Get The App

મહેસૂલી હેતુ માટે, માલિકી હક્ક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને

Updated: Sep 12th, 2021

GS TEAM


Google News
Google News
મહેસૂલી હેતુ માટે, માલિકી હક્ક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટને 1 - image


- સુપ્રિમનાં ચૂકાદા મુજબ હક્કપત્રકની ફેરફાર નોંધો માત્ર 

- લોકાભિમુખ માર્ગદર્શન- - એચ.એસ. પટેલ IAS (નિ.)

- મહેસૂલી કોર્ટોને માલિકી હક્ક નક્કી કરવાની સત્તા નથી

તાજેતરમાં સુપ્રિમકોર્ટ જસ્ટીસ એમ. આર. શાહ અને ગુપ્તાની બેન્ચે મધ્યપ્રદેશના કેસમાં વીલ આધારે પડેલ મહેસુલી રેકર્ડમાં પાડવામાં આવેલ ફેરફાર નોંધને (Mutation Entries) રદ કરતાં જણાવ્યું કે મહેસૂલી હક્કપત્રકની નોંધો ફક્ત Fiscal Purpose માટે છે અને વિરૂધ્ધનું પૂરવાર ન થાય (Unless Contrary Proved) ત્યાં સુધી માન્ય રાખવાની છે એટલે કે Presumptive Value છે. જ્યારે વિવાદ થાય તો ભલે વીલ આધારે પણ હક્કપત્રકમાં ફેરફાર નોંધ પડી હોય પરંતુ માલિકી હક્કની તકરાર થાય તો ફક્ત સિવિલ કોર્ટને માલિકી હક્ક નક્કી કરવાની સત્તા છે.

ઉપયુક્ત સુપ્રિમકોર્ટનાં ચૂકાદાના પરિપ્રેક્ષ્યમાં અગાઉ પણ હાઇકોર્ટ અને સુપ્રિમકોર્ટે જુદાજુદા કેસોના આધારે ચુકાદા આપ્યા છે અને હવે Law of Land  એ છે કે મિલ્કત જમીનના Title કે માલિકી હક્કના વિવાદમાં માલિકી હક્ક નક્કી કરવાની સત્તા ફક્ત સિવિલ કોર્ટને છે. આમ આ પ્રસ્થાપિત કાયદો છે ‘Settled Principle' આ અંગેની તમામ આમ જનતાએ પૂર્વભુમિકા સમજવાની જરૂર છે. સૌપ્રથમ તો જમીન / મિલ્કત, જમીન મહેસુલ અધિનિયમ હેઠળ નિયમન થાય છે અને તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જમીન / મિલ્કત ઉપરનું મહેસૂલ ઉઘરાવવું. Fiscal Purpose અને કોની પાસેથી કેટલું મહેસૂલ ઉઘરાવવું. તે અંગે જમીનના - 7 અને મિલ્કત કાર્ડ - રજીસ્ટર નિભાવવામાં આવે છે. 1907માં જમીન મહેસૂલ અધિનિયમમાં હક્કપત્રકનું ચેપ્ટર-10 એ ઉમેરવામાં આવ્યું. જેના આધારે જે પણ જમીન મિલ્કતમાં ફેરફાર - વેચાણ, તબદીલી, વારસાઇ વિગેરે થાય તો હક્કપત્રકમાં (Mutation Register)  નોંધ કરવી અને તે દ્વારા મહેસૂલી રેકર્ડ અદ્યતન રાખવું.

બીજી બાજુ એ પણ છે કે જ્યાં સુધી જમીન/મિલ્કતના તમામ કબજેદારો દ્વારા સંમતિથી ફેરફાર થાય એ કોઈ વાંધો ન હોય  તો જે ફેરફાર હક્કપત્રકમાં થાય તો તે અંગે જમીન મિલકતના 7 તેમજ મિલકત રજીસ્ટરમાં ફેરફાર થાય એટલે દરેક વખતે માલિકી / કબજા ફેરફાર માટે સામાન્ય સંજોગોમાં કોર્ટમાં જઇ હક્કમાં ફેરફાર માટે દાદ મેળવી હુકમ મેળવવાની જરૂર નથી એટલે કે લાંબી કાનુની પ્રક્રીયા અનુસાર જે વ્યવહારોમાં માલિક / કબજેદારોની સંમતિથી વ્યવહાર થતા હોય તો તેવા વ્યવહારો - Entries in Revenue Record માન્યતા આધારે સાચા માનીને વ્યવહાર થાય  છે. જેને પણ એક પ્રકારનું કાયદાકીય પીઠબળ છે. ફક્ત જ્યારે તકરાર કે વિવાદ થાય ત્યારે સિવિલ કોર્ટને માલિકી હક્ક નક્કી કરવાની સત્તા છે.

હવે સુપ્રિમકોર્ટે તાજેતરમાં જે ચુકાદો આપ્યો તેનું વિશ્લેષણ કરીએ તો મહેસૂલી રેકર્ડમાં વીલ એટલે કે વસીયતનામા આધારે હક્કપત્રકમાં નોંધ પાડી પ્રમાણિત કરવામાં આવેલ વીલ યાને વસીયતનામું પણ વારસા અધિનિયમ મુજબ એક પ્રકારનો મિલક્ત / જમીનને તબદિલ કરવાનો વ્યવહાર છે - જો વીલને પડકારવામાં આવે તો વીલના ખરાપણા અંગે પણ સાબિત કરવાની જવાબદારી સિવિલકોર્ટની છે કારણ કે વીલમાં જમીન / મિલ્કતના માલિકને હયાતીમાં વીલ કરવાની સત્તા છે.

પરંતુ તે સ્વપાર્જીત મિલ્કતમાં સંબંધિત માલિકનો હક્ક છે અને વારસા અધિનિયમ મુજબ તેના ingredient જાળવવા જોઈએ જેમ કે હયાતીમાં બે સાક્ષીઓની હાજરીમાં અને વ્યક્તિના મૃત્યુ બાદ અમલમાં આવે છે - વીલ રજીસ્ટર્ડ કરાવવાની સત્તા ફરજીયાત જરૂરીયાત નથી - આમ વીલના ખરાપણા અંગે પણ વિવાદ ઉભો થાય તો વીલ સાબિત કરવાની જવાબદારી. જેને હક્કપ્રાપ્ત થાય છે તેને onus સ્વરૂપે જવાબદારી ઉત્પન્ન થાય છે અને માલિકીહક્ક નક્કી કરવાની સત્તા સિવિલ કોર્ટની છે.

આમ પ્રસ્થાપિત નિયમો મુજબ મહેસૂલી રેકર્ડમાં હક્કપત્રકની નોંધો ફક્ત fiscal purpose માટે છે અને માન્યતા આધારિત વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી સાચી ગણીને વ્યવહાર માન્ય રાખવામાં આવે છે. મહેસૂલી કોર્ટમાં જેમ કે મામલતદારના હુકમ વિરૂધ્ધ નાયબ કલેક્ટર, કલેક્ટર, સચિવ અપીલ, જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ હક્કપત્રકની નોંધો સામે અપીલીય હકુમત ધરાવે છે. પરંતુ તેઓને માલિકી હક્ક નક્કી કરવાની સત્તા નથી. આ અપીલીય હકુમત ધરાવતા અધિકારીઓએ હક્કપત્રકની જોગવાઈઓનું પાલન થયું છે કે કેમ તેટલી બાબતો ચકાસી ગુણદોષ ઉપર નિર્ણય આપવાના છે. આમ જનતાએ માલિકી હક્ક બાબતના વિવાદ ઉપસ્થિત થાય તો ઉપરોક્ત બાબતો સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવાની જરૂર છે.

Tags :