કૃષિ ક્ષેત્રમાં જ્યોતિગ્રામ યોજનાના અમલથી ખેડૂતોને રાહત
- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS. (નિ.)
- ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણ નિતી નક્કી કરવામાં આવી છે. તેમાં સૌપ્રથમ તો ગામતળ બહાર જો ૧૦ કુટુંમ્બોની વસ્તી હોય તો જ્યોતિગ્રામ ફીડરમાંથી વીજપુરવઠો આપવો
ગતાંકથી ચાલુ :
ગુજરાતના ઉર્જાક્ષેત્રમાં કાયદાકીય, માળખાકીય અને જ્યોતિગ્રામના અમલીકરણની પૂર્વભુમિકાનું વર્ણન કરવામાં આવેલ, કોઈ પણ વાણિજ્યવિષયકના સેવાના (Commercial Utility) Turn around કર્યા બાદ Sustain સાતત્ય જાળવવું જરૂરી છે. દા.ત. ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રે Communication ક્ષેત્રમાં જેમ STD/PCO માધ્યમથી સમગ્ર દેશના ખુણામાં સેવાઓ પુરી પાડેલ, તે ભારતીય સંચાર નિગમ BSNL માળખાકીય ક્ષેત્ર મુજબ હોવા છતાં સ્પર્ધાત્મક ધોરણે Satellite Communicationમાં ગ્રાહકોને જે ગુણવતાના ધોરણે સેવા પુરી પાડવી જોઈએ તે પુરી પાડી શકેલ નથી. ભારતની Public Undertakingનો આ આદર્શ નમુનો છે. કારણ કે એએક જમાનામાં વિદ્યુતબોર્ડ પણ ઈજારાશાહી ધોરણે Monopolised Service Sector ગણાતું અને લાયસન્સ રાજનો અભિગમ હતો. હવે ૧૯૯૨ બાદ Generation વીજ ઉત્પાદન ખાનગી ક્ષેત્રમાં થાય છે. તે જ ધોરણે વીજપ્રવહન Transmission અને વીજવીતરણ Distribution પણ ખાનગી ક્ષેત્રમાં લાયસન્સી એરીયા અપાય છે અને ૨૦૦૩ના ઈલેક્ટ્રીસીટી એક્ટનો મુળભુત હેતુ પણ ઉર્જા ક્ષેત્રમાં હરિફાઈનું તત્વ (Competition) લાવવું અને છેવટે ગ્રાહકોને ગુણવતાયુક્ત અને બિનવિપેક્ષિત Quality, Reliable and uninterrupted વીજપુરવઠા સાથે Affordable and Economical power આપવો તે મુખ્ય બાબત છે. હવે વીજગ્રાહકોની સક્રિયતા અને ભાગીદારી અગત્યની છે. કારણ કે વીજદર નક્કી કરવાની જવાબદારી વિદ્યુત નિયમન પંચ પાસે છે. (Electricity Regulatory Commission) અને તેમાં દરેક વીજકંપનીઓનું વાર્ષિક Revenue અને કાર્યદક્ષતા ધ્યાનમાં લઈ અને સાથોસાથ વીજવ્યય અને ખોટ જેનું માપ હવે AT&C Loss - Aggregate Technical and Commercial Lossને ધ્યાનમાં લઈ નક્કી કરવામાં આવે છે.
હવે જ્યોતિગ્રામની અસરો અંગે ચર્ચા કરીએ તો મૂળભુત આ યોજના ગામતળ (Gavtaon) એટલે કે મહેસુલી / પંચાયતની પરિભાષા પ્રમાણે ગામમાં રહેતાં રહેણાંક વિસ્તાર અને ગામતળની વિવિધ પ્રવૃત્તિઓ માટે જ્યોતિગ્રામ ફીડરથી 24 x 7 કલાક વીજપુરવઠો પુરો પાડવાની વિભાવના હતી અને જેજીવાય ફીડર ઉપર ૧૫ ટકાથી વોટ વધારે (વીજવ્યય) થાય તો સબંધિત ગામનો વીજપુરવઠો નિયંત્રિત કરવાની જોગવાઈ હતી. કારણ કે રાજ્યમાં અમુક JGY Feeder ઉપર ૮૦% થી વધારે દા.ત. બાવળાનો કાંઠ વિસ્તાર, વીરમગામના માંડલ વિસ્તારના ગામો, સુરતના કાંઠા વિસ્તારના ગામો, જામનગરનો બેડી વિસ્તાર વિગેરે. હવે તબક્કાવાર વીજીલન્સ પ્રવૃત્તિ, જીયુવી એનએલના અલગ પોલીસ સ્ટેશન, ટેકનોલોજીના માધ્યમથી દા.ત. Quality meters, Armoured Service Cable, MMB / Sealing, Feeder Wise monitoring થી ગુજરાતના જે જીવાય ફીડર ઉપર અમુક ફીડરોને બાદ કરતાં ૧૨ ટકાના પ્રમાણમાં ખોટ છે. પરંતુ મુળભુત રીતે જેજીવાય યોજનાથી ચોવીસ કલાક વીજળી પ્રાપ્ત થતાં ગામડાઓની વસ્તીમાંથી સ્થળાંતરમાં ઘટાડો, સ્થાનિક વ્યવસાય, ડેરી ઉદ્યોગ, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સુવિધા, શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટરનું સંચાલન, ગામપંચાયતની ઓનલાઈન સુવિધાઓ, ગ્રામ્ય આરોગ્ય સુવિધાઓ વિગેરેમાં અને વ્યાવસાયિક રીતે મુખ્ય ચાર રસ્તાઓ, ગામડાઓમાં મીની મોલ / શોપિંગ સેન્ટરોમાં 27 x 7 વીજળીને કારણે આમુલ બદલાવ આવ્યો છે.
હવે જેમ જણાવ્યું તેમ જેજીવાય યોજના ગામતળમાં વીજળી પુરી પાડવાની યોજના હતી અને છે. પરંતુ ગામતળ સિવાય જે કુટુંમ્બો ખેતરમાં રહેતા હોય, ગામતળ સિવાય બિનખેતી કરીને વસાહતો ઉભી થઈ હોય, આ ઉપરાંત અન્ય ધંધા રોજગાર હોય ત્યાં ખેત વિષયક ફીડર ઉપર થ્રીફેઝ આઠ કલાક સિમિત વિજપુરઠો પુરો પાડવામાં આવતો. અમો જ્યારે ઉત્તર ગુજરાત વીજકંપનીના મેનેજીંગ ડીરેક્ટર હતા ત્યારે ગામડાઓના ખેડુતો ખેતરોમાં રહેતા, તેમને જો એગ્રીકલ્ચર કનેક્શન હોય તો મર્યાદિત પોઈન્ટ આપવામાં આવતો. આ અંગે ઉત્તર વીજકંપનીના ઈજનેરોએ SDT - Special Design Transformer પ્રાયોગિક ધોરણે તૈયાર કર્યું જેનાથી સબસ્ટેશનમાં SDT Install કરવાથી ખેતરમાં રહેતા રહીશો માટે પણ આઠ કલાક થ્રીફેઝ વીજળી બાદ સતત Single Phase વીજળી પુરવઠો મળે તેવી વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં અમલમાં છે. આમ રાજ્યની કોઈપણ વ્યક્તિ વીજળીની સુવિધા વિનાનો ન રહે તે અભિગમ રહ્યો છે. અમો જ્યારે દક્ષિણ ગુજરાત વીજકંપનીના મેનેજીંગ ડીરેક્ટર હતા ત્યારે એવો નિતી વિષયક નિર્ણય લેવામાં આવ્યો કે પોલ્ટ્રી ફાર્મ, ડેરી ઉદ્યોગ વિગેરે ખેતવિષયક સંલગ્ન વ્યવસાયમાં ભળેલો પણ આવે તેવું અર્થઘટન કરીને ખાસ કિસ્સામાં જ્યોતિગ્રામ યોજનામાંથી વીજજોડાણ યોજનામાંથી વીજ કનેક્શન આપવાનો નિર્ણય લીધેલ, રાજ્યમાં બિનખેતી વિષયક વ્યવસાયનો વ્યાપ વધુ હોવાથી અને જેજીવાય ફક્ત ગામતળ સુધી સિમિત હતી, એટલે રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમીકલ વિભાગના ૨૪ જાન્યુઆરી ૨૦૧૭માં એક સર્વગ્રાહી નિતી ઠરાવ ક્રમાંક જીયુવી-૨૦૧૬/૩૮૮૫ થી ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણ નિતી નક્કી કરવામાં આવી છે. તેમાં સૌપ્રથમ તો ગામતળ બહાર જો ૧૦ કુટુંમ્બોની વસ્તી હોય તો જ્યોતિગ્રામ ફીડરમાંથી વીજપુરવઠો આપવો તેજ રીતે ખેતીવિષયક જમીન હોય પરંતુ ખેતવિષયક ઉપયોગ થતો ન હોય તેવી શૈક્ષણિક સંસ્થાઓ / છાત્રાલયો / ઔદ્યોગિક / વાણિજ્ય વિષયક એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દા.ત. Food Processing Unit, Cold Storage, ડેરી ફાર્મીંગ, ઝીંગા ફાર્મ, ગૌ-શાળા, તમાકુની ખળી, મોબાઈલ ટાવર, ચીલીંગ પ્લાન્ટ, મેંગો રાઈપનીંગ આવા તમામ ખેતપેદાશો / કૃષિ વિષયક ઉદ્યોગોને સરકારે જેજીવાય ફીડર ઉપરથી વીજપુરવઠો પુરો પાડવાનો નિર્ણય કરેલ છે. ફક્ત જુદા જુદા વ્યવસાય માટે શરત એ છે કે દરેક ગ્રાહકે વીજપુરવઠાની લાઈન ટ્રાન્સફોર્મર તેમજ તમામ આનુસાંગિક ખર્ચ તેઓએ ભોગવવાનો થાય અને આ માટે રાજ્ય સરકારે તા. ૨૪-૧-૨૦૧૭ના ઠરાવથી માપદંડો સાપેક્ષમાં વીજપુરવઠો ઉપલબ્ધ હોવાથી કૃષિ વિષયક હેતુ સિવાય ચોવીસ કલાક સાતત્યપૂર્ણ વીજપુરવઠો પુરો પાડી શકાય છે. આમ ગુજરાતના વિકાસમાં અને નાગરિકોના જીવનધોરણ સુધારવામાં જ્યોતિગ્રામ યોજનાનો સિંહફાળો છે. જો કે દેશના અન્ય રાજ્યોના સાપેક્ષમાં નાગરિકોનું વીજબીલ ચુકવવામાં પણ Paying Culture છે અને વીજવીતરણ કંપનીઓ અને જનરેશન અને ટ્રાન્સમીશન કંપનીઓની નાણાંકીય સ્થિતિ દેશના અન્ય રાજ્યો કરતાં ઘણી સારી છે જે સંસ્થાકીય, માળખાગત બાબતો ઉભી કરવામાં આવી તેને આભારી છે.
ગુજરાત કૃષિક્ષેત્રમાં જ્યોતિગ્રામ યોજનાના અમલ સાથે કૃષિવીજ જોડાણો ધારકોને આઠ કલાક વીજપુરવઠો સાતાયપૂર્ણ પુરો પાડવાનો નિર્ણય લીધેલ તેનું કારણ રાજ્યના ભૌગોલિક વિસ્તારમાં ભુગર્ભ જળ (Underground Water) ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અને ખેડુતોની સરેરાસ જમીનનું Holding પોષણક્ષમ વિસ્તાર મહત્તમ આઠ કલાક ગણવામાં આવે તો પાકને પર્યાપ્ત હોવાનું તારણ હતું વધુમાં રાજ્યએ માઈક્રો ઈરીગેશન પધ્ધતિથી પાલી ખેતવિષયક હેતુ માટે ઉપયોગ કરવામાં આવે તો આઠ કલાકનો વીજપુરવઠો પર્યાપ્ત હોવાનું જણાવેલ આ વ્યવસ્થા જે તે રાજ્યની પાવર ઉપલબ્ધીના આધારે નક્કી કરવામાં આવેલ. અમોએ રાજ્ય સરકારને ભલામણ કરતાં રાજ્ય સરકારે કૃષિવિદ્યુત યોજના દાખલ કરી અને એગ્રીકલ્ચર ફીડરને Strengthen કરવાથી આઠ કલાક સાતત્યપૂર્ણ પુરવઠો મળી રહે તે છે. તમામ ફીડર આ યોજના હેઠળ આવરી લેવામાં આવે તે જરૂરી છે. સરકારે સુર્યોદય યોજના દાખલ કરી છે અને તે આધારે આગામી વર્ષ સુધીમાં તમામ ફીડર સુર્યોદય યોજના હેઠળ સમાવી લેવામાં આવશે. પરંતુ રાજ્ય સરકારે અને વીજ કંપનીઓએ હવે જ્યારે વીજપુરવઠો પર્પાપ્ત છે અને કૃષિ વિષયક વીજપુરવઠાનું જે Scheduling કરવામાં આવે છે. તેમાં સમગ્ર રાજ્યમાં પાક આધારિત વીજપુરવઠો જેટલા સમય માટે જોઈએ તેટલા પુરતો આપી શકાય તે પ્રકારનું Load Management જેમ જ્યોતિગ્રામ યોજનામાં કરવામાં આવ્યું તેમ કરી શકાય, ફક્ત કૃષિવિભાગ, સિંચાઈવિભાગ, ઉર્જાવિભાગની કંપનીઓએ સંયુક્ત પણે તમામ ફીડરોને પાક આધારિત Crop Pattern પ્રમાણે વીજપુરવઠો નક્કી કરવામાં આવે તો ખેડુતોને તેમની જરૂરીયાત મુજબનો પર્યાપ્ત વીજપુરવઠો પુરો પાડી શકાય.