અને સ્વાયતતા સાથે કામ કરવામાં આવે તો તેનું આદર્શ ઉદાહરણ જ્યોતિગ્રામ યોજનાનો અમલ છે.

 અમારા સમયગાળા દરમ્યાન વિદ્યુતક્ષેત્રના સુધારાના ભાગરૂપે ૨૦૦૩ રાજ્યના વિદ્યુતબોર્ડના પુનઃગઠન 'Reorganization of Gujarat Electricity Board'નો કાયદો ઘડવામાં આવ્યો તે સાથે ભારત સરકારે પણ Indian Electricity Act ૨૦૦૩ ઘડવામાં આવ્યો. આ કાયદાઓનો મુળભુત હેતુ રાજ્યોના વિદ્યુતબોર્ડનું કંપનીકરણ Corporation (Unbundled of Electricity Board) કરીને વિદ્યુતક્ષેત્રને સ્વાવલંબી / આત્મનિર્ભર ખોટમાંથી બહાર લાવવું. આ કાયદા અન્વયે અમારા સચિવશ્રીના કાર્યકાળ દરમ્યાન 'A' કંપનીઓ કરવામાં આવી તેમાં વીજઉત્પાદન માટે - GSECL, વીજ પ્રવહન માટે - GETCO અને ચાર વીજવીતરણ કંપનીઓ - DGVCL, MGVCL, UGVCL અને PGVCL. આ ઉપરાંત Apex કંપની તરીકે ગુજરાત ઉર્જાવિકાસ નિગમ (GUVNL) રચવામાં આવ્યું જેમાં UGVCL / DGVCL મેનેજીંગ ડીરેક્ટર તરીકે અમોએ લાંબા સમયગાળા સુધી આપી છે. ડાયરેક્ટર વહિવટ તરીકે પણ ફરજ બજાવી છે. સમગ્ર દેશને રાહ ચીંધનાર 'જ્યોતિગ્રામ' યોજનાનું અમલીકરણ અને રાજ્યની કાયાપલટમાં મુખ્ય ફાળો છે. આજે સમગ્ર દેશમાં - દિનદયાળ ઉપાધ્યાય જ્યોતિગ્રામ યોજનાનો સમગ્ર દેશમાં અમલ થઈ રહ્યો છે. ગુજરાતની જ્યોતીગ્રામ યોજનાનો લોકાર્પણ 'Dedication to the Nation' દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા પાવાગઢ - ચાંપાનેર ખાતે કરવામાં આવેલ. આ યોજના મુખ્યત્વે રાજ્યના ૧૮,૨૫૦ ગામડાઓના ગામતળને વીજળી આપવાની હતી, સમયાંતરે તેમાં ફેરફાર થયા છે અને રાજ્યના ઉર્જાવિભાગ દ્વારા ૨૪ જાન્યુઆરી ૨૦૧૭માં ગામડામાં પણ જુદા જુદા હેતુ માટે જ્યોતિગ્રામ ફીડરમાંથી વીજળી આપવા માટે બદલાવ કરવામાં આવ્યા છે.

Tags :